ETV Bharat / city

જન્માષ્ટમી નિમિત્તે ભારતી આશ્રમના સંત મહાદેવ ભારતીનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર

author img

By

Published : Aug 30, 2021, 6:04 AM IST

આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે ભારતી આશ્રમના સંત મહાદેવ ભારતીએ જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

junagadh
junagadh

હે પરમ કૃપાળુ પરમાત્મા,

તમારા દાસનો આ પત્ર વાંચી અરજી તણી કે પ્રભુ અમને તમારા ચારણોના દાસ તરીકે વાસ આપજો. આજે કઠણ કળિયુગમાં એક રહેવું ખુબ જ મુશ્કેલ છે તેમ છતાં આપની કૃપાથી અમે જીવન વિતાવી રહ્યા છીએ. આપના ચરણ કમળની ભક્તિથી જે શક્તિ મળી રહી છે એના દ્વારા આપની ભક્તિ કરી રહ્યા છીએ. પ્રભુ આપની ભક્તિ કરતા દેહ આપના ચરણોમાં ભળી જાય તેવી આશા છે. આ આશા પુરી કરજો. હે પરમાત્મા આપને વંદન...

લિ.

મહાદેવ ભરતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.