ETV Bharat / city

Bharti Ashram controversy: FIR થશે તો પણ આટલા દિવસ ઋષિ ભારતી બાપુની નહીં થઇ શકે ધરપકડ

author img

By

Published : May 25, 2022, 4:18 PM IST

Bharti Ashram controversy: FIR થશે તો પણ આટલા દિવસ ઋષિ ભારતી બાપુની નહીં થઇ શકે ધરપકડ
Bharti Ashram controversy: FIR થશે તો પણ આટલા દિવસ ઋષિ ભારતી બાપુની નહીં થઇ શકે ધરપકડ

અમદાવાદના સરખેજ ભારતી આશ્રમના (Bharti Ashram Controversy) સંત ઋષિ ભારતી બાપુ હવે ધરપકડથી બચવા માટે કોર્ટના શરણે ગયા છે. તેમણે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી (Rushi Bharti Bapu Anticipatory bail) પણ કરી છે. જે મામલે કોર્ટે રાહત આપી છે.

અમદાવાદ: શહેરના સરખેજ સ્થિત ભારતી આશ્રમ વિવાદ(Bharti Ashram Controversy) મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઋષિ ભારતી બાપુએ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં(Rural District Court) આગોતરા જામીન માટે અરજી(Rushi Bharti Bapu Anticipatory bail) કરી હતી. એમાં ઋષિ ભારતી બાપુને જિલ્લા ગ્રામ્ય કોર્ટે રાહત આપી છે. ગ્રામ્ય કોર્ટે ઋષિ ભારતી બાપુ સામે FIR નોંધાઈ તો તાત્કાલિક ધરપકડ નહીં કરવા કોર્ટે હુકમ કર્યો છે. FIR નોંધાઈ તો ઋષિ ભારતી બાપુને પોલીસે નોટિસ આપવાની રહેશે.

આ સાથે FIR નોંધાયાના સાત દિવસ સુધી ઋષિ ભારતી બાપુની ધરપકડ નહીં કરવા પણ કોર્ટે હુકમ કર્યો છે.
આ સાથે FIR નોંધાયાના સાત દિવસ સુધી ઋષિ ભારતી બાપુની ધરપકડ નહીં કરવા પણ કોર્ટે હુકમ કર્યો છે.

ઋષિ ભારતી બાપુની ધરપકડ નહીં કરવા પણ કોર્ટે હુકમ - આ સાથે FIR નોંધાયાના સાત દિવસ સુધી ઋષિ ભારતી બાપુની ધરપકડ નહીં કરવા પણ કોર્ટે હુકમ કર્યો છે. આ મામલે મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા ઋષિ ભારતી બાપુએ ધરપકડથી બચવા માટે થઈને ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સરખેજ સ્થિત જે ભારતી બાપુનો આશ્રમ(Bharti Bapu Ashram Sarkhej) આવેલો છે. તેમાં સત્તાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. શિષ્ય નંદન ભારતી બાપુએ પોતાના જ ગુરુ ભાઈ ઋષિ ભારતી બાપુ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં(Sarkhej Police Station) અરજી કરી હતી. ઋષિ ભારતીએ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

આ પણ વાંચો: Bharti Ashram Controversy : ઋષિ ભારતી મહારાજે DGP સમક્ષ કરી આ માગ

ઋષિ ભારતી બાપુએ અરજીમાં રજૂઆત - અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ મામલે તપાસ અધિકારીઓને નોટિસ ઇશ્યુ(Issue notice to investigating officers) કરી જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારે આજે ગ્રામ્ય કોર્ટ ઋષિ ભારતી બાપુની અરજીને માન્ય રાખી છે. ઋષિ ભારતી બાપુએ અરજીમાં રજૂઆત કરી છે કે, હું આશ્રમના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરું છુ. હું કોઈ ગેરકાયદેસર પ્રવુતિમાં સંડોવાયેલો નથી. મારી પર જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે તદ્દન ખોટા છે અને તપાસ એજન્સીને સાથે મળીને સહકાર આપવા માટે પણ તેમણે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: Bharti Ashram Controversy: કંઈ કર્યું જ નથી તો ઋષિ ભારતીએ શા માટે જવું પડ્યું કોર્ટ...

શું છે સમગ્ર મામલો - ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ રાજ્યમાં કરોડોની આશ્રમની જમીનોને લઈ વિવાદ સપાટી પર આવ્યો હતો. કરોડોની જમીન પચાવી પાડવાના આક્ષેપ થયા છે. તેવામાં 9 મેના રોજ હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે ઋષિ ભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો(Fake account and documents) બનાવ્યાનો આક્ષેપ સાથે અરજી કરી હતી. હરિહરાનંદ બાપુ ગુમ થયા હતા. કરોડોની મિલકત અને સત્તાને લઈને અમદાવાદ સ્થિત ભારતી આશ્રમ અત્યારે વિવાદમા ચાલી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.