Reaction of Ayesha Father : આઇશાના પિતાએ જમાઇને થયેલી સજા વિશે શું આપી પ્રતિક્રિયા જાણો

author img

By

Published : Apr 28, 2022, 7:39 PM IST

Reaction of Ayesha Father : આયેશાના પિતાએ જમાઇને થયેલી સજા વિશે શું આપી પ્રતિક્રિયા જાણો
Reaction of Ayesha Father : આયેશાના પિતાએ જમાઇને થયેલી સજા વિશે શું આપી પ્રતિક્રિયા જાણો ()

સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરનાર આઇશા નામની યુવતીના કેસમાં (Ayesha suicide case 2021) આરોપી જમાઇને કોર્ટે (Ahmedabad Sessions Court) સજા ફટકારી છે. ત્યારે આ અંગે આઇશાના પિતાએ શી પ્રતિક્રિયા (Reaction of Ayesha's Father ) આપી તે જાણવા વાંચો અહેવાલ.

અમદાવાદ- અમદાવાદના બહુ ચર્ચાસ્પદ આઇશા આત્મહત્યા કેસને એક વર્ષ સુધી ફાસ્ટટ્રેકમાં (Ahmedabad Sessions Court) ચલાવીને આઇશાના પતિ આરોપી આરીફખાનને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. જેને લઇને આઇશાના પિતાની પ્રતિક્રિયા (Reaction of Ayesha's Father ) સામે આવી હતી. આઇશાના પિતા રિયાકતઅલી મકરાણી આઇશાના પતિને થયેલી સજાના ચૂકાદાને સાંભળીને (Ayesha father reacted to the punishment meted out to his son-in-law) રડી પડ્યા હતાં. તેમણે કહ્યું કે આજે મારી દીકરી આઇશાને ન્યાય મળી ગયો છે.

આજે મારી દીકરી આઇશાને ન્યાય મળી ગયો

આ પણ વાંચોઃ આઈશા આત્મહત્યા કેસમાં સેસન્સ કોર્ટેનો મોટો ચુકાદો, જાણો શું આપવામાં આવી સજા

આઇશાના પિતાએ (Reaction of Ayesha's Father ) વધુમાં કહ્યું કે ભગવાન કોઈને અન્યાય થવા દેતા નથી. કોર્ટે સજા કરી છે તેે પૂરતી છે અને ન્યાયિક (Ayesha father reacted to the punishment meted out to his son-in-law) છે. હવે દેશમાં આવી બીજી કોઈપણ આયશા જેવી દીકરીઓ આવી ઘટનાનો ભોગ ન બને એવી પણ તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું કેે તેમને કોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. તેના થકી જ આજે મારી આઇશા જ્યાં પણ હશે ત્યાં ખુશ હશે એવું તેમણેે કહ્યું હતું.

આ પણ વાંચોઃ 'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો

શું છે મામલો - અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવી આઈશાએ આત્મહત્યા (Ayesha suicide case 2021) કરી હતી. પતિ અને સાસરી પક્ષના ત્રાસથી દુઃખી આઇશાએ સાબરમતી નદીમાં આઈશાએ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. તે પહેલાં આઇશાએ પોતાની વાત કહેવા વિડીયો હસતાં મોંએ બનાવ્યો હતો. આ વીડિયો આઇશાએ તેના પતિને મોકલ્યો હતો તો આપઘાત કરવા પહોંચેલી આઇેશાને તેના પતિએ એમ કહ્યું હતું કે આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દેેજે.

2018માં થયાં હતાં લગ્ન- નોંધનીય છે કે વટવામાં રહેતા અને સિલાઈકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની દીકરી આઇશાના લગ્ન 2018માં રાજસ્થાનમાં રહેતા આરીફખાન સાથે થયા હતાં. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયા દહેજ બાબતે સતત ત્રાસ આપતા હતાં. આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરવામાં આવ્યો હતો.

બનાવના દિવસે શું થયું હતું -2019થી આઇશા પિયરમાં રહીને ખાનગી બેંકમાં નોકરી કરવા લાગી હતી. આઇશા નોકરી પર હતી ત્યારે તેણે પોતાના પિતાને ફોન કરીને કહ્યું કે પતિ આરિફને ફોન કરીને વાત કરી પણ આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી. હું આત્મહત્યા (Ayesha suicide case 2021) કરી લઈશ તેવું આઇશાએ કહેતાં આરીફે આઇશાને કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા અને પૂરાવાના ભાગરૂપે મને વીડિયો મોકલી દેજે.જેને પગલે આઇશાએ નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.