ETV Bharat / city

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનો કટાક્ષ

author img

By

Published : Oct 8, 2022, 6:39 PM IST

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનો કટાક્ષ
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનો કટાક્ષ

ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક અને પ્રભારી રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત (Rajasthan CM Ashok Gehlot) ને ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનો કટાક્ષ સાંભળવાનો આવ્યો છે. રાજસ્થાની બેરોજગારોનો ગુજરાત કોંગ્રેસ સામે વિરોધને પગલે આ પ્રતિક્રિયા ( Pradeepsinh Vaghela reaction ) સામે આવી હતી.

અમદાવાદ ગુજરાતમાં હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections )નો માહોલ પૂરબહારથી જામ્યો છે. એક તરફ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વચનોની લ્હાણી કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસભવન પર રાજસ્થાનીઓનો વિરોધ સામે ( Rajasthanis protest at Congress Office Ahmedabad) આવ્યો હતો. આ સમયે રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર હોવા છતાં રોજગારી નહીં મળતી હોવાના આક્ષેપ સાથે રાજસ્થાનના બેરોજગારો પદયાત્રા કરીને અમદાવાદ આવ્યા છે. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતનો વિરોધ કર્યો હતો. આ મામલે ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ પોતાનું નિવેદન ( Pradeepsinh Vaghela reaction ) આપ્યું હતું.

અશોક ગેહલોત જૂઠું બોલે છે તેનો પર્દાફાશ થયો છે

ગુજરાતમાં સૌથી વધુ રોજગારી રાજસ્થાની યુવાનો મેળવે છે પ્રદીપસિંહ વાઘેલા ( Pradeepsinh Vaghela reaction ) એ જણાવ્યું હતું કે 'રાજસ્થાન મુખ્યપ્રધાન અશોક ગેહલોત ગુજરાતમાં આવે ત્યારે ગુજરાત અને રાજસ્થાન મોડલની સરખામણી કરે છે. એ કહેવું બિલકુલ પણ ખોટું નથી કે ગુજરાતમાં સૌથી વધુ રોજગારી રાજસ્થાનના યુવાનો અને લોકો મેળવે છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારથી અત્યાર સુધી ગુજરાતમાં રોજગારી મળે છે. દેશમાં ગુજરાતની રોજગારી એક નંબરે જોવા મળે છે.'

અશોક ગેહલોત જૂઠું બોલે છે તેનો પર્દાફાશ થયો પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું કે( Pradeepsinh Vaghela reaction ) 'જ્યારે રાજસ્થાનમાં વિકાસના નામે મીંડું જોવા મળે છે. રાજસ્થાનના યુવાનો ગુજરાત અમદાવાદ ખાતે આવીને રજૂઆત કરે છે. એટલે અશોક ગેહલોત જૂઠું બોલે છે. આજે 1 કરોડથી વધુ અન્ય રાજ્યના લોકો ગુજરાતમાં આવે છે. અશોક ગેહલોત જૂઠું બોલે છે તેનો પર્દાફાશ થયો છે. એટલે જ રાજસ્થાનના યુવાનોને ગુજરાતમાં આવીને વિરોધ ( Rajasthanis protest at Congress Office Ahmedabad) કરવો પડી રહ્યો છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.