ETV Bharat / city

રાજસ્થાનના બેરોજગાર યુવાનો દાંડી યાત્રા કરી પહોંચ્યા અમદાવાદ, CM ગેહલોતનો કર્યો વિરોધ, પોલીસે કરી અટકાયત

author img

By

Published : Oct 8, 2022, 11:22 AM IST

Updated : Oct 8, 2022, 3:56 PM IST

રાજસ્થાનના બેરોજગાર યુવાનો દાંડી યાત્રા કરી પહોંચ્યા અમદાવાદ, CM ગેહલોતનો કર્યો વિરોધ, પોલીસે કરી અટકાયત
રાજસ્થાનના બેરોજગાર યુવાનો દાંડી યાત્રા કરી પહોંચ્યા અમદાવાદ, CM ગેહલોતનો કર્યો વિરોધ, પોલીસે કરી અટકાયત

રાજસ્થાનના બેરોજગાર યુવાનો મુખ્યપ્રધાન અશોક ગેહલોતનો (CM Ashok Gehlot) વિરોધ કરતા કરતા હવે અમદાવાદ પહોંચ્યા છે. અહીં તેમણે કૉંગ્રેસ ભવનની (Congress Bhavan Ahmedabad) બહાર અશોક ગેહલોત સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદ રાજસ્થાનમાં બેરોજગાર યુવાનોની (Rajasthan unemployed) ધીરજ હવે ખૂટી ગઈ છે. તેઓ હવે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતનો (CM Ashok Gehlot) વિરોધ કરવા માટે અમદાવાદ પહોંચ્યા છે. અહીં 200થી વધુ લોકોએ કૉંગ્રેસ ભવનનો ઘેરાવ કરીને બહાર વિરોધ (Rajasthan unemployed protest ) પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ બેરોજગાર યુવાનોએ અશોક ગેહલોત (CM Ashok Gehlot) વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ (protest against CM Ashok Gehlot) કર્યા હતા.

રાજસ્થાનમાં બેરોજગાર યુવાનોની ધીરજ હવે ખૂટી

દાંડી યાત્રા યોજી પહોંચ્યા અમદાવાદ રાજસ્થાન બેરોજગાર યાત્રા સંઘ દ્વારા બનાસકાંઠા પાલનપુરથી અમદાવાદ સુધી દાંડી યાત્રા યોજવામાં આવી હતી. જોકે, તેમને મંજૂરી ન હોવાથી પોલીસે તેમની અટકાયત કરી હતી. રાજસ્થાનના 33 જિલ્લાથી આ બેરોજગારો યુવાનો (Rajasthan unemployed) અહીં આવી પહોંચ્યા હતા.

Last Updated :Oct 8, 2022, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.