ETV Bharat / city

PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અને અમિત શાહ પણ અમદાવાદમાં, સંયોગ કે આયોજન?

author img

By

Published : Mar 11, 2022, 4:24 PM IST

Updated : Mar 11, 2022, 7:32 PM IST

PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અને અમિત શાહ પણ અમદાવાદમાં, સંયોગ કે આયોજન?
PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અને અમિત શાહ પણ અમદાવાદમાં, સંયોગ કે આયોજન?

PM મોદી (PM Modi Gujarat Visit)અને RSS પ્રમુખ મોહન ભાગવત અમદાવાદમાં છે. અમિત શાહ પણ અમદાવાદ આવવાના છે. ત્યારે આ પાછળ કોઇ આયોજન છે કે પછી ફક્ત સંયોગ છે તે પ્રશ્ન છે. કહેવામાં આવી રહ્યું છે કે PM મોદી મોહન ભાગવત અને અમિત શાહ અમદાવાદમાં ગુપ્ત બેઠક કરશે.

અમદાવાદ: ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં ચૂંટણી (Assembly Elections 2022)માં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી જીતનો જશ્ન મનાવવા અમદાવાદમાં રોડ શો (PM Modi Ahmedabad Roadshow) કરી રહ્યાં છે. બીજી બાજુ અમદાવાદમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં RSSના વડા મોહન ભાગવત (rss chief mohan bhagwat) હાજર રહ્યાં છે. ગુજરાતમાં આાગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં જીત મેળવવા માટે વડાપ્રધાન સાંસદો, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે અને ચૂંટણીમાં જીત મેળવવા માટેનું માર્ગદર્શન આપશે.

લઘુ ઉદ્યોગોને વેગવંતા બનાવવા અંગે ચર્ચા થશે

વડાપ્રધાન સાંસદો, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે.

દેશભરમાં અત્યારે 55 હજાર સ્થાનો ઉપર સંઘની પ્રવૃત્તિ (RSS Activities In India) ચાલી રહી છે. જે અવનારા 2 વર્ષમાં 1 લાખ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ સિવાય કેવા પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો (RSS Public awareness programs) સાથે લોકો વચ્ચે જઈ શકાય તે અંગે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સમગ્ર ભારત દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના લઘુ ઉદ્યોગો (Small scale industries in rural areas India)ને કેવી રીતે વેગવંતા બનાવવા તે માટેના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. સંઘના સ્વયંસેવકો આવનારા દિવસોમાં ગ્રામ્ય સ્તરે નાના નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ કામ કરશે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit 2022: PM મોદી કમલમથી નીકળ્યા, હવે રાજભવન જશે

બેઠકમાં 1248 કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાગ લઈ રહ્યા છે

સંઘના સ્વયંસેવકો આવનારા દિવસોમાં ગ્રામ્ય સ્તરે નાના નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ કામ કરશે.
સંઘના સ્વયંસેવકો આવનારા દિવસોમાં ગ્રામ્ય સ્તરે નાના નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ કામ કરશે.

કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી પ્રતિનિધિ સભા યોજાઈ નહોતી. જો કે હવે દેશભરમાં કોરોના (Corona In India)ની અસર ઓસરી છે અને પરિસ્થિતિમાં સુધારો થયો છે. ત્યારે આ બેઠક ગુજરાતના અમદાવાદના પીરાણા (RSS Meeting In Pirana Ahmedabad)ખાતે મળી રહી છે. આ બેઠકમાં 1248 કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં અખિલ ભારતીય કાર્યવાહી મંડળના પ્રતિનિધિઓ જેમાં પ્રાંત સ્તરના સંઘની મુખ્ય જવાબદારી સંભાળી રહેલા હોદ્દેદારો, જેમાં પ્રચાર, સેવા, બૌદ્ધિક, શારીરિક વિભાગ હોદ્દેદારો ભાગ લઈ રહ્યા છે.

PM મોદી, અમિત શાહ અને મોહન ભાગવતની ગુપ્ત બેઠક મળશે?

PM નરેન્દ્ર મોદી તથા ગૃહપ્રધાન અમિત શાહ પણ અમદાવાદ (Amit Shah In Ahmedabad)માં છે. તો આ સમય દરમિયાન જ અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક યોજાઈ રહી છે. સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આગામી 2022ની ચૂંટણીને લઈને PM મોદી, અમિત શાહ, તેમજ RSS વડા મોહન ભાગવત પીરાણા ખાતે એક ગુપ્ત બેઠક યોજશે.

આ પણ વાંચો: PM Modi Gujarat visit: PM Modi 5 વર્ષ પછી પધાર્યા કમલમ્

2025માં RSSને પૂર્ણ થઈ રહ્યા છે 100 વર્ષ

PM મોદી, અમિત શાહ, તેમજ RSS વડા મોહન ભાગવત પીરાણા ખાતે એક ગુપ્ત બેઠક યોજશે.
PM મોદી, અમિત શાહ, તેમજ RSS વડા મોહન ભાગવત પીરાણા ખાતે એક ગુપ્ત બેઠક યોજશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકમાં શતાબ્દી વર્ષની ઉજવણીના કાર્યક્રમો અંગે રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે. વર્ષ 2025માં સંઘના 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજાવાના છે. પીરાણા ખાતે આવેલા નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે સંઘની ત્રી-દિવસીય રાષ્ટ્રીય પ્રતિનિધિની બેઠક યોજાશે. 11થી 13 માર્ચ સુધી યોજાનારી બેઠકમાં 7 માર્ચથી જ સંઘના વડા મોહન ભાગવત આવી ચૂક્યા છે.

Last Updated :Mar 11, 2022, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.