ETV Bharat / city

અરે વાહ, શહેરના આ રેલવે સ્ટેશનોને મળી નવી ટ્રેન, પ્રવાસીઓને ફાયદો

author img

By

Published : Jul 4, 2022, 8:42 AM IST

અમદાવાદમાં રેલવેમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે રેલવે તંત્રએ 3 રેલવે સ્ટેશનોને નવી ટ્રેન ફાળવી છે. અમદાવાદના ચાંદલોડિયા, આંબલી અને સાબરમતી રેલવે સ્ટેશન પર આ ટ્રેનોના સ્ટોપેજ (Train stoppage at railway station) આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અરે વાહ, શહેરના આ રેલવે સ્ટેશનોને મળી નવી ટ્રેન, પ્રવાસીઓને ફાયદો
અરે વાહ, શહેરના આ રેલવે સ્ટેશનોને મળી નવી ટ્રેન, પ્રવાસીઓને ફાયદો

અમદાવાદઃ રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર (Good News for Railway Passengers) આવ્યા છે. કારણ કે, રેલવે તંત્ર દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા રેલવે સ્ટેશન (New Stoppage at Chandlodia Railway Station) પર 5 જોડી ટ્રેનોના સ્ટોપેજ, આંબલી રોડ સ્ટેશન (New stoppage at Ambli Road station) પર 2 જોડી અને સાબરમતી રેલવે સ્ટેશન (New stoppage at Sabarmati railway station) પર 2 જોડી ટ્રેનોના સ્ટોપેજ (Train stoppage at railway station) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર
રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર

ડાઉન ટ્રેનોનો સમય અને ક્યાંથી ઉપડશે, જૂઓ

  • ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 8મી જુલાઈ, 2022થી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 18:27/18:29 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08:47/08:49 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનનો 5 જુલાઈ 2022થી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08:47/08:49 49 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલીક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22:37/22:39 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી તાત્કાલીક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 05:37/05:39 કલાકે રહેશે.
  • ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી આંબલી રોડ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 11:10/11:12 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 5 જુલાઈ, 2022થી આંબલી રોડ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 18:19/18:21 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22:16/22:18 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 15270 અમદાવાદ-મૂઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનનો 9 જુલાઈ, 2022થી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17:48/17:50 કલાક રહેશે.

આ પણ વાંચો- HM Amit Shah in Ahmedabad : અમિત શાહે અમદાવાદમાં કર્યાં રેલવે વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા સ્ટોપેજ શરુ થયાં

અપ ટ્રેનોનું ટાઈમટેબલ

  • ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 4 જુલાઈ, 2022થી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 07:40/07:42 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 11463 સોમનાથ–જબલપુર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17:53/17:55 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 11465 સોમનાથ–જબલપુર એક્સપ્રેસ ટ્રેન 4થી જુલાઈ, 2022થી ચાલદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17:53/17:55 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 19218 વેરાવળ - બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન તાત્કાલીક અસરથી ચાલદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 19:15/19:17 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 22946ઓખા - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ તાત્કાલીક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 19:40/19:42 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 19120 સોમનાથ - અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તાત્કાલિક અસરથી આંબલી રોડ સ્ટેશનપર આગમન/પ્રસ્થાનનો સમય 15:45/15:47 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન 6ઠ્ઠી જુલાઈ, 2022થી આંબલી રોડ સ્ટેશનપર આગમન/પ્રસ્થાનનો સમય 09:49/09:51 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 14707 બીકાનેર-દાદર એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22:01/22:03 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 9 જુલાઈ 2022 થી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 07:13/07:15 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 14707/8 બીકાનેર-દાદર અને ટ્રેન નંબર 15269/70 મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સાબરમતી સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Ahmedabad Railway Freight : અમદાવાદ રેલમંડળે કમાણીમાં 82 દિવસમાં મેળવી આવડી મોટી રકમ

સ્ટેશનોનું નવીનીકરણ અને નવી ટ્રેન - ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મંડળમાં રેલવેમાં સ્ટેશનના નવીનીકરણ (Renovation of Railway Station in Ahmedabad), નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર, રેલવે ઓવરબ્રિજ વગેરેનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. કેન્દ્રિય નેતાઓ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવે છે અને આ સ્ટેશનો પર નવી ટ્રેનો પણ ફાળવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.