ETV Bharat / city

કાંકરિયા તળાવમાં માતા પૂત્રીએ લગાવી મોતની છલાંગ, પોલીસને ઘરકંકાશની શંકા

author img

By

Published : Sep 26, 2022, 9:36 AM IST

Updated : Sep 26, 2022, 10:33 AM IST

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં પરિણીત મહિલાએ પોતાની પુત્રી સાથે આત્મહત્યા (mother daughter suicide) કરી લીધી હતી. આ બંનેએ કાંકરિયા (kankaria lake in Ahmedabad) તળાવમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો (Ahmedabad Crime News) હતો. જોકે આત્મહત્યા પાછળનું કારણ (naroda police station ) અકબંધ છે.

કાંકરિયા તળાવમાં માતા પૂત્રીએ લગાવી મોતની છલાંગ, પોલીસને ઘરકંકાશની શંકા
કાંકરિયા તળાવમાં માતા પૂત્રીએ લગાવી મોતની છલાંગ, પોલીસને ઘરકંકાશની શંકા

અમદાવાદ અત્યારે લોકોની સહનશક્તિ ખૂબ જ ઘટતી જાય છે. નાની નાની વાતમાં લોકો આત્મહત્યા જેવું પગલું ભરી લે છે. તેવામાં શહેરમાં નરોડા વિસ્તારની (naroda police station) મહિલાએ પૂત્રી સાથે કાંકરિયા તળાવમાં (kankaria lake in Ahmedabad) ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે (mother daughter suicide) આવ્યું છે. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. અત્યારે તો આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે, પરંતુ પોલીસને કૌટુંબિક કંકાશના કારણે આત્મહત્યા કરી હોવાની શંકા (Ahmedabad Crime News) છે.

મળતી માહિતી અનુસાર, શહેરના કૃષ્ણનગરમાં રહેતાં 27 વર્ષીય ભારતી મોદી તેમની 6 વર્ષની દીકરી જિયા સાથે શાકભાજી લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યાં હતાં. નરોડામાં આવેલા કાંકરિયા તળાવ (kankaria lake in Ahmedabad) પાસે જઈને જ 11 વાગ્યાની આસપાસ તેમણે પૂત્રી સાથે તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. નરોડા પોલીસ (naroda police station) ઘટનાસ્થળે તપાસ કરી તો બંનેના મૃત્યુ થઈ (mother daughter suicide) ગયા હતા. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારને આ અંગે જાણ (Ahmedabad Crime News) કરી હતી.

આ અંગે નરોડાના (naroda police station) પોલીસ ઈન્સ્પેક્ટર કેતન વ્યાસે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ પ્રાથમિક તપાસમાં પારિવારિક કંકાશ હોવાની શક્યતા છે, જેને પગલે વધુ તપાસ હાથ ધરવામાં (mother daughter suicide) આવી છે.

Last Updated :Sep 26, 2022, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.