ETV Bharat / city

અમદાવાદઃ ચાંગોદરની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 18થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

author img

By

Published : Oct 14, 2020, 3:43 PM IST

Updated : Oct 14, 2020, 5:34 PM IST

અમદાવાદ નજીક આવેલા ચાંગોદરના તુલીપ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બ્રિજ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આશરે સાડા બાર વાગ્યાની આસપાસ ફાયર વિભાગને આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જે કોલના આધારે ફાયર વિભાગની 18 જેટલી ગાડીઓએ ઘટનાસ્થળે પહોચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

ચાંગોદરમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 18થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે કામે લાગી
ચાંગોદરમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 18થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે કામે લાગી

અમદાવાદ : અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા ચાંગોદર નજીક તુલીપ એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો છે. આગ એટલી ભીષણ હતી કે, ધૂમાડાના ગોટા દૂરદૂર સુધી જોવા મળ્યાં હતાં. કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગના પગલે ફાયર વિભાગની 18 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ઘર્યા છે. પરંતુ આગ કેમિકલમાં લાગી હોવાથી ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

બપોરે સાડા બારથી લાગેલી આગ પર કાબૂ મેળવવા ફાયરવિભાગના પ્રયત્નો ચાલુ છે

ભીષણ આગના પગલે અમદાવાદ ફાયર વિભાગના 3 ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોચ્યાં છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આગ એટલી ભીષણ છે કે આગ પર કાબૂ મેળવવા માટે હજુ ફાયર વિભાગને આશરે ત્રણ કલાક જેટલો સમય લાગી શકે છે.

Last Updated :Oct 14, 2020, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.