ETV Bharat / city

કિશન હત્યા કેસ હવે પ્રિન્સિપલ કોર્ટમાં ચાલશે, GUJCTOC કાનૂન લાગુ કરવામાં આવ્યો

author img

By

Published : Feb 2, 2022, 9:46 PM IST

કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharvad murder case)મા નવો વળાંક આવ્યો છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં આ કેસ ચાલશે. તમામ આરોપીઓ સામે GUJCTOC કાનૂન લાગુ કરવામાં આવ્યો છે.

કિશન હત્યા કેસ હવે પ્રિન્સિપલ કોર્ટમાં ચાલશે, GUJCTOC કાનૂન લાગુ કરવામાં આવ્યો
કિશન હત્યા કેસ હવે પ્રિન્સિપલ કોર્ટમાં ચાલશે, GUJCTOC કાનૂન લાગુ કરવામાં આવ્યો

અમદાવાદ: પ્રાપ્ત વિગતો મુજબ કિશન ભરવાડ હત્યા કેસ(Kishan Bharvad murder case)ના ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામ આરોપી, મૌલાના અયુબ અને મૌલાના કમરગાની ઉસ્માની સામે કલમ ઉમેરી છે. ATSએ આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) 3(1)(1) અને 3(2) ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ ઉમેરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં મંગળ પર મળતા કણો જેવો પદાર્થ મળી આવ્યો: નાસાના વૈજ્ઞાનિકો DNA ટેસ્ટ કરી શોધશે સંબંધ

પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ કોર્ટમાં કેસ

આની સાથે હવે તમામ આરોપીઓ સામે GUJCTOCની ધારા પણ લગાવવામાં આવી છે. સામન્ય રીતે જોઈએ તો આરોપીઓ છટકી જતા હોય છે, પરંતુ ગુજસીટોક જેવા કડક કાયદા અમલને કારણે કોઈપણ આરોપીઓને સજા અપાવી શકાય છે. આ કેસમાં પણ ગુજસીટોક લાગુ કરવામાં આવ્યો છે, અને માન્ય રાખવામાં આવ્યો છે તેને કારણે આ આખો કેસ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ (Principal district court)માં ચાલશે.

આ પણ વાંચો: Rahul Gandhi on Budget 2022: રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું, ભારતમાં ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ વધી રહી છે

આરોપીઓને શું સજા થઈ શકે છે?

ગુજસીટોક કાનૂન લાગુ કરવાના કારણે તમામ આરોપીઓને આકરામાં આકરી સજા થઈ શકે છે. જેમાં જન્મથી માંડી ફાંસી સુધીની આવનારા સમયમાં થઈ શકે છે. કોઈપણ ગુનામાં સામાન્ય રીતે ઇન્વેસ્ટિગેશન માં પોલીસે 90 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે પરંતુ ગુજસીટોક લાગે છે, ત્યારે છ મહિના જેટલો લાંબો સમય ચાર્જશીટ રજૂ કરવામાં મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.