ETV Bharat / city

ગુજરાત NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત પટેલની નિમણૂક, શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યાં

author img

By

Published : Jun 2, 2020, 6:35 PM IST

નેશનલ કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જયંત પટેલ (બોસ્કી)ના નામની જાહેરાત કરી છે. અગાઉ પણ જયંત પટેલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેેની જવાબદારી નીભાવી ચૂક્યાં છે. તેઓ હવે શંકરસિંહ વાઘેલાની જગ્યા લેશે. NCP શરદ પવારે જયંત પટેલની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે.

ગુજરાત NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત પટેલની નિમણૂક,  શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યાં
ગુજરાત NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત પટેલની નિમણૂક, શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યાં

અમદાવાદઃ જયંત પટેલના નામની જાહેરાત થવાની સાથે જ હવે શંકરસિંહ વાઘેલાને તેમની સાથે મળીને ગુજરાતમાં પાર્ટી માટે કામ કરવાનું રહેશે. શંકરસિંહનું પાર્ટીમાં કદ ઘટતાં તેઓ કંઈ નવાજૂની કરવાના મિજાજમાંં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તેમણે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટની પ્રોફાઈલ પરથી NCP નેતા તરીકેની ઓળખ હટાવીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે પોતાને રજૂ કર્યા છે. અગાઉ શંકરસિંહ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોતાને NCPના જનરલ સેક્રેટરી તરીકે રજૂ કરતાં હતાં. તમને જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલાને ગુજરાતના રાજકારણમાં 4 દાયકાથી વધુનો અનુભવ છે.

શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય સભ્ય હતા. તેમણે ગુજરાતમાં RSSના સ્વયંસેવક તરીકે અને ભાજપમાં સંગઠન વિસ્તારવાનું મોટુ કામ કર્યું હતું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.

ગુજરાત NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત પટેલની નિમણૂક,  શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યાં
ગુજરાત NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત પટેલની નિમણૂક, શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યાં
શંકરસિંહ 1980થી 1991 સુધી ગુજરાત ભાજપના મહામંત્રી અને પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યાં છે. જો કે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 121 બેઠકો હાંસલ કરીને સત્તા મેળવી અને કેશુભાઈને મુખ્યપ્રધાન બનાવવામાં આવતાં તેઓ નારાજ થયાં હતાં. આ નારાજગીના કારણે શંકરસિંહ વાઘેલા 20 ઓગસ્ટ, 1996માં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. જે બાદ તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) તરીકે નવી પાર્ટી બનાવી હતી, પરંતુ તેમના મોટાભાગના સાથીઓ પાછા ભાજપમાં ભળી જતાં તેમણે કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો.
ગુજરાત NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત પટેલની નિમણૂક,  શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યાં
ગુજરાત NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત પટેલની નિમણૂક, શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યાં

2017ની વિધાનસભા ચૂંટણી પહેલા જ તેમણે કોંગ્રેસ સાથે પણ છેડો ફાડીને જનવિકલ્પ પાર્ટી બનાવીને 100 બેઠકો પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે તેમની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જે બાદ 2019ની લોકસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાયાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.