ETV Bharat / city

Jagannath Rathyatra 2022: 145 વર્ષે બદલાશે ભગવાન જગન્નાથજીનો રથ, રથમાં હશે અનેક વિશેષતા

author img

By

Published : May 3, 2022, 3:42 PM IST

Jagannath Rathyatra 2022: 145 વર્ષે બદલાશે ભગવાન જગન્નાથજીનો રથ, રથમાં હશે અનેક વિશેષતા
Jagannath Rathyatra 2022: 145 વર્ષે બદલાશે ભગવાન જગન્નાથજીનો રથ, રથમાં હશે અનેક વિશેષતા

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે (Jagannath Rathyatra 2022) આ વર્ષે નવા રથનું નિર્માણ કરવામાં આવશે. ત્યારે આજે અખાત્રિજના પાવન અવસરે ભગવાનના ત્રણેય રથનું પૂજન (Worship of Lord Jagannathji chariot) કરવામાં આવ્યું હતું.

અમદાવાદઃ શહેરમાં આ વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Jagannath Rathyatra 2022) યોજાશે. ત્યારે આજે અખાત્રિજના પાવન અવસરે ભગવાનના ત્રણેય રથનું પૂજન (Worship of Lord Jagannathji chariot) કરવામાં આવ્યું હતું. જોકે, આ વખતે 145 વર્ષ બાદ ભગવાન જગન્નાથજીનો રથ બદલાશે. જ્યારે રથયાત્રા દરમિયાન ભગવાનના આ જૂના રથને ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવશે. આ વર્ષની રથયાત્રા (Jagannath Rathyatra 2022) પૂર્ણ થયા પછી નવા રથનું નિર્માણ કાર્ય શરૂ થશે.

રથયાત્રામાં દરેક જગ્યાથી ભગવાનના દર્શન કરી શકાશે

નવા રથની વિશેષતા - આ વખતે ભગવાન જગન્નાથજી માટે નવા રથનું નિર્માણ (New chariot for Lord Jagannathji) કરવામાં આવશે. આ નવા રથ ખાસ પ્રકારની વિશેષતા સાથેના જોવા મળી આવશે. તો દરેક રથમાં સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે.

2 વર્ષ પછી ભગવાન નીકળશે નગરચર્યાએ- દેશની સુપ્રસિદ્ધ ઓડિશા જગન્નાથ રથયાત્રા બાદ અમદાવાદની રથયાત્રા ગણવામાં આવે છે. આ રથયાત્રામાં દેશવિદેશથી ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરના 145 વર્ષ જૂના રથની જગ્યાએ હવે આગામી વર્ષે નવા રથનું નિર્માણ (New chariot for Lord Jagannathji) કરવામાં આવશે.

2 વર્ષ પછી ભગવાન નીકળશે નગરચર્યાએ-
2 વર્ષ પછી ભગવાન નીકળશે નગરચર્યાએ-

રથયાત્રામાં દરેક જગ્યાથી ભગવાનના દર્શન કરી શકાશે - અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે (Ahmedabad Jagannath Temple Mahant Dilipdasji Maharaj) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા રથનું નિર્માણ એવી રીતે કરવામાં (New chariot for Lord Jagannathji) આવશે કે, ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે નગરજનો પોતાની અગાશી પર બેસીને પણ ભગવાનના દર્શન કરી (Jagannath Rathyatra 2022) શકશે.

આ પણ વાંચો- Jagannath Rath Yatra 2022 : જગન્નાથ રથયાત્રામાં ભક્તોને મળશે નવુ નજરાણું, તડામાર તૈયારીઓ થઈ ચાલુ

વલસાડી સાગનો ઉપયોગ કરાશે - ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજી ત્રણેયના રથ (Jagannath Rathyatra 2022) બનાવવામાં આવશે, જેમાં વલસાડની આસપાસના વિસ્તારના સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે. આ રથનું રૂપ જૂના રથ અને તેમના માપમાં જ બનાવવમાં આવશે, પરંતુ તેનું રૂપ જગન્નાથ પૂરીના જે રથ છે. તે પ્રમાણે બનવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો- Jagannath Temple Ahmedabad: ભગવાન જગન્નાથને શિયાળામાં પહેરાવાયા આ ખાસ વસ્ત્રો

અમદાવાદ અને ઓડિશાના કારીગરો સાથે મળીને કામ કરશે- આ રથનના નિર્માણમાં ઓડિશાના કારીગરો અને અમદાવાદના કારીગરો સાથે મળીને કામ કરશે. જ્યારે જૂના રથ નગરજનોના દર્શન માટે મૂકવામાં આવશે અને નવા રથમાં (New chariot for Lord Jagannathji) ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.