ETV Bharat / city

Jagannath Rathyatra 2022 : જગન્નાથના દર્શને ઉમટ્યાં રાજકીય પક્ષોના નેતાઓ, કામનાઓ કરી વ્યક્ત

author img

By

Published : Jun 30, 2022, 8:51 PM IST

Jagannath Rathyatra 2022 : જગન્નાથના દર્શને ઉમટ્યાં રાજકીય પક્ષોના નેતાઓ, કામનાઓ કરી વ્યક્ત
Jagannath Rathyatra 2022 : જગન્નાથના દર્શને ઉમટ્યાં રાજકીય પક્ષોના નેતાઓ, કામનાઓ કરી વ્યક્ત

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાના (145 Jagannath Rathyatra) ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરમાં (Jagannath Rathyatra 2022) ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સવારેથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે જગન્નાથના દર્શને આપ નેતાઓ, ગાયકો સહિતના લોકો ભગવાન જગન્નાથ દર્શન (Leaders of political parties flocked to Jagannath Darshan) કરી ધન્યતા અનુભવી રહ્યા છે

અમદાવાદ : દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિર (Jagannath Rathyatra 2022)ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી ભક્તો જગતના નાથના દર્શન કરવા માટે લાંબી લાઈનમાં (Leaders of political parties flocked to Jagannath Darshan) જોવા મળી આવ્યા હતાં. મંદિરના મહંત હસ્તે ગજરાજોનું પૂજન કરવામાં આવ્યું હતું. રથનું પૂજન પરંપરા અનુસાર વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

ભગવાનના દર્શનાર્થે રાજકીય પક્ષોના અગ્રણીઓ ભેટપ્રસાદ લઇને આવ્યાં હતાં

રથની આગેવાની ગજરાજ કરશે- પરંપરા મુજબ ભગવાન જગન્નાથ રથયાત્રા આગળ ગજરાજ હોય છે. તેવી રીતે આ વર્ષે પણ 13 જેટલા ગજરાજ રથયાત્રામાં (Jagannath Rathyatra 2022)જોડાશે. આજ સવારે મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાના હસ્તે ગજરાજનું પૂજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના દિવસે ગજરાજ વિશેષ આભૂષણોથી શણગારવામાં આવતા હોય છે. ગજરાજ ઉપર પેઈન્ટિંગ કરવામાં આવતું હોય છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ જ હોય છે.

આ પણ વાંચોઃ jagannath rathyatra 2022 : આવતીકાલે રંગેચંગે નીકળશે 145મી રથયાત્રા, એક જ ક્લિકમાં એ બધું જ જાણો જે મહત્ત્વનું છે

વિપક્ષ નેતાએ કર્યુ રથનું પૂજન-રથયાત્રાની પરંપરા મુજબ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર રથનું પૂજન કર્યું હતું અને ભગવાન જગન્નાથની 145 કિલો લાડુનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો. ગુજરાત કૉંગ્રેસના વિપક્ષ નેતા,પ્રદેશ પ્રમુખ,સિદ્ધાર્થ પટેલ,અર્જુન મોઢવાડીયા,ધારાસભ્યો સહિતના નેતા ઉપસ્થિત (Leaders of political parties flocked to Jagannath Darshan) રહ્યાં હતાં.સાથે ગુજરાતમાં સુખ શાંતિ અને ભાઈચારો બન્યો રહે તેવી (Jagannath Rathyatra 2022)પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022: લોકગાયિકાએ દર્શન પછી સંભળાવ્યું વિશેષ ગીત

આમ આદમી પાર્ટીએ કર્યા જગન્નાથજીના દર્શન -ગુજરાતમાં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા,ઇશુદાન ગઢવી (AAP Leaders at Jagannath Temple ) સહિતના નેતા તેમજ કાર્યકતા સાથે ભગવાન જગન્નાથના દર્શન (Leaders of political parties flocked to Jagannath Darshan) કરવા હાજર રહ્યા હતાં. ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમા કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra 2022)નીકળી રહી છે. મંદિર દર્શન કરી પ્રભુને પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં આરોગ્ય,શિક્ષણ સારું બની રહે અને આમ આદમી પાર્ટીને લડવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.