ETV Bharat / city

Inspiration: અમદાવાદના 15 વર્ષના દિવ્યાંગ બાળકે પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી કઈ રીતે રેકોર્ડ બનાવ્યા, જુઓ

author img

By

Published : Nov 29, 2021, 10:52 AM IST

દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ લોકો કોઈક વાર એવું કામ કરી જાય છે, જે લોકોને પ્રેરણા આપે છે અને યાદ રહી જાય છે. દિવ્યાંગ હોવા છતાં તેઓ પોતાની હિંમતથી અનેક સિદ્ધિઓ હાંસલ કરે છે. આવી જ વાર્તા છે અમદાવાદના એક દિવ્યાંગ બાળક (Disabled child from Ahmedabad) ઓમ વ્યાસની, જેના નામે અનેક રેકોર્ડ (Disabled child from Ahmedabad made a record) છે. આ દિવ્યાંગ બાળકે માત્ર 15 વર્ષની વયે (15 year old Disabled child) 2,000 જેટલા સંસ્કૃતના શ્લોક, ગીતાના 18 અધ્યાય અને અનેક આધ્યાત્મિક ગ્રંથો કંઠસ્થ (spiritual knowledge) કરેલા છે. આ ઉપરાંત તેને અનેક સર્ટિફિકેટ પણ મળેલા છે.

Inspiration: અમદાવાદના 15 વર્ષના દિવ્યાંગ બાળકે પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી કઈ રીતે રેકોર્ડ બનાવ્યા, જુઓ
Inspiration: અમદાવાદના 15 વર્ષના દિવ્યાંગ બાળકે પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી કઈ રીતે રેકોર્ડ બનાવ્યા, જુઓ

  • અમદાવાદના દિવ્યાંગ ઓમ વ્યાસે પોતાના નામે અનેક રેકોર્ડ કર્યા
  • માનસિક રીતે અસ્વસ્થ અને દિવ્યાંગ હોવા છતાં રેકોર્ડ બનાવ્યા
  • 2,000થી વધુ સંસ્કૃત શ્લોકો, ગીતાના 18 અધ્યાયની આધ્યાત્મિક વાતો યાદ કર્યા

અમદાવાદઃ રાજ્યમાં અનેક બાળકો દિવ્યાંગ અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોને સરકાર પણ મદદ કરતી હોય છે. તેવામાં અમદાવાદના એક દિવ્યાંગ બાળકે માત્ર 15 વર્ષની વયે (Disabled child from Ahmedabad made a record) અનેક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. અમદાવાદનો દિવ્યાંગ બાળક ઓમ વ્યાસને (Om Vyas, a disabled child from Ahmedabad) આ ઉંમરે 2,000 જેટલા સંસ્કૃતના શ્લોક, ગીતાના 18 અધ્યાય અને વિવિધ આધ્યાત્મિક ગ્રંથો કંઠસ્થ (spiritual knowledge) છે. આ બાળકની ઉંમર ભલે 15 વર્ષની હોય, પરંતુ તેનું મગજ હજી પણ 3 વર્ષના બાળક જેવું છે. તેમ છતાં આ ઉંમરે તેને આધ્યાત્મિક જ્ઞાનના (spiritual knowledge) કારણે અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.

માનસિક રીતે અસ્વસ્થ અને દિવ્યાંગ હોવા છતાં રેકોર્ડ બનાવ્યા

ઓમ વ્યાસને માત્ર આધ્યાત્મિક વાતો જ યાદ રહે છે

આપને જણાવી દઈએ કે, ઓમ વ્યાસ માનસિક રીતે અસ્વસ્થ અને દિવ્યાંગ (Om Vyas, a disabled child from Ahmedabad) છે. તેની ઉંમર 15 વર્ષની છે, પરંતુ મગજ હજી પણ 3 વર્ષના બાળક જેવું છે. તેમ છતાં તેને આધ્યાત્મિક બાબતે (spiritual knowledge) તે ઘણો આગળ છે. તેણે આ ઉંમરે સુંદરકાંડ, ગીતાના 18 અધ્યાય, ઉપનિષદ, શિવમહિમા જેવી આધ્યાત્મિક બાબતો (spiritual knowledge) તેને મોઢે યાદ છે. આ ઉપરાંત તેની આ કળાને આધારે તેને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે, જેમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Records), ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ (Golden Book of Records), ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ (India Book of Records) જેવા અનેક રોકોર્ડ પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત તેને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બાળકે દેશમાં 200 જેટલા સ્ટેજ પર્ફોમન્સ પણ કર્યા છે. જોકે, તેને માત્ર ભક્તિની વાતો જ યાદ રહે છે. આ એક ચમત્કાર પણ કહી શકાય. કારણ કે, તેને બીજી કોઈ પણ વાત યાદ રહેતી નથી, પરંતુ તેને આધ્યાત્મિક (spiritual knowledge) કોઈ પણ વાત હોય તે તેને તુરંત જ યાદ કરી લે છે.

માનસિક રીતે અસ્વસ્થ અને દિવ્યાંગ હોવા છતાં રેકોર્ડ બનાવ્યા
માનસિક રીતે અસ્વસ્થ અને દિવ્યાંગ હોવા છતાં રેકોર્ડ બનાવ્યા

આ પણ વાંચો- Inspiration: જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક Ty BAની પરીક્ષા આપી બન્યો પ્રેરણાસ્ત્રોત

આનો કોઈ ઈલાજ ન હોવાનું ડોક્ટરે કહેતા અમે હિંમત હારી ગયા હતાઃ ઓમના માતાપિતા

દિવ્યાંગ ઓમ વ્યાસના (Om Vyas, a disabled child from Ahmedabad) માતાપિતાએ જણાવ્યું હતું કે, જ્યારે તે 3 વર્ષનો થયો ત્યારે અમને ખબર પડી હતી કે, તે આ પ્રકારની બીમારીથી પીડાય છે, પરંતુ તેની દવા કરાવવા અમે ડોક્ટર પાસે ગયા ત્યારે તમને પણ અમને એવું કહ્યું કે, આ પ્રકારની બીમારીનો કોઈ ઈલાજ નથી. ત્યારે અમે હિંમત હારી ગયા, પરંતુ તેના દાદા દાદી જ્યારે ભજન કે કોઈ આધ્યાત્મિક વાતો કરતા ત્યારે તે તેને તરત જ યાદ કરી લેતો અને ત્યારબાદ અમને ખ્યાલ આવ્યો કે, આ એક સામાન્ય બાળક નથી. એ એક ભગવાનનો ચમત્કાર અમે માનીએ છીએ. ત્યારે 3 વર્ષની ઉંમરમાં 4 વર્ષની ઉંમરમાં તેને સ્ટેજ પર્ફોર્મસ કર્યું હતું. જ્યારે અમે તેને તે દિશામાં આગળ વધવા માટે મદદ કરી હતી અને તેણે અનેક રોકોર્ડ બનાવ્યા છે.

માનસિક રીતે અસ્વસ્થ અને દિવ્યાંગ હોવા છતાં રેકોર્ડ બનાવ્યા
માનસિક રીતે અસ્વસ્થ અને દિવ્યાંગ હોવા છતાં રેકોર્ડ બનાવ્યામાનસિક રીતે અસ્વસ્થ અને દિવ્યાંગ હોવા છતાં રેકોર્ડ બનાવ્યા

આ પણ વાંચો- Baalveer: રાજકોટના મંત્રએ સ્વિમિંગમાં દેશનું નામ રોશન કર્યું

દિવ્યાંગ ઓમ વ્યાસે માતાપિતાની અલગ ઓળખ ઊભી કરી

કહેવત છે કે, અડગ મનના માનવીને કોઈ હરાવી શકતું નથી. તે આ ઓમ વ્યાસે (Om Vyas, a disabled child from Ahmedabad) કરી બતાવ્યું છે. ભલે તે એક માનસિક રીતે અસ્વસ્થ અને દિવ્યાંગ છે, પરંતુ તેણે પોતાના માતાપિતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. જ્યારે તેના માતાપિતાએ કહ્યું હતું કે, સમાજ અમને અલગ નજરથી જોતો હોય છે, પરંતુ અમારા મર્યા પછી આ બાળકનું શુ થશે. એ ચિંતા અમને સતાવી રહી છે. જ્યારે તેમણે કહ્યું હતું કે, આવા બાળક માટે સરકારે અલગથી વ્યવસ્થા રાખવી જોઈએ, જેથી કરીને અમારા જેવા માતાપિતાને કોઈ ચિંતા ન રહે. બીજી તરફ જ્યારે હાલમાં તેના માતાપિતા તેના નામથી ઓળખાય છે. તે એક ગર્વની વાત છે. જ્યારે તેના પિતા કહે છે કે, સમાજને આવા બાળકો માટેની ગેરસમજણ દૂર થાય તે અનેક પ્રયાસો કરી રહ્યો છું. જે પણ માતાપિતાને આવા બાળક જન્મે તો તેને તરછોડવું ન જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.