ETV Bharat / city

Indranil Rajyaguru Joins AAP : ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાઇ ગયાં

author img

By

Published : Apr 14, 2022, 3:15 PM IST

Indranil Rajyaguru Joins AAP : ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાઇ ગયાં
Indranil Rajyaguru Joins AAP : ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાઇ ગયાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં કૉંગ્રેસમાં ગાબડું( Rajkot Congress Set Back) પડ્યું છે. સૌરાષ્ટ્રના બે કદાવર કૉંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ( Indranil Rajyaguru Joins AAP) અને વશરામભાઈ સાગઠિયા કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

અમદાવાદ : કૉંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ (Rajkot Congress Set Back) ગઈકાલે અરવિંદ કેજરીવાલને મળીને આમ આદમી પાર્ટી જોડાવાનો ( Indranil Rajyaguru Joins AAP) નિર્ણય કર્યો હતો.આપમાં જોડાતા જ સૂર બદલીને કહ્યું કે ભાજપ કરતા પહેલાં કૉંગ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ હતો પણ આજ મને આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ (Gujarat Assembly Election 2022 ) લાગે છે.

આપમાં જોડાતા જ સૂર બદલાયા

લોકોની સેવા જ કરવી હોય તો આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ : ઈશુદાન ગઢવી - ઈશુદાન ગઢવીએ (AAp Leader Isudan Gadhvi) જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં જે રીતે આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ શિક્ષા, આરોગ્ય આપવાના લક્ષ્ય રાખી આગળ વધી રહ્યાં છે તેમ તેમ કેજરીવાલના નેતૃત્વથી પ્રભાવિત (Indranil Rajyaguru Joins AAP) થઈને આજ કોંગ્રેસના 3 નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે લોકોને માત્ર જનતાની સેવા જ કરવી હોય તેના માટે આમ આદમી પાર્ટીએ શ્રેષ્ઠ વિકલ્પ છે.

આમ આદમી પાર્ટી જોડાતા સૂર બદલાયા - ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ( Indranil Rajyaguru Joins AAP) આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા જ સૂર બદલાયા હતાં. તેમણે જણાવ્યું હતું કે આજ દેશમાં ભ્રષ્ટાચાર થવો એ ખૂબ જ દુઃખદ પાસું છે. પણ આમ આદમી પાર્ટીની નીતિમાં ખોટ નથી. પંજાબ અને દિલ્હીમાં બહુમતી મેળવીને પુરવાર કરી દીધું કે આ સરકાર ઈમાનદાર સરકાર છે. ભ્રષ્ટાચાર કરતું હોય તો સીધા મુખ્યપ્રધાનને SMS કરવામાં આવે છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ઇન્દ્રનીલ રાજ્યગુરુ

આ પણ વાંચોઃ 500 crore land scam : પ્લોટ સુનિશ્ચિત લોકોને જ આપવામાં આવ્યાં હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ

લોકોને મારો સમય આપવો છે - વધુમાં જણાવ્યું હતું કે સમાજે મને એક ગરીબ બ્રાહ્મણને બદલે સુવ્યવસ્થિત બ્રાહ્મણ તરીકે જીવવાનો મોકો આપ્યો છે. તેથી હું કોઈ પક્ષ માટે નહીં પણ જનતા માટે કામ કરવા માગું છું. જેથી મને પહેલાં ભાજપ કરતા કૉંગ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ લાગતો હતો. પણ આજ મને કૉંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી (Indranil Rajyaguru Joins AAP) શ્રેષ્ઠ વિકલ્પ લાગી રહી છે. તેથી આમ આદમી પાર્ટીમાં ( Indranil Rajyaguru Joins AAP) જોડાયો છુ.

2022માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે :ઇન્દ્રનીલ રાજ્યગુરુ - રાજ્યમાં શિક્ષણના નામે જનતાની લૂંટવામાં આવી રહી છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નથી. જયારે પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોકટર જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર માત્ર જનતાને લૂંટવાનું જ કામ કર્યું છે. એટલે હવે રાજ્યની જનતા પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુકવા તૈયાર છે. એટલે આવનારી 2022 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 )એક ઈમાનદાર પાર્ટીની સરકાર બનશે એ નક્કી જ છે.

વશરામ સાગઠિયા
વશરામ સાગઠિયા

આ પણ વાંચોઃ Rajkot CP Extortion Money Case: ભાજપમાં ભ્રષ્ટાચાર ના કરેતો નેતા ના બની શકે: ઇન્દ્રનીલ

પુષ્કળ મહેનત કરવા છતાં લોકો માટે આપતા નથી : વશરામ -વશરામ સાગઠિયાએ (Vashram Sagthia Joins AAP )જણાવ્યું હતુ કે રાજકોટમાં મહાનગરપાલિકાની પરિસ્થિતિ એવી છે. લોકો પુષ્કળ મહેનત કરવા છતાં કોંગ્રેસને મત (Rajkot Congress Set Back)આપતા નથી. ત્યારે પ્રથમવાર ચૂંટણી (Gujarat Assembly Election 2022 )લડી રહેલી આમ આદમી પાર્ટી રાજકોટમાં બીજા નંબરે આવે છે. આજ પંજાબમાં સરકારી ઓફિસમાં બાબાસાહેબ આંબેડકર અને ભગતસિંહમાં ફોટા લાગવામાં આવે છે.તેથી મને આ સરકારની વિચારધારા પર ગર્વ થાય છે. તેથી હું તો જોડાયો પણ બીજા લોકોને પણ આહવાન કરું છું તમે પણ આવી ઈમાનદાર ભ્રષ્ટાચારમુક્ત આમ આદમી પાર્ટીમાં જોડાવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.