ETV Bharat / city

હિન્દુ સમાજની પરીક્ષા લેવાનું બંધ કરો, વાઘાણીનો કેજરીવાલ પર ટોણો

author img

By

Published : Oct 7, 2022, 10:18 PM IST

દિલ્હીમાં AAPના નેતાના ધર્મપરિવર્તન મામલે ગુજરાતના શિક્ષણ પ્રધાને આમ આદમી પાર આકરા પ્રહાર (Gujarat Education Minister attacked AAP Party) કર્યા હતા. આમ આદમી પાર્ટી હિન્દુ સમાજ પર થુકવાનું કામ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ચાવવામાં અને બતાવના દાંત અલગ છે. ગુજરાતની જનતા આ હિન્દુ ધર્મ વિરોધી પાર્ટીને ગુજરાતમાં પગ પણ નહીં મુકવા દે તેવો વિશ્વાસ છે.

AAP પાર્ટીના ધર્મપરિવર્તન મામલા પર જીતુ વાઘણીના વાઘ બાણ
AAP પાર્ટીના ધર્મપરિવર્તન મામલા પર જીતુ વાઘણીના વાઘ બાણ

અમદાવાદ રાજેન્દ્ર પોલે ધર્માંતરણ કાર્યક્રમ હાજરી આપી મોટી સંખ્યામાં ઉપસ્થતી લોકોને હિન્દુ ધર્મ વિરોધ (Opposition to Hinduism) અને હિન્દુ ધર્મના દેવી દેવતાની પૂજા નહીં કરવાના શપથ ના કાર્યક્રમ હાજરી આપી હતી. જેને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. જેને લઈ ગુજરાત શિક્ષણ પ્રધાને (Gujarat Education Minister) આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.

મ આદમી પાર્ટીના ચાવવામાં અને બતાવના દાંત અલગ છે.ગુજરાતની જનતા આ હિન્દૂ ધર્મ વિરોધી પાર્ટીને ગુજરાતમાં પગ પણ નહીં મુકવા દે તેવો વિશ્વાસ છે.

આઝાદ દેધની સૌથી મોટી ઘટના શિક્ષણ પ્રધાન જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના પ્રધાન રાજેન્દ્ર પોલે એક ધર્માંતરણ કાર્યક્રમમાં હાજરી આપી હિન્દુ દેવી-દેવતાઓના જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભગવાનની પૂજા નહીં કરવાના શપથ લેવડાવવામાં આવ્યા તેવા કાર્યક્રમો હાજરી આપીને રાજેન્દ્ર પોલે હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડી છે.આ આઝાદ ભારતને સૌથી મોટી ઘટના છે. આમ આદમી પાર્ટીએ હિન્દુ સમાજનું અપમાન (Aam Aadmi Party insulted Hindu society) નહીં પણ તેમની ઉપર થુકવાનું કામ કર્યું છે.

હિન્દુ ધર્મની પરીક્ષા લેવાનું બંધ કરો આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું હતું કે, તમારા નાટકનો ચહેરો આજ સમાજની સામે ખુલ્લો પડી ગયો છે. આટલી મોટી ઘટનાઓ થઈ હોવા છતાં અરવિંદ કેજરી વાલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કેમ કરી નથી. આ દેશની ધરતી એ સંતોની ભૂમિ છે. હવે તમે હિન્દુ સમાજની પરીક્ષા લેવાનું બંધ કરો. જો વધુ પરીક્ષા લેશો તો સહન નહીં થાય આવા પ્રકારના કામો ભૂતકાળમાં પણ કરવામાં આવ્યા છે. કશ્મીર ફાઈલ પંડિતોને અનુમાન પર પણ કટાક્ષ કરવામાં આવ્યા હતા. તેથી સાબિત થાય છે. આમ આદમી પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે.

પાડોશી દેશને મજબૂત કરવાનો પ્રયત્ન વધુમાં આક્ષેપક કરતા જણાવ્યું હતું કે આ દેશભક્તિ ભાવ વાળો દેશ છે. આવા પ્રકારના અપમાન ક્યાં સુધી સહન કરશે. પરંતુ આમ આદમી પાર્ટીના નેતા કાર્યક્રમ પૂરો થાય છે ત્યાં સુધી તે શપથવિધિમાંથી નીકળ્યા પણ નહીં. આ એક યોજનાનું ષડયંત્ર હતું. આ માત્રને માત્ર મત મેળવવાનું ષડયંત્ર હતું. જો આમ આદમી પાર્ટીના કેજરીવાલમાં હિંમત હોય તો આ બાબત ઉપર બોલીની બતાવે. અત્યાર સુધી ક્યાં છુપાઈ ગયા છો. આથી સાબિત થાય છે આમ આદમી પાર્ટી પડોશી દેશને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.