ETV Bharat / city

કોરોના કેસમાં ચિંતા જનક વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ સામે આવ્યા

author img

By

Published : Jul 17, 2022, 10:26 PM IST

કોરોના કેસમાં ચિંતા જનક વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ સામે આવ્યા
કોરોના કેસમાં ચિંતા જનક વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ સામે આવ્યા

રાજ્યમાં ધીરે ધીરે કોરોનાના કેસમાં ચિંતા જનક વધારો (Corona cases in Gujarat) જોવા મળી રહ્યો છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 644 કેસ નોંધાયા, જેમાં ફક્ત અમદાવાદમાં જ 268 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં (Corona cases in Gujarat) આજે 100 કેસનો ઉછાળો નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 644 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 4776 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 07 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 4769 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 10,954 મૃત્યુ નોંધાયા છે, આજે 500 દર્દીઓને રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનુ મૃત્યુ નોંધાયું નથી.

આ પણ વાંચોઃ સુરતની ભાવિકાએ દ્રોપદી મુર્મુ પર પુસ્તક બનાવી સોનિયા ગાંધી-મમતા બેનર્જીને મોકલી

ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસઃ અમદાવાદ (Ahmedabad corona case) 268, રાજકોટ 5, સુરત 70, ગાંધીનગર 15, વદોડરા 32, ભાવનગર 23, જામનગર 2,

ક્યાં જિલ્લામાં કેટલા કેસઃ મહેસાણા 36, સુરત 20, વલસાડ 09, વદોડરા 14, નવસારી 04, ભરૂચ 08, અમરેલી 08, આણંદ 07, દ્વારકા 09, ગાંધીનગર 16, કચ્છ 17, રાજકોટ 16, અમદાવાદ 04, પાટણ 19, પોરબંદર 03, ખેડા 04, મોરબી 02, પંચમહાલ 00, સાબરકાંઠા 03, સુરેન્દ્રનગર 08, ભાવનગર 09, સોમનાથ 00, જામનગર 02, તાપી 01

હોસ્પિટલમાં દર્દીની સંખ્યાઃ રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, કેસમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. અત્યારે જે કોરોનાનો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે, તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

આ પણ વાંચોઃ ડભારી દરિયા કિનારો સહેલાણીઓ માટે ફરી બંધ કરવામાં આવ્યો

આજે રસીકરણઃ કોરોના સામે રસીકરણ (Gujarat Vaccination) પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે આજે 17 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 45912 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 7106 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 904 બીજા ડોઝમાં 516 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,24,97,292 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.