ETV Bharat / city

વણીકર ભવન વિવાદ મામલે હાઇકોર્ટમાં સરકારે એક જ પક્ષના નિવેદન રજૂ કર્યા હોવાનો આક્ષેપ

author img

By

Published : Apr 9, 2019, 9:10 PM IST

અમદાવાદઃ પાલડી સ્થિત વણીકર ભવનનો કબજો લેવાના ઇરાદે પોલીસ સાથે મળીને VHPના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ઘૂસણખોરી મામલે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં મંગળવારે જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમાં અરજદાર વતી રિજોઇન્ડર એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર તરફે રજૂ કરાયેલા સોગંદનામા સામે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા. VHPના રી-જોઇન્ડર એફિડેવિટમાં રજુઆત કરવામાં આવી હતી કે, સરકારના જવાબમાં એક જ પક્ષના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુણાવની 16મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

સ્પોટ ફોટો

રણછોડ ભરવાડે હાઇકોર્ટમાં રી-જોઇન્ડર એફિડેવિટ રજૂ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબ સત્તાના મુખપત્ર સમાન છે. અરજદારે એફિડેવિટમાં ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વણીકર ભવનમાં ઘૂસણખોરી કરનાર લોકોના ફોટા અગાઉ એફિડેવિટમાં રજૂ કરાયા હતા છતાં કોર્ટ સમક્ષ તેમના નિવેદન લેવામાં આવ્યા નથી. વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર પ્રાંત પાસે વણીકર ભવનનો કબજો હોવાનો રી-જોઇન્ડર એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે.

વણીકર ભવનના ટ્રસ્ટી નિમણુંક મામલો હાલ ચેરિટી કમિશનર પાસે પેન્ડિંગ છે. રાજ્ય સરકારે એફિડેવિટમાં સાક્ષી તરીકે પોલીસ કર્મચારીઓને રજૂ કર્યા, જ્યારે ટોળામાં દેખાયેલા લોકોના નિવેદન કે કોર્ટ સમક્ષ તેમના નિવેદન લેવામાં આવ્યા નથી. ખાનગી સંસ્થા અને પોલીસના સહયોગથી ટોળા દ્વારા વણીકર ભવનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો હોવાનો રી-જોઇન્ડર એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

VHPમાંથી અલગ થયેલા પ્રવિણ તોગડીયા જુથ એટલે કે AHPનો આક્ષેપ છે કે, વણીકર ભવનનો કબજો મેળવવા માટે VHPના કાર્યકર્તાઓએ પોલીસ સાથે મળીને ટ્રસ્ટીઓને ભવનની બહાર કાઢ્યાં હતા અને બાદમાં ભારે હોબાળો કર્યો હતો, જેને લઈને રણછોડ ભરવાડ દ્વારા હાઈકોર્ટમાં પોલીસ સહિત અનેક પક્ષકાર વિરૂધ અરજી દાખલ કરાઇ હતી.

R_GJ_AHD_10_09_APRIL_2019_VANIKAR_BHAVAN_RE_JOINDER_AFFADAVIT_HC_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD


હેડિંગ - વણીકર ભવન વિવાદ મામલે હાઇકોર્ટમાં સરકારે એક જ પક્ષના નિવેદન રજૂ કર્યા હોવાનો આક્ષેપ.


પાલડી
 સ્થિત વણીકર ભવનનો કબ્જો લેવા ઇરાદે પોલીસ સાથે મળીને વીએચપી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ઘૂસણખોરી મામલે દાખલ કરાયેલી અરજી મુદે મંગળવારે  જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમા અરજદાર વતી રિજોઇન્ડર એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું જેમાં રાજ્ય સરકાર તરફે રજૂ કરાયેલા સોગંદનામા સામે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા... વીએચપીના રી-જોઇન્ડર એફિદેવિટમાં રજુઆત કરાઈ કે સરકારના જવાબમાં એક જ પક્ષના નિવેદન ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુણાવની 16મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે...


 વિશ્વ હિન્દુ પરિષદ વતી રણછોડ ભરવાડે હાઇકોર્ટમાં રી-જોઇન્ડર એફિડેવિટ રજૂ કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબને સતાના મુખપત્ર સમાન છે...અરજદારે એફિડેવિટમાં ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વણીકર ભવનમાં ઘૂસણખોરી કરનાર લોકોના ફોટા અગાઉ એફિદેવિટમાં રજૂ કરાયા હતા છતાં કોર્ટ સમક્ષ તેમના નિવેદન લેવામાં આવ્યા નથી....વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર પ્રાંત પાસે વણીકર ભવનનો કબ્જો હોવાનો રી-જોઇન્ડર એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે...વણીકર ભવન ટ્રસ્ટી નિમણુંક મામલો હાલ ચેરિટી કમિશનર પાસે પેન્ડિંગ છે....રાજ્ય સરકારે એફિદેવીટમાં સાક્ષી તરીકે પોલીસ કર્મચારીઓને રજૂ કર્યા જ્યારે ટોળામાં દેખાયેલા લોકોના નિવેદન કે કોર્ટ સમક્ષ તેમના નિવેદન લેવામાં આવ્યા નથી....ખાનગી સંસ્થા અને પોલીસના સહયોગથી ટોળા દ્વારા વણીકર ભવનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો હોવાનો રી-જોઇન્ડર એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે...

VHPમાંથી અલગ થયેલા પ્રવિણ તોગડીયા જુથ એટલે કે AHPનો આક્ષેપ છે કે વણીકર ભવનનો કબ્જો મેળવવા માટે VHPના કાર્યકરતાઓએ પોલીસ સાથે મળીને ટ્રસ્ટીઓને ભવનની બહાર કાઢ્યાં હતા અને જ્યારબાદ ભારે હોબાળો કર્યો હતો જેને લઈને રણછોડ ભરવાડ દ્વારા હાઈકોર્ટમાં પોલીસ સહિત અનેક પક્ષકાર વિરૂધ અરજી દાખલ કરી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.