ETV Bharat / city

ગોપાલ ઈટાલીયા અને સોમનાથ મંદિરનો વિવાદ, નાયબ મુખ્યપ્રધાને કહ્યું - મને બનાવની જાણ છે

author img

By

Published : Jul 1, 2021, 10:23 PM IST

ગોપાલ ઈટાલીયા અને સોમનાથ મંદિરનો વિવાદ, નાયબ મુખ્યપ્રધાને કહ્યું - મને બનાવની જાણ છે
ગોપાલ ઈટાલીયા અને સોમનાથ મંદિરનો વિવાદ, નાયબ મુખ્યપ્રધાને કહ્યું - મને બનાવની જાણ છે

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને સોમનાથ ભગવાનના દર્શને આવ્યા ત્યારે કેટલાક લોકોએ તેઓને મંદિર બહાર અટકાવ્યા હતા. જોકે આ વિરોધ પાછળ તેમનો જૂનો વીડિયો જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે આજે ગુરૂવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ બનાવ તેમની જાણમાં છે. સોમનાથના વેરાવળ ખાતે દર્શન માટે AAPના કાર્યકરો ગયા ત્યારે અગાઉના તેમના નિવેદનના કારણે બ્રહ્મ સમાજના અથવા હિન્દુઓની ભાવના દુભાઈ હતી.

  • AAPના વિવાદ સામે નીતિન પટેલનું નિવેદન
  • મીડિયાના માધ્યમથી સમગ્ર મામલો ધ્યાનમાં આવ્યો
  • AAP દ્વારા બ્રહ્મ સમાજની લાગણી દુભાઇ તેવુ નિવેદન અપાયું હતું


અમદાવાદ : થોડા સમય અગાઉ AAPના કાર્યકર્તાઓ દ્વારા બ્રહ્મ સમાજને અપમાનજનક લાગે તેવું કોઈ નિવેદન આપવામાં આવ્યું હતું. જ્યારબાદ સોમનાથ મંદિરના દર્શન સમયે સોમનાથના બ્રહ્મસમાજના લોકો દ્વારા AAPના કાર્યકર્તાઓને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને AAPના એક નેતા દ્વારા માફી પણ માંગવામાં આવી છે પરંતુ ફરિવાર આ પ્રકારે જ વર્તન કરતા હતા તેમની સામે વિરોધ કરવામાં આવ્યો હતો.

ગોપાલ ઈટાલીયા અને સોમનાથ મંદિરનો વિવાદ, નાયબ મુખ્યપ્રધાને કહ્યું - મને બનાવની જાણ છે

જાણો શું કહ્યું નાયબ મુખ્યપ્રધાને ?

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે કહ્યું હતું કે, અગાઉ તેમના સમયમાં પણ વિરોધીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કાળા ફાવટાઓ પણ ફરકાવ્યા હતા. જોકે, હવે તેમનો વિરોધ થતાં તેમણે નક્કી કરવાનું છે કે, આ બધાનો સામનો તેઓ કેવી રીતે કરશે. જોકે નીતિન પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ ગેરવર્તણૂક કરનારાઓનો પક્ષ લેતા નથી.

શું છે સમગ્ર વિવાદ?

સત્યનારાયણ ભગવાન અને ભાગવત કથા ઉપર સવાલ ઊભો કરનારા ગોપાલ ઇટાલીયા સોમનાથ મંદિરના દર્શને ગયા હતા. ત્યારે મંદિરના પ્રવેશદ્વારે કેટલાક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. આ પાછળ બ્રહ્મ સમાજના લોકોની લાગણી દુભાઇ હોવાનું સામે આવ્યું છે. જોકે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા આ મુદ્દે માફી પણ માંગી ચૂક્યા છે, પરંતુ હજી આ વિવાદ શાંત પડતો નજરે આવતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.