ETV Bharat / city

અમદાવાદમાં કોરોના કેસમાં નોંધાયો ઘટાડો

author img

By

Published : May 20, 2021, 6:45 AM IST

કોરોના કેસો ઘટતા 19 મે ના રોજ અમદાવાદમાં ફરીવાર એક પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી થયો નથી તો પાંચ ઝોનને દુર કરવામાં આવ્યાં છે.

કોરોના કેસમાં નોંધાયો ઘટાડો
કોરોના કેસમાં નોંધાયો ઘટાડો

  • અમદાવાદમાં કોરોનાના નવા 1,296 કેસ નોંધાયા
  • કોરોનાના 1,533 લોકો ડિસ્ચાર્જ
  • કોરોનાના લીધે 10નાં મોત
  • સતત બીજા દિવસે એક પણ નવો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નહીં
  • અન્ય 5 ઝોન દુર કરાયા

અમદાવાદ: જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ લાગી રહ્યું છે અને સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં 75 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે જોધપુર, ચાંદલોડિયા, પાલડી અને ગોતામાં 39 મકાનોના 159 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યાં છે. આજે શહેરમાં 5 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યાં છે. હવે શહેરમાં 43 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

સતત બીજા દિવસે એક પણ નવો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નહીં
સતત બીજા દિવસે એક પણ નવો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નહીં

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા, આરોગ્ય વિભાગની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાને કરી જાહેરાત

શહેર અને જિલ્લામાં કુલ મૃત્યુઆંક 3,254 થયો

18 મેની સાંજથી 19મેની સાંજ સુધીમાં શહેરમાં 1,296 અને જિલ્લામાં 28 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 1,533 અને જિલ્લામાં 70 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 10 દર્દીનાં મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2,29, 215 થયો છે. જ્યારે 2,00,480 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3,254 થયો છે.

આ પણ વાંચો: જામનગર જિલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા, મૃત્યુ આંકમાં પણ ઘટાડો

શહેરમાં ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા નવા કેસ કરતાં ડબલ થઈ

શહેર અને જિલ્લામાં નવા કેસનો આંકડો એક હજારે પહોંચશે. અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડો નોંધાયો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 1,324 નવા કેસ નોંધાયા છે. 1,603 દર્દીએ કોરોનાને માત આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.