કન્ટેમ્પ્ટ કેસને બોર્ડ પર સુનાવણી માટે લાવવામાં આવે - ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો મહત્વપૂર્ણ આદેશ

author img

By

Published : Nov 19, 2021, 10:03 PM IST

કન્ટેમ્પ્ટ કેસને બોર્ડ પર સુનાવણી માટે લાવવામાં આવે - ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો મહત્વપૂર્ણ આદેશ

ગુજરાત હાઇકોર્ટે (gujarat high court) એક નવતર પ્રયોગ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ (chief justice of gujarat high court) અરવિંદ કુમારે (aravind kumar) મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે કે લાંબા સમયથી પેન્ડિંગ પડી રહેલી કન્ટેમ્પ્ટની અરજીઓ (application of contempt)ને બોર્ડ પર લાવવામાં આવે, જેથી અગાઉ કોર્ટે આદેશ કર્યો હોવા અમલવારી ન થઈ હોય તો પગલાં લઈ શકાય.

  • હાઈકોર્ટની કામગીરીમાં નવો બદલાવ લાવવાનો પ્રયત્ન
  • પેન્ડિંગ પડી રહેલી કન્ટેમ્પ્ટની અરજીઓને બોર્ડ પર લાવવામાં આવશે
  • અગાઉ કોર્ટે આદેશ કર્યો હોવા છતાં તેની અમલવારી ન થઇ

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ (gujarat high court)ના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે (chief justice arvind kumar) મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે અને હાઈકોર્ટની કામગીરીમાં એક નવો બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે હાઇકોર્ટના સ્ટાફને જણાવી દીધું છે કે, લાંબા સમયથી પેન્ડિંગ પડી રહેલી કન્ટેમ્પ્ટ (application of contempt)ની અરજીઓને બોર્ડ પર લાવવામાં આવે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અગાઉ કોર્ટે આદેશ કર્યો હોવા છતાં તેની અમલવારી ન થઇ હોય તો તેની સામે પગલાં લઇ શકાય.

હાઈકોર્ટનો આ એક નવતર પ્રયોગ છે

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન (gujarat high court advocates association)ના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટનો આ એક નવતર પ્રયોગ છે જેને અમે આવકારીએ છીએ. આ નિર્ણયથી એવા લોકો કે જેમને અગાઉ કોર્ટે આદેશ કરી ન્યાય આપવા હુકમ (Order to give justice) કર્યો હોય, પરંતુ તેની અમલવારી ન થઇ હોય તેવા અરજદારોને કન્ટેમ્પ્ટ અરજીઓની સુનાવણી થતા ન્યાય મળશે. વકીલોના અરજદારોને ન્યાય મળતા તેમની માટે પણ સારા સમાચાર છે.

અગાઉ પણ કન્ટેમ્પ્ટની અરજી પર હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હાઇકોર્ટમાં જળ સંપત્તિ વિભાગ (department of water resources in the high court)માં કામ કરતા કર્મચારીને અગાઉ તેના સંપૂર્ણ પૈસા ચુકવી આપવાનો હુકમ કર્યો હોવા છતાં રાજ્ય સરકારે 4 વર્ષ સુધી તેની અમલવારી ન કરતાં કોર્ટે આકરુ વલણ અપનાવ્યું હતું. કોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે, માત્ર 2-3 મુદ્દતમાં આદેશનું પાલન કરી દેવું જોઈતું હતું. તો પછી કેમ આદેશની અમલવારી માટે 4 વર્ષથી વધુ સમય થયો? આમ ચીફ જસ્ટિસે કન્ટેમ્પ્ટની અરજીઓને પ્રાથમિકતા આપી એ તરફ નિર્દેશ કર્યો છે કે કોર્ટના આદેશની અમલવારી ન કરવામાં આવે તો કોર્ટ તેને સાખી લેશે નહીં.

આ પણ વાંચો: ભાવનગરના ખેડૂત આગેવાનોએ કહ્યું સંસદમાંથી ખરડો થાય નહિ ત્યાં સુધી ખતરો રહેશે

આ પણ વાંચો: કૃષિ કાયદો રદ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ફટાકડા ફોડી કરી ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.