ETV Bharat / city

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારથી બે દિવસ માટે વારાણસી કાશીના પ્રવાસે જશે

author img

By

Published : Dec 12, 2021, 10:56 PM IST

Updated : Dec 13, 2021, 8:32 AM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારથી બે દિવસ માટે વારાણસી કાશીના(CM Bhupendra patel will visit Kashi) પ્રવાસે જશે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મુખ્યપ્રધાનોની વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી પરિષદમાં સહભાગી થશે. પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતક્ષેત્રમાં મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રવાસ કરશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારથી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારથી

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે દિવસ વારાણસી-કાશીમાં જશે
  • મુખ્યપ્રધાનોની વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી પરિષદમાં સહભાગી થશે
  • પહેલીવાર સી.એમ. બન્યા બાદ પ્રધાનમંત્રીના માટે ક્ષેત્રમાં પ્રવાસ કરશે

ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. 13 ડિસેમ્બરથી બે દિવસ માટે વારાણસી કાશીના(CM Bhupendra patel will visit Kashi) પ્રવાસે જશે. મુખ્યપ્રધાન તેમના આ પૂર્વ નિર્ધારિત પ્રવાસના કારણે સોમવાર અને મંગળવાર એટલે કે 13 અને 14મી ડિસેમ્બરે સામાન્ય નાગરિકો-પ્રજાજનો મુલાકાતીઓને ગાંધીનગરમાં મળી શકશે નહીં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. 13 અને મંગળવાર તા. 14 ડિસેમ્બર એમ બે દિવસોએ વારાણસી-કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોની પરિષદમાં સહભાગી થવા જવાના છે.

આ પણ વાંચો: Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી

વડાપ્રધાન મોદી દ્વારા કોરીડોરનું ઉદ્ઘાટન કરાશે

વિશ્વના નાથ બાબા વિશ્વનાથનો ભવ્ય કોરિડોર તૈયાર થઈ ગયો છે. હવે માત્ર લોન્ચિંગની રાહ જોવાઈ રહી છે. જ્યાં આ ભવ્ય કોરિડોરનું સ્વપ્ન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Modi)સાકાર કર્યું હતું, તો બીજી તરફ આ સ્વપ્નનો પાયો 1916માં મહાત્મા ગાંધીએ નાખ્યો હતો. હા, 1916માં જ્યારે મહાત્મા ગાંધી બનારસ હિંદુ યુનિવર્સિટીના(Banaras Hindu University ) સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા, ત્યારે તેમણે વિશ્વનાથ ધામની ગલીઓ, અહીંની ગંદકી જોઈને ચિંતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચ 2019ના રોજ વિશ્વનાથ ધામનો શિલાન્યાસ કરતી વખતે રાષ્ટ્રપિતાના આ સ્વપ્નનો ઉલ્લેખ કર્યો હતો અને વચન આપ્યું હતું કે તેઓ વિશ્વનાથ મંદિરના ચહેરાને ભવ્ય વિશ્વનાથ ધામમાં પરિવર્તિત કરીને બાપુના આ સ્વપ્નને (Mahatma Gandhi dream)સાકાર કરશે. લગભગ 32 મહિના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીનું ભવ્ય કોરિડોરનું સપનું પૂરું કર્યું.

ધામમાં આધુનિક સુવિધાઓ

વરિષ્ઠ પત્રકારનું કહેવું છે કે મા ગંગાના કિનારે સ્થાપિત કાશી વિશ્વનાથ ધામના વિકાસ, વિસ્તરણ અને સુંદરતાનું કામ શિવભક્તોની સુવિધા અને સરળ દર્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ આનંદકાનનમાં ભક્તો માટે વિવિધ ધાર્મિક કાર્યો માટે અલગ-અલગ ઇમારતો બનાવવામાં આવી છે. આ સાથે મુસાફરોની સુવિધા માટે પ્રવાસની સુવિધા, દિવ્યાંગો માટે એરકન્ડિશન્ડ ઈલેક્ટ્રીક સીડી, પરિસરમાં મુમુક્ષુ ભવન સહિત અન્ય તમામ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને અહીં આવતા ભક્તોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે અને શિવભક્તો સરળતાથી બાબાના દરબારમાં પહોંચીને તેમના આશીર્વાદ લઈ શકે.

પરિસરમાં ભગવાનને પ્રિય વૃક્ષો વાવવામાં આવ્યા

બાબા વિશ્વનાથનું કેમ્પસ માત્ર સનાતન સંસ્કૃતિને જાળવવાનો જ નહીં પરંતુ પર્યાવરણને બચાવવાનો પણ સંદેશ આપી રહ્યું છે. આ અંતર્ગત પરિસરમાં રૂદ્રાક્ષ, લીમડો, આમળા, બાલના વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ વૃક્ષ એક તરફ વિશ્વનાથ ધામના ઉદ્ઘાટનનું સાક્ષી બનશે તો બીજી તરફ આ ભવ્ય કોરિડોર સંકુલમાંથી સમગ્ર વિશ્વને પર્યાવરણ પ્રત્યે સભાન બનીને બચાવવાનો સંદેશ પણ આપી રહ્યો છે.

Last Updated :Dec 13, 2021, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.