ETV Bharat / city

Biggest Firki Of Ahmedabad: અમદાવાદમાં માંજાના વેપારીએ બનાવી 12 ફૂટ લાંબી ફિરકી, જાણો શું છે વિશેષતા...

author img

By

Published : Jan 13, 2022, 9:20 AM IST

અમદાવાદમાં માંજાના એક વેપારીએ 4 મહિનાની મહેનતે 12 ફૂટની ફીરકી (Ahmedabad trader made the biggest Firki) બનાવી છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તો શું છે આ ફિરકીની (Biggest Firki of Ahmedabad) વિશેષતા જુઓ.

Biggest Firki of Ahmedabad: અમદાવાદમાં માંજાના વેપારીએ બનાવી 12 ફૂટ લાંબી ફિરકી, શું છે વિશેષતા, જુઓ
Biggest Firki of Ahmedabad: અમદાવાદમાં માંજાના વેપારીએ બનાવી 12 ફૂટ લાંબી ફિરકી, શું છે વિશેષતા, જુઓ

અમદાવાદઃ આવતીકાલે (14 જાન્યુઆરી)એ ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો હાથમાં ફીરકી લઈ પતંગ ચગાવતા જોવા મળશે. જોકે, આ વખતે પતંગ-દોરીના ભાવમાં વધારો થતા વેચાણ ઘટ્યું છે. બીજી તરફ વેપારીઓ અવનવા નુસખા કરીને ગ્રાહકોને આકર્ષી (Ahmedabad trader made the biggest Firki) રહ્યા છે. આવું જ કામ કર્યું છે અમદાવાદના માંજાના વેપારી (Biggest Firki of Ahmedabad) સલીમભાઈએ.

ફિરકીની વિશેષતા

આ પણ વાંચોઃ Uttarayan in Ahmedabad 2022: SOP જાહેર થયા પછી અમદાવાદની પતંગ બજારમાં ઘરાકી 60 ટકા ઘટી

20 વર્ષથી ફિરકીના વ્યવસાય સાથે જોડાયેલા છે સલીમભાઈ

અમદાવાદમાં દિલ્હી દરવાજા, કાલુપુર, રાયપુર વગેરે જગ્યાએ પતંગ બજાર ભરાય છે. ત્યારે કાલુપુરમાં દુકાન ધરાવતા સલીમભાઈ માંજાના વેપારી (Ahmedabad trader made the biggest Firki) છે. તેની સાથે જ પતંગ-દોરીના રસિયા પણ છે. તેઓ છેલ્લા 20 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે એક ઈંચથી લઈને 12 ફૂટની ફીરકી બનાવી છે. એમ પણ અમદાવાદમાં પતંગરસિયાઓ પોતાની કળા દ્વારા હંમેશા આ તહેવારને (Biggest Firki of Ahmedabad) આવકાર્યો છે.

20 વર્ષથી ફિરકીના વ્યવસાય સાથે જોડાયેલા છે સલીમભાઈ
20 વર્ષથી ફિરકીના વ્યવસાય સાથે જોડાયેલા છે સલીમભાઈ

આ પણ વાંચો- રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે પતંગ બજારમાં સર્જાયો મંદીનો માહોલ

ફિરકીની વિશેષતા

સલીમભાઈએ 4 મહિનાની મહેનત બાદ 12 ફૂટની ફાઈબરની ફિરકી (Ahmedabad trader made the biggest Firki) બનાવી છે, જેની અંદર રોશની પણ થાય છે. તેમનું કહેવું છે કે, ગુજરાતના તહેવારો અનોખા છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે. આ ગર્વ જ મને આવી વસ્તુઓ બનાવવા પ્રેરે છે. સલીમભાઈએ બનાવેલી ફિરકીઓ રાષ્ટ્રીયતા, સર્વ ધર્મ સમભાવ અને એકતાનો સંદેશ આપે છે.

20 વર્ષથી ફિરકીના વ્યવસાય સાથે જોડાયેલા છે સલીમભાઈ
20 વર્ષથી ફિરકીના વ્યવસાય સાથે જોડાયેલા છે સલીમભાઈ

માંજો નહીં પતંગબાજમાં દમ હોવો જોઈએ

સલીમભાઈ જણાવ્યું હતું કે, આજ સુધી એવો એકેય માંજો બન્યો નથી કે, જે કદી કપાય નહીં. પતંગબાજીમાં કમાલ માંજામાં નહીં, પરંતુ પતંગબાજના કાંડામાં હોય છે. આ સાથે જ તેમણે પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ન ચગાવવા લોકોને અપીલ કરી (Appeal not to chew kite for birds) હતી. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ ગુજરાતીઓ માટે વિશિષ્ટ (Gujarat Uttarayan 2022) તહેવાર છે. તેમાં પણ અમદાવાદની ઉત્તરાયણ તો સમગ્ર વિશ્વમાં જાણીતી છે. અહીં ભરાતું પતંગ અને ફિરકી બજાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.