ETV Bharat / city

સી.આર.પાટીલ રેમડેસીવીર ક્યાંથી લાવ્યા એ એમને જ પૂછો: મુખ્યપ્રધાન

author img

By

Published : Apr 10, 2021, 6:07 PM IST

Updated : Apr 10, 2021, 9:44 PM IST

કોરોના મહામારીમાં જ્યાં ઇન્જેક્શનને લઈને અછત સર્જાઈ રહી છે ત્યારે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ખરીદવાની જાહેરાતના મામલાથી હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ભાજપ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ
ભાજપ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ

  • ભાજપ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ
  • રેમડેસીવીર ઇન્જેક્શન વિતરણ અંગે મુખ્યપ્રધાનની તીખી પ્રતિક્રિયા
  • સી.આર.પાટીલ શું કરે? કેવી રીતે કરે..? તે તેમને પૂછો: મુખ્યપ્રધાન

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસનું સંકટ સતત વધી રહ્યું છે. દરરોજ નવા કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. આ મહામારી મહાસંકટ વચ્ચે રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ પણ સતત વધી રહી છે. કોરોના જેવી જીવલેણ મહામારીમાં રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીઓ માટે સંજીવની બૂટી કરતા ઓછી નથી. આ જ કારણ છે આ રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ વધવાની સાથે તેની અછત સર્જાઇ રહી છે. ગુજરાતમાં અનેક ઠેકાણે રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓના સ્વજનો મોટી લાઇનોમાં ઊભા રહ્યા છે. સુરત ભાજપ તરફથી 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવતા મુખ્યપ્રધાને તેની પ્રતિક્રિયા આપી હતી.

સી.આર.પાટીલ શું કરે? કેવી રીતે કરે..? તે તેમને પૂછો: મુખ્યપ્રધાન

આ પણ વાંચો: સુરતમાં ભાજપ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન મફત આપશે : સી.આર.પાટીલ

શું કહ્યું રૂપાણીએ ?

સી.આર. પાટીલે સુરત માટે 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી હોવાના પ્રશ્નનો જવાબ આપતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, સી.આર. પાટીલે સુરતની ચિંતા કરીને 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા તેમણે કેવી રીતે કરી..? આ પ્રશ્નનો ચોક્કસ જવાબ સી.આર.પાટીલ જ આપી શકશે. સરકાર તરફથી અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રેમડેસીવીર ઇન્જેક્શનને લઇ વિવાદ શરૂ થયો છે.

આ પણ વાંચો: સુરતમાં નિઃશુલ્ક રેમડેસીવીર લેવા માટે ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી લાઇન

સુરતમાં પૂરતો જથ્થો મોકલી દેવામાં આવ્યો છે: મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાનને વધુમાં જણાવ્યું કે, સરકાર તરફથી સુરતની કિરણ હોસ્પિટલને 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવ્યા છે. આ ઇન્જેક્શન આસામના ગુવાહાટીથી એરલિફ્ટ કરીને સુરત પહોંચાડવામાં આવી રહ્યા છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને 2,500 રેમડેસીવીર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવ્યા છે. આમ, કોરોના સંક્રમણ સામે નાગરિકોની રક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા સુરત માટે 12,500 રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. કિરણ હોસ્પિટલ માટે જે વ્યવસ્થા કરી તે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો હોસ્પિટલમાં જ છે. આ જથ્થો કેમ વાપરવો..? અને કોને આપવો..? એ હોસ્પિટલ નક્કી કરશે. સરકારે ફક્ત તેમના મિડિયેટર બની વ્યવસ્થા કરી દીધી છે.

Last Updated : Apr 10, 2021, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.