ETV Bharat / city

KHAM થિયરી અપનાવીને કોંગ્રેસને મળશે સત્તાની ખુરશી ? જાણો આ રાજકીય વ્યૂહરચના

author img

By

Published : Jul 5, 2022, 6:28 PM IST

Updated : Jul 5, 2022, 10:14 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આ વર્ષના અંતમાં યોજાવવાની છે. આવી સ્થિતિમાં દરેક રાજકીય (Political Parties in Gujarat) પક્ષે ચૂંટણી લડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ગુજરાતમાં રાજકીય પક્ષો વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

KHAM થિયરી અપનાવીને કોંગ્રેસને મળશે સત્તાની ખુરશી? જાણો આ રાજકીય વ્યૂહરચના અંગે
KHAM થિયરી અપનાવીને કોંગ્રેસને મળશે સત્તાની ખુરશી? જાણો આ રાજકીય વ્યૂહરચના અંગે

અમદાવાદઃ વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પાટીદારોના ભરોસે 99 બેઠકો પર ભાજપને (Gujarat BJP) રોકવામાં સફળ રહી હતી. તે જ સમયે કોંગ્રેસ હવે 2022 માં જીતવાના લક્ષ્ય સાથે ફરી એકવાર તેની OBC વોટ બેંક પર રાજનીતિ (Political Parites in Gujarat) કરવા જઈ રહી છે. 2017માં કોંગ્રેસે 79 બેઠકો (Gujarat Congress) મેળવી હતી. તે પાટીદાર આંદોલનથી વિપરીત કોંગ્રેસ હવે તેનું પરંપરાગત રાજકારણ (Gujarat Assembly Election 2022) કરવા જઈ રહી છે. કોંગ્રેસે ફરી એકવાર 80ના દાયકામાં ઉપયોગમાં લેવાતી KHAM થિયરીને ચૂંટણી મેદાનમાં લાવવાનું શરૂ કર્યું છે. કેન્દ્રમાં તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મથામણ કરી જ રહી છે. પણ ગુજરાતમાં પણ ખૂબ મહેનત કરવી પડે એવી સ્થિતિ છે.

આ પણ વાંચોઃ હવે ગ્રામ પંચાયતની 3,252 બેઠકો પર નહીં રહે OBC અનામત, આ રહ્યું મોટું કારણ

હાંસિયામાં કોંગ્રેસઃ ગુજરાતમાં પણ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી. કારણ કે અંદરો અંદરની ખેચતાણે કોંગ્રેસને 27 વર્ષમાં ક્યારેય સત્તાની ખુરશી મળી નથી. તો બીજી તરફ વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પહેલા જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા બે ચહેરાઓને મેદાનમાં લાવવા કોંગ્રેસનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. કારણ કે જ્યાં ભાજપમાં એક તરફ પાટીદાર ચહેરાને પ્રભૂત્વ મળી રહ્યું છે. ત્યાં કોંગ્રેસે OBC અને ST-SC મતદારોને પોતાના તરફી કરવાનો માસ્ટર સ્ટ્રોક રમી નાંખ્યો છે. માત્ર જ્ઞાતિલક્ષી સમીકરણની રાજનીતિ થઈ રહી છે.

જ્ઞાતિની વસ્તીઃ ત્રણેય ચહેરાઓના પ્રભૂત્વની વોટબેંક આધારે વાત કરીએ તો જગદીશ ઠાકોર OBC સમાજમાંથી આવે છે. ગુજરાતમાં OBC સમાજની વસ્તી અંદાજીત 41 ટકા છે. જેમાં સૌથી વધુ કોળી અને ઠાકોર સમાજની વોટબેંક છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોનું વર્ચસ્વ છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું વર્ચસ્વ છે. સમગ્ર OBC વોટબેંક પર જગદીશ ઠાકોર અસર કરી શકે છે. બીજી તરફ સુખરામ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે. ગુજરાતમાં આદિવાસી સમાજની વસ્તી 14.75 ટકા છે. જ્યારે જિગ્નેશ મેવાણી દલિત સમાજમાંથી આવે છે. ગુજરાતમાં SC મતદારોની વસ્તી 6.75 ટકા છે. કોંગ્રેસનો આ માસ્ટર સ્ટ્રોક સીધી રીતે 62.5 ટકા વોટબેંક પર અસર કરી શકે છે. આ સિવાય પણ લધુમતી સમાજને કોંગ્રેસની વોટબેંક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ: પ્રભારી રઘુ શર્માએ કહી આ વાત

વોટબેંક પર નજરઃ વર્ષ 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ફરી એકવાર 1980 અને 1985ની તાકાત બતાવવાની વાત કરી રહી છે. કોંગ્રેસ પોતાના ઓબીસી મતદારોને એક સાથે જોડી રહી છે. તો બીજી તરફ પાર્ટી ફરી એકવાર ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ વોટ બેંકના આધારે 125 બેઠકો લાવવાનું સપનું જોઈ રહી છે. જોકે વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ આ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી. જે આજ સુધીની સૌથી વધુ બેઠકો છે. કોઈ પણ પક્ષ આટલી બેઠકો કબજે નથી કરી શકયો. માધવસિંહે રાજ્યમાં મહત્વની ગણાતી 4 જાતિઓ ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમને સાંકળીને ચૂંટણી જીતવાનો પ્રયોગ કર્યો હતો.

KHAM થિયરીઃ ખામ એટલે કે ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ વોટબેંક. ઉમેરવામાં આવે તો તેને મહત્તમ વોટ મળે છે. તે જ સમયે કોંગ્રેસ હવે તેના પરંપરાગત વોટ પાછા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી એકવાર એ જ જાતિવાદી રાજનીતિ કરવા જઈ રહી છે. 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસ ફરી એક વખત સત્તામાં આવવાના સપના જોઈ રહી છે. માધવસિંહ સોલંકીની થિયરીના આધારે આ સપનું જોવા મળી રહ્યું છે. જો ગુજરાતના રાજકારણની વાત કરીએ તો 14% ક્ષત્રિય, 8% દલિત, 15% આદિવાસી અને 10% મુસ્લિમના આધારે કોંગ્રેસને 1980માં 141 અને 1985માં 50 બેઠકો મળી હતી.

આ પણ વાંચોઃ હવે સમુદ્રમાં પણ થશે ખેતી, IIS માં 8 નવા કોર્ષ શરૂ કરાયા

હવે શુંઃ કોંગ્રેસ 2022ની ચૂંટણીમાં પણ આ જ સિદ્ધાંત અપનાવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે તાજેતરમાં વિરોધ પક્ષના નેતા બદલ્યા છે. જેમાં પાટીદાર પરેશ ધાનાણીની જગ્યાએ આદિવાસી સુખરામ રાઠવાને સ્થાન આપવામાં આવ્યું છે. તો ત્યાં પ્રદેશ પ્રમુખ OBC ચહેરો જગદીશ ઠાકોરને બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસને ગુજરાતમાં એક મોટા દલિત ચહેરાની જરૂર હતી તે ઉણપ પણ જીગ્નેશ મેવાણીએ પૂરી કરી છે.

Last Updated : Jul 5, 2022, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.