ETV Bharat / city

અમદાવાદ મનપા અને GPCBએ ઓક્સિજન કંટ્રોલરૂમ કર્યો શરૂ

author img

By

Published : Apr 26, 2021, 7:19 AM IST

કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓને વધારે ઓક્સિજનની વધારે જરૂર પડે છે. રાજય સહિત દેશમાં સતત ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. ત્યારે અમદાવાદ મનપા અને GPCBએ સંયુક્તિ રીતે ઓક્સિજન કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

અમદાવાદ
અમદાવાદ મનપા અને GPCBએ ઓક્સિજન કંટ્રોલરૂમ કર્યો શરૂ

  • ઓક્સિજનની ઘટ સામે કંટ્રોલરૂમ કરાયો શરૂ
  • વિવિધ કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલોમાં કરાય છે ફાળવણી
  • 4 દિવસમાં 35થી વધુ ટેન્કરો મારફતે ઓક્સિજનો જથ્યો પુર પાડવામાં આવ્યો


અમદાવાદઃ રાજયમાં કોરોનાના દર્દીઓની ઓક્સિજનની અછતના લીધે મૃત્યું થતું હોવાના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછુ થઇ જતા મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન આપવામાં આવે છે. દેશ સહિત રાજયમાં ઓક્સિજની અછત ઉભી થઇ છે. જેને લઇને અમદાવાદ મનપા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓક્સિજન કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે.

ઔદ્યોગિક ઓક્સિજનનુ પ્રોડક્શન બંધ

કંટ્રોલ રૂમ દ્વારા ઓદ્યોગિક રીતે વાપરવામાં આવતા ઓક્સિજનનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યા છે અને મેડિકલ ઓક્સિજન કોરોનાના દર્દીઓને આપવામાં આવે છે, હોસ્પિટલો અને કોવિડ સેન્ટરોમાં ઉભી થતી ઓક્સિજનની ઘટને નિવારવા માટે કંટ્રોલ રૂમ દ્વારા જ ઓક્સિજનીન ફાળવણી કરવામાં આવે છે. છેલ્લા 4 દિવસમાં 35થી વધુ ટેન્કર ઓક્સિજનો જથ્થો મેળવી, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસતારોના સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો : વલસાડની એક પણ હોસ્પિટલમાં બેડ નહીં, ઓક્સિજનની માગ સામે માત્ર 50 ટકા સપ્લાય


વધુ જરૂરીયાત વાળા હોસ્પિટલને 15 ટેન્ક ફાળવવામાં આવી

ઓક્સિજનની વધુ જરૂરિયાત વાળી હોસ્પિટલો માટે 1 કીલો લીટર કેપીસીટીવાળી 15 ટેન્ક ફાળવવામાં આવી છે. જેમાંથી 7 ટેન્કરોનો વપરાશ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને બાકીની ટેન્કો ટુક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો બહેરામપુરા ખાતે 13 કીલો લીટર કેપીસીટીનો રીફીલીંગ પ્લાન્ટ નાખવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમાંથી રોજના 1200 સીલીન્ડર્સ રીફીલીંગ કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.