ETV Bharat / city

Ahmedabad Murder Case: પરિવારના 4 સભ્યોના હત્યા કેસમાં મોટા ખુલાસાઓ, પત્નીના અનૈતિક સંબંધો બન્યું કારણ

author img

By

Published : Mar 31, 2022, 6:55 PM IST

Updated : Apr 1, 2022, 8:33 AM IST

પત્નીના અનૈતિક સંબંધ(Wife's immoral relationship) સામે આવતા પત્નીની હત્યા બાદ બે બાળકો અને વર્ષાઋતુની ઈરાદા પૂર્વક હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી વિનોદ અમદાવાદ ભરત પત્નીના પ્રેમીને મારવા આવતા જ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. કોણ છે? અત્યારે ચાર સભ્યોની હત્યા કરીને પરિવાર વેરવિખેર કરી નાખ્યો આવો જાણીએ અહેવાલમાં.

Ahmedabad Mass Murder Case: વિરાટનગરમાં પત્નીના અનૈતિક સંબંધમાં પરિવારની હત્યા કરાઈ
Ahmedabad Mass Murder Case: વિરાટનગરમાં પત્નીના અનૈતિક સંબંધમાં પરિવારની હત્યા કરાઈ

અમદાવાદ: વિરાટનગર સામૂહિક હત્યા કેસમાં(Viratnagar mass murder case) હત્યારો ઘરનો મોભી ઝડપાયો તેના પત્નીના અનૈતિક સંબંધ સામે આવતા પત્નીની હત્યા બાદ બે બાળકો અને વર્ષાઋતુની ઈરાદા પૂર્વક હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો પરંતુ પત્નીના પ્રેમી હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પત્નીની હત્યા બાદ બે બાળકો વસ્તુ ખરીદવા બહાર મોકલ્યા હતા અને વર્ષાઋતુની ઈરાદા પૂર્વક હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. તેને 15 વર્ષની દીકરી છે પહેલા આવી તેની પણ હત્યા કરી. આરોપી વિનોદ અમદાવાદ ભરત પત્નીના પ્રેમીને મારવા આવતા જ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

ચાર હત્યાનો પસ્તાવો થતાં સાસુ સાથે આખી રાત ઘરે બેસી વહેલી સવારે ઘરે મૂકી આવ્યો

ઘરના ચાર સભ્યોની કરપીણ હત્યા કરી દીધી હતી - ક્રાઇમ બ્રાન્ચના ગ્રુપમાં ઊભેલો વિનોદ મારા ગાયકવાડે ઘરના ચાર સભ્યોની કરપીણ હત્યા કરી દીધી છતાં મોઢા ઉપર કોઈ અફસોસ જોવા નથી મળી રહ્યો વિનોદને પોતાના પુત્ર દ્વારા પત્નીના આડા સંબંધની જાણ થઈ અને પત્નીની હત્યા(Ahmedabad Mass Murder Case ) કરવા માટે પ્લાન બનાવ્યો. વિનોદ તેની પત્નીને સરપ્રાઈઝ આપવાનું કહી આંખો અને મોઢા પર કાળી પટ્ટી બાંધીને મોતની સરપ્રાઇઝ આપી હત્યા કરી(Surprised to be killed) દીધી હતી. હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હોવાથી બે બાળકોને વિનોદ વસ્તુ ખરીદવા બહાર મોકલ્યા હતા જે બજારમાંથી વસ્તુ ખરીદી ઘરે પહેલા આવે તેને 15 વર્ષની દીકરી છે પહેલા આવી તેની પણ હત્યા કરી. ત્યારબાદ દીકરો પણ વસ્તુઓ ખરીદીને ઘરે આવ્યો હતો ત્યારે આવતાની સાથે જ તેની પણ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ વડસાસુને બોલાવીને તેની હત્યા કરી હતી.

આ પણ વાંચો: Murder in Surat: ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની હત્યા ભાણેજે જ કરી હતી, પોલીસે બિહારથી કરી ધરપકડ

ચાર હત્યાનો પસ્તાવો થતાં સાસુ સાથે આખી રાત ઘરે બેસી વહેલી સવારે ઘરે મૂકી આવ્યો - ત્યારે ગણતરીની મિનિટોમાં પત્ની-બે બાળકો અને વડ સાસુની હત્યા નિપજાવ્યા બાદ પોતાની સાસુ સજુ બેનને પણ ઘરે બોલાવી હત્યાના ઇરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યો હતો પરંતુ ચાર હત્યાનો પસ્તાવો થતાં સાસુ સાથે આખી રાત ઘરે બેસી વહેલી સવારે ઘરે મૂકી આવ્યો અને જે હથિયાર વડે હુમલો કર્યો તે ઓઢવ નજીક ફેંકી દીધું હતું ત્યારે સાસુ પર થયેલા હુમલાને અકસ્માતમાં ખપાવી પોતે ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો જો કે પત્નીનો પ્રેમી જીવિત હોવાથી તેની હત્યા માટે પત્નીનું મંગળસૂત્ર વેચવા વિનોદ અમદાવાદ આવ્યો હતો પરંતુ મંગળસૂત્ર રહેતા સુરત થી મધ્યપ્રદેશ ઇન્દોર નાસી છુટ્યો હતો પરંતુ મધ્યપ્રદેશથી અમદાવાદ પત્નીના પ્રેમીની હત્યા(Murder of wife's lover) કરવા આવી રહ્યો હતો ત્યાં દાહોદ બોર્ડર પાસે એસ ટી બસમાંથી ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: Patan Murder Case : ભાઈ અને ભત્રીજીને ઝેર પીવડાવી હત્યા કરનાર બહેનને કોર્ટે દોષિત ઠેરવી

આરોપી વિનોદની પૂછપરછમાં સામે આવ્યું - તેની પત્ની સુંદર બે વર્ષથી એક યુવક જોડે આડા સંબંધ હતા જે સોનલ નોકરી કરતી હતી તેના જ માલિક સાથે સંબંધ હતા જે આડાસંબંધમાં પરિવાર ની હત્યા કરી અને 26મી રાત્રે પત્ની બાળકો સહિત ચાર હત્યા કર્યા બાદ આરોપી પોતાના ઘરમાં રહેલ લોહીના ડાઘ સાફ કર્યા અને ઘરમાં જ બેસી દારૂનો નશો કર્યો હોવાનો ખુલાસો થયો છે. જોકે પ્રેમીના હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો પર્દાફાશ થયા બાદ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો નોંધાય છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ થઇ છે.

Last Updated : Apr 1, 2022, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.