કોરોના સામે સતર્કતા સાથે જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ બનાવતાં અમદાવાદના ઇકબાલભાઇ

author img

By

Published : Aug 19, 2021, 7:58 PM IST

જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ બનાવતાં અમદાવાદના ઇકબાલભાઇ
જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ બનાવતાં અમદાવાદના ઇકબાલભાઇ ()

ભાઇ અને બહેનના સ્નેહનું પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની ભેટ મેળવે છે. બહેન ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇના જીવનના ડગલેને પગલે દરેક પરિસ્થિતિ વચ્ચે પણ સલામતીની સાથે સફળતાની મનોકામનાની પ્રાર્થના કરે છે. કોરોના સામે જનજાગૃતિ ફેલાય તે માટે અમદાવાદના ઈકબાલભાઈએ અનોખો પ્રયાસ કર્યો છે.

  • રાખડીથી કોરોના સામે સુરક્ષાની જનજાગૃતિ
  • અમદાવાદના ઇકબાલભાઇ કોમી એખલાસનું પ્રતિક
  • અવનવી રાખડીઓ બનાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આકર્ષિત કર્યા

અમદાવાદ- કોરોનાકાળમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે કોઇપણ ભાઇ-બહેન કોરોના સામેના રક્ષણની જ ઝંખના રાખતી હોય તે સ્વભાવિક છે. ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇ કોરોનાથી સુરક્ષિત રહે બહેનને પણ કોરોના નામનો રાક્ષસ હાનિ ન પહોંચાડે તે માટે ભાઇ-બહેન પરસ્પર એકબીજા માટે આ પર્વના દિવસે પ્રાર્થના કરશે.

આ પણ વાંચો- Vaccine Rakhi: રક્ષાબંધન નિમિતે રાજકોટની બજારોમાં કોરોના વેક્સિનવાળી રાખડી માચાવશે ધૂમ

કોરોના સામે સલામતી પ્રત્યેની જનજાગૃતિ ફેલાય તે માટે કરાયો અનોખો પ્રયાસ

દેશભરમાં કરોડો લોકો રક્ષાબંધનનો પર્વ ઉજવે છે, ત્યારે આ તહેવારના માધ્યમથી લોકોમાં કોરોના સામે સલામતી પ્રત્યેની જનજાગૃતિ ફેલાય, સજાગતા કેળવાય તે માટે અમદાવાદના ઇકબાલભાઇ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ
જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ

કોરોના સ્પેશિયલ રાખડી બનાવતાં ઈકબાલભાઈ

ઇકબાલભાઇએ કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણકાજે માસ્ક પહેરતા થાય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા થાય, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ આકર્ષિત રાખડીઓ બનાવવામાં આવી છે.

બહેન રાખડી બાંધીને ભાઈની કોરોના સામે સુરક્ષા ચાહે છે

ઇકબાલભાઇ કહે છે કે ‘રાજ્ય અને દેશભરમાં રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી થાય છે. આ વર્ષે કોરોનાકાળ વચ્ચે જ્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો હોવાથી બજારમાં અન્ય રાખડીઓની સાથે કોરોનાના સંદેશા આપતી રાખડી ઉપલ્બધ કરાવીને એક જનજાગૃતિ લાવવાનો નાનો પ્રયાસ છે. બજારમાં ઉપલબ્ધ કરાવેલી આ રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ
જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ

ઈકબાલભાઈ લાગણીઓથી રાખડી તૈયાર કરે છે

બહેન દ્વારા ભાઇના કાંડા પર રાખડી બાંધતી વખતે તેના દ્વારા ભીડભાડ વાળી જગ્યાઓએ બિનજરૂરી જવાનું ટાળવું, જાહેર સ્થળોએ માસ્ક પહેરીને સ્વરક્ષણની સાથે અન્યોનું પણ રક્ષણ કરવું તેવું વચન લેવામાં આવે તેવા પવિત્ર આશય સાથે મેં લાગણીઓથી રાખડીઓ તૈયાર કરી છે. કોરોના સામેની સતર્કતા રાખવા નાગરિકો વેક્સિનેશન પણ જરૂરથી કરાવે તે માટેની સંદેશાયુક્ત રાખડી પણ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો- નડીયાદની વિધી સરક્રીક બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને બાંધશે રાખડી

રાખડી દ્વારા અપાય છે અનેક સંદેશા

કોરોના સામેની સુરક્ષાની સાથે સાથે અન્ય સલામતીના સંદેશભરી રાખડીઓ ઇકબાલભાઇ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો, તમાકુનુ વ્યસન છોડો, કેન્સર સામે રક્ષણ જેવા વિષય પર સંદેશા આપતી રાખડીઓનો પણ સમાવેશ થાય છે.

કોરોના સામે સલામતી જાળવવાનો પ્રયાસ

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, રાજ્ય અને દેશભરના બજારમાં જાત-ભાતની રાખડીઓ બનતી જોવા મળે છે. જેમાં ગાયના છાણમાંથી બનતી ઓર્ગેનિક રાખડી, બાળકો માટે કાર્ટુનવાળી રાખડી, ભાઇ-બહેનની તસ્વીરોવાળી રાખડી, વાંસની રાખડી વેગેરે જેવી રાખડીઓનો સમાવેશ થાય છે. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને પારખીને લોકોને રાખડીના માધ્યમથી પણ કોરોનાથી સલામતી અને જાગૃત કરવાનો ભગીરથ પ્રયાસ ઇકબાલભાઇ દ્વારા કરવામાં આવ્યો છે.

ઈકબાલભાઈની આ કળાની નોંધ વડાપ્રધાને પણ લીધી છે

અહીં એ પણ નોંધવુ રહ્યું કે, અમદાવાદ શહેરના રખિયાલમાં રહેતા ઇકબાલભાઇની આ કળાથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત હાલના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક વરિષ્ઠ અને ખ્યાતનામ લોકો આકર્ષિત થયા છે અને ઇકબાલભાઇની કળાની નોંધ લીધી છે, તેમની સરાહના કરી છે.

આ પણ વાંચો- વાંસની રાખડી બનાવી આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર

જનજાગૃતિનો વિચાર કેવી રીતે આવ્યો?

ઇકબાલભાઇના પિતા જ્યારે કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલની GCRI કેન્સર હોસ્પિટલમાં પિતાની સારવાર ચાલી રહી હતી, ત્યારે એક દિવસ સારવાર વેળાએ કેન્સર હોસ્પિટલના તત્કાલીન ડાયરેક્ટર ડૉ.પંકજ શાહને પોતાના રાખડીઓના વ્યવસાયથી માહિતગાર કર્યા. ત્યારે ડૉ.પંકજ શાહે તેમનામાં રાખડીના માધ્યમથી સમાજ ઉપયોગી બનવા કેન્સરની જનજાગૃતિના સંદેશા ફેલાવવાનો વિચારબીજ રોપ્યો. બસ ત્યારથી ઇકબાલભાઇએ સમાજોત્થાનનો નિર્ધાર કરીને કેન્સર સાથેના અન્ય લોકઉપયોગી વિષયક જનજાગૃતિ વાળી રાખડીઓ બનાવીને જનકલ્યાણના યજ્ઞનો આરંભ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.