ETV Bharat / city

આ વખતના ખરીફ પાકના વાવેતરમાં આ જિલ્લો રહ્યો મોખરે

author img

By

Published : Jul 18, 2022, 7:16 PM IST

આ વખતના ખરીફ પાકના વાવેતરમાં આ જિલ્લો રહ્યો મોખરે
આ વખતના ખરીફ પાકના વાવેતરમાં આ જિલ્લો રહ્યો મોખરે

સમગ્ર રાજ્યમાં વધુ વરસાદ થવાથી ખરીફ પાકની(Monsoon Crops in Gujarat) ખેડૂતોને આશા બંધાઈ છે. આ વર્ષના ચાલુ માસના શરૂઆતમાં ખરીફ પાકનું વાવેતર પૂરા ગુજરાતમાં અમદાવાદમાં(Monsoon Season in Ahmedabad) મોખરે રહ્યું છે. આ સાથે ખેડૂતો વધુ વાવેતર લેવા માટે આગામી વાવણીનું આયોજન કરી રહ્યા છે.

અમદાવાદ: ગુજરાતભરમાં વરસાદની સીઝનનો 57 ટાકા વરસાદ વરસી ચુક્યો છે. આ માસના છેલ્લા બે અઠવાડિયાથી લઈને આજ સુધી 19 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ વરસાદને કારણે ખરીફ પાકોનું નોંધપાત્ર વાવેતર(Monsoon Crops in Gujarat) થયું છે. જેથી આ વર્ષ અંતર્ગત ખરીફ પાકનું વાવેતર 1 લાખ હેક્ટર સુધી પોહચી ગયું છે. આ સાથે વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને લોકો હજુ વધારે વાવેતર(Monsoon Crop Production) થાય તેનું આયોજન કરી રહ્યા છે.

આ સાથે વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને લોકો હજુ વધારે વાવેતર થાય તેનું આયોજન કરી રહ્યા છે.
આ સાથે વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને લોકો હજુ વધારે વાવેતર થાય તેનું આયોજન કરી રહ્યા છે.

આ પણ વાંચો: Sowing started in Karjan : મહેનતની મોસમ આવી જિલ્લામાં કયા પાકોની છે વાવણી જૂઓ

સરકારની ટેકાના ભાવની ખરીદી યોજના - દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ખરીફ વાવેતરમાં(Rainwater Crops Growth) ડાંગરના પાકને મોખરે રાખશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલે જણાવ્યું હતું. બિન-પિયત ડાંગર અને કઠોળ પાકો માટે ખેતરની તૈયારી પૂર્ણ થયા બાદ અમદાવાદના તાલુકાના(Monsoon Season in Ahmedabad) નવ ગામો હવે વાવણી અને વાવેતરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. તેથી, કપાસના પાક માટે સાઈલેજ, આંતરખેડ અને વધારાના ખાતરોની શરૂઆત થઈ ગઈ છે. ઘણા સમુદાયોના ખેડૂતો કૃષિ ટાંકીઓમાં સિંચાઈ માટે પાણીનો સંગ્રહ કરે છે. વધુમાં, કપાસ અને ડાંગરના ખેતરોને જમીનના પાણીનો ઉપયોગ કરીને સિંચાઈ કરવામાં આવે છે. સદનસીબે, ઉપરોક્ત કોઈપણ પાકમાં હજુ સુધી કોઈ રોગ કે જીવાત જોવા મળી નથી. જો આખા વર્ષ દરમિયાન આ પ્રકારની ખેતી જાળવવામાં આવે તો ખેડૂતોની વાર્ષિક આવક થાય છે.

15 જુલાઈ સુધીમાં થયેલા વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ
15 જુલાઈ સુધીમાં થયેલા વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ

આ પણ વાંચો: ગુજરાતમાં અવિરત વરસાદથી ખેડૂતોના પાક બળી ગયા, રોડ તૂટી ગયા… હવે શું?

ત્રણ વર્ષમાં સરેરાશ 4 લાખ હેક્ટરથી વધુ વાવેત - છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 4 લાખ હેક્ટરથી વધુ વાવેતર થયું છે. હાલમાં અમદાવાદ જિલ્લાના બાવળા, દસક્રોઈ, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ એમ કુલ 9 તાલુકાઓમાં વ્યાપક વાવણીની કામગીરી(Sowing Operations in Ahmedabad District) શરૂ કરવામાં આવી છે. જો વરસાદ મદદ આપશે તો ખૂબ સારું વાવેતર( Cultivation of Monson crops) થશે. ખેડૂતો માટે આ વર્ષ ઘણું સારું રહેશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.