ETV Bharat / city

Ahmedabad 31st Celebration 2021 : ઉજવણી ન થતાં હોટલ રેસ્ટોરન્ટના વેપારમાં 20 ટકા નુકસાન થવાનો અંદાજ

author img

By

Published : Dec 31, 2021, 5:44 PM IST

31 ડીસેમ્બર હોવા છતાં અમદાવાદમાં હોટેલ રેસ્ટોરેન્ટમાં પાર્ટીઓની ઉજવણી નથી થઈ રહી. જેના (Ahmedabad 31st Celebration 2021) કારણે હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે (Ahmedabad Hotel and Restaurant Association) વેપારમાં 20 ટકાનો નુકસાન થવાનો અંદાજ છે.

Ahmedabad 31st Celebration 2021 : ઉજવણી ન થતાં હોટલ રેસ્ટોરન્ટના વેપારમાં 20 ટકા નુકસાન થવાનો અંદાજ
Ahmedabad 31st Celebration 2021 : ઉજવણી ન થતાં હોટલ રેસ્ટોરન્ટના વેપારમાં 20 ટકા નુકસાન થવાનો અંદાજ

અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરની અસર હવે વર્તાઈ રહી છે ત્યારે 31 ડિસેમ્બરના રોજ ઉજવણીનો રંગ (Ahmedabad 31st Celebration 2021) ફિક્કો પડતો નજરે પડી રહ્યો છે. 31 ડીસેમ્બર હોવા છતાં હોટેલ રેસ્ટોરેન્ટમાં પાર્ટીઓની ઉજવણી નથી થઈ રહી. જેના કારણે હોટલ રેસ્ટોરન્ટના વેપારમાં (Hotel restaurant business loss) 20 ટકાનો નુકસાન થવાનો અંદાજ છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન (Ahmedabad Hotel and Restaurant Association)તરફથી એવી પણ માગણી કરવામાં આવી રહી છે કે હોટેલ રેસ્ટોરન્ટ ઉપર પાબંદી લગાવવા કરતા મોટા પ્રમાણમાં થતાં મેળાવડા ઉપર રોક લગાવવી જોઈએ.

હોટેલ રેસ્ટોરન્ટ ઉપર પાબંદી લગાવવા કરતા મોટા પ્રમાણમાં થતાં મેળાવડા ઉપર રોક લગાવવી જોઈએ

આ પણ વાંચોઃ 31st Celebration 2021: રાજ્યમાં રાત્રે 11 વાગ્યા પછી કર્ફ્યુ હોવાથી અમદાવાદીઓએ નીકાળ્યો તોડ, DJને ગોવા-ઉદયપુર માટે બુક કરાવ્યા

શું કહે છે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ?

હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના (Ahmedabad Hotel and Restaurant Association) પ્રેસિડન્ટ નરેન્દ્ર સોમાણીએ ETV ભારતને જણાવ્યું હતું કે હાલ કોરોનાના કેસોમાં વધારો થતાં રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. 11 વાગ્યે કરફ્યૂ (Ahmedabad 31st Celebration 2021) હોવાના કારણે 11 વાગ્યા બાદ અમારે ગ્રાહકોને ના પાડી દેવી પડે છે. પહેલાંથી જ અમારા વ્યવસાયની ઉપર કોરોનાના પ્રથમ અને બીજી વેવના કારણે માઠી અસર (Hotel restaurant business loss)પહોંચી છે. બીજી તરફ આજ વ્યવસાય સૌથી વધુ રોજગારી પણ આપે છે. હાલ કોરોનાને કારણે 31 ડિસેમ્બરની ઉજવણી ન થતા 20 ટકા નુકસાન થાય તેમ છે.

આ પણ વાંચોઃ Police checking in Valsad : નવા વર્ષની ઉજવણી કરી દમણથી પરત થતા લોકોને પકડી એક સાથે રાખવા માટે પોલીસે મેરેજ હોલ બુક કર્યા

મેળાવડા ટાળો પણ હોટેલ રેસ્ટોરન્ટને છૂટ આપવા માગ

કોરોનાના કેસમાં વધારો થતો હોવાના કારણે 31 ડિસેમ્બરની પાર્ટીની ઉજવણી (Ahmedabad 31st Celebration 2021) નથી થઈ રહી ત્યારે બીજી તરફ રાત્રે 11 વાગ્યેથી કરફ્યુ લાગી જવાને કારણે સામાન્ય દિવસોમાં પણ હોટેલ રેસ્ટોરેન્ટના વેપાર ઉપર અસર પડી રહી છે. નરેન્દ્ર સોમાણીનું (Ahmedabad Hotel and Restaurant Association) કહેવું છે કે ભીડભાડ જેવા અન્ય મેળાવડા શક્ય હોય ત્યાં સુધી ટાળવા જ જોઈએ. પણ હોટેલ રેસ્ટોરેન્ટને આમાંથી થોડી રાહત આપવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.