ETV Bharat / business

Stock Market India: માર્કેટમાં મંદીનો U ટર્ન, સેન્સેક્સ ફરી 58,000ની નીચે

author img

By

Published : Mar 23, 2023, 5:16 PM IST

Stock Market India: માર્કેટમાં મંદીનો U ટર્ન, સેન્સેક્સ ફરી 58,000ની નીચે મંદીનો U ટર્ન, સેન્સેક્સ ફરી 58,000ની નીચે
Stock Market India: માર્કેટમાં મંદીનો U ટર્ન, સેન્સેક્સ ફરી 58,000ની નીચે

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થતા રોકાણકારોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આજે સેન્સેક્સ 289 અને નિફ્ટી 75 પોઈન્ટ ગગડ્યો હતો.

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 289.31 પોઈન્ટ (0.50 ટકા)ના ઘટાડા સાથે 57,925.28ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 75 પોઈન્ટ (0.44 ટકા)ના સામાન્ય ઘટાડા સાથે 17,076.90ના સ્તર પર બંધ થયો છે. આના કારણે આજે ફરી એક વાર રોકાણકારોએ રોવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચોઃ Hindenburg Research : અદાણી પછી હિંડનબર્ગ નવા ધડાકાની તૈયારીમાં, ખબર નહીં હવે કોનો વારો?

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ હિન્દલ્કો 1.54 ટકા, મારુતી સુઝૂકી 1.22 ટકા, નેશલે 1.19 ટકા, ભારતી એરટેલ 0.91 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ 0.84 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઃ એસબીઆઈ -1.69 ટકા, બજાજ ઑટો -1.55 ટકા, કોટક મહિન્દ્રા -1.49 ટકા, એશિયન પેઈન્ટ્સ -1.48 ટકા, એચસીએલ ટેક -1.44 ટકા.

માર્કેટ ગગડવા પાછળના કારણોઃ ફેડ રિઝર્વએ આશા મુજબ 25 બેસીઝ પોઈન્ટ્સનો જ ઉછાળો કર્યો છે, પરંતુ અમેરિકાના નાણા મંત્રી ના નિવેદન પછી ચિંતાએ વધી ગઈ છે કે, તમામ ડિપોઝિટર્સ માટે બ્લેન્કેટ ઈન્શ્યોરન્સ પર વિચાર નથી કરવામાં આવી રહ્યો. અમેરિકાના વાયદા બજારમાં તેજીના કારણે સ્થાનિક બજારમાં શરૂઆતી ઘટાડા પછી થોડી રિકવરી જોવા મળી હતી. જોકે, સ્વિસ નેશનલ બેન્ક દ્વારા 50 બેસીઝ પોઈન્ટનો ઉછાળો કરવાના કારણે યુરોપીય બજારમાં નબળાઈથી રિકવરી વધારે સમય સુધી ન જોવા મળી.

આ પણ વાંચોઃ Jayanti Chauhan : જાણો કોણ છે જયંતિ ચૌહાણ, જેણે બિસલરીની કમાન લેવાનો ઈન્કાર કર્યો

રોકાણકારોની સંપતિ ઘટીઃ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઝની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે ઘટીને 257.10 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે, જે છેલ્લા વેપારી દિવસે (બુધવાર) 257.97 લાખ કરોડ રૂપિયા હતી. આ રીતે જ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઝની માર્કેટ કેપ આજે લગભગ 87,000 કરોડ રૂપિયા ઘટી છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો, રોકાણકારોની સંપતિમાં 87,000 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.