ETV Bharat / business

Reliance Capital: રિલાયન્સ ગ્રુપ માટે મદદગાર બની રહ્યું હિંદુજા ગ્રુપ, જનરલ ઈન્સ્યોરન્સમાં 300 કરોડનું રોકાણ

author img

By

Published : Apr 29, 2023, 6:56 AM IST

રિલાયન્સ કેપિટલના ચેરમેન અનિલ અંબાણી આ દિવસોમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમની વીમા કંપની રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સને સોલ્વન્સી સ્તર જાળવવા માટે રોકડની જરૂર છે. જેના માટે હિન્દુજા ગ્રુપે રૂ.300 કરોડના રોકાણની ઓફર કરી છે. વાંચો પૂરા સમાચાર...

Hinduja Group offers to invest Rs 300 crore in Reliance General Insurance
Hinduja Group offers to invest Rs 300 crore in Reliance General Insurance

નવી દિલ્હીઃ હિન્દુજા ગ્રુપે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં વધારાના રૂ. 300 કરોડનું રોકાણ કરવાની ઓફર કરી છે. રિલાયન્સ કેપિટલના એકમ રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સને તેનું સોલ્વન્સી સ્તર જાળવવા માટે રોકડની જરૂર છે. હિન્દુજાની માલિકીની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) એ બુધવારે બીજી હરાજીમાં રિલાયન્સ કેપિટલ માટે રૂ. 9,650 કરોડની સૌથી વધુ બોલી લગાવી હતી.

Mukesh Ambani: કોણ છે મનોજ મોદી? જેને મુકેશ અંબાણીએ 1500 કરોડ રૂપિયાનું ઘર ભેટમાં આપ્યું

600 કરોડની રોકડની માંગણી: રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સે IRDAની સોલ્વન્સી જરૂરિયાતોને પહોંચી વળવા ગયા વર્ષે ડિસેમ્બરમાં ધિરાણકર્તાઓ પાસેથી રૂ. 600 કરોડની રોકડની માંગણી કરી હતી. ધિરાણકર્તાઓએ અગાઉ તેમના પોતાના ખિસ્સામાંથી ભંડોળની માંગને નકારી કાઢી હતી, સામાન્ય વીમા કંપનીની જવાબદારી આગામી રોકાણકાર પર છોડી દીધી હતી. રૂ. 9,650 કરોડની બિડ રકમ ધિરાણકર્તાઓને જશે, જેમણે રિલાયન્સ કેપિટલને રૂ. 24,000 કરોડનું ધિરાણ કર્યું હતું. રિલાયન્સ કેપિટલની કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) એ આજે ​​એક બેઠક યોજી હતી. જેમાં હિન્દુજા ગ્રુપના ટોચના એક્ઝિક્યુટીવે તેના સોલ્યુશન પ્લાન અંગે પ્રેઝન્ટેશન કર્યું હતું.

Rekha jhunjhunwala: માત્ર 15 દિવસમાં 1,000 કરોડ રૂપિયા કમાયા, રેખા ઝુનઝુનવાલાની નેટવર્થ જોઈને ચોંકી જશો

જનરલ ઈન્સ્યોરન્સમાં 100 ટકા હિસ્સો: રિલાયન્સ કેપિટલ રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સમાં 51 ટકા અને રિલાયન્સ નિપ્પોન જનરલ ઈન્સ્યોરન્સમાં 100 ટકા હિસ્સો ધરાવે છે. હિન્દુજા ગ્રૂપ ઇન્ડસઇન્ડ બેંક અને અશોક લેલેન્ડની માલિકીની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની, હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સમાં તેના હિસ્સા દ્વારા નાણાકીય સેવા ક્ષેત્રમાં હાજરી ધરાવે છે. ગ્રૂપ પાસે હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ છે જે નાણાકીય સેવાઓમાં તેની હાજરીને વિસ્તૃત કરવાની તેની વ્યૂહરચના માટે ચાવીરૂપ છે. એકીકૃત સ્તરે, 31 ડિસેમ્બર, 2022ના રોજ, હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સની એયુએમ (સંચાલન હેઠળની સંપત્તિ) રૂ. 33,353 કરોડ હતી, જેમાં હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસનો હિસ્સો 18 ટકા હતો. હિન્દુજા ગ્રુપે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં રૂ. 300 કરોડ ઉપરાંત રૂ. 9,650 કરોડ અને અન્ય ખર્ચ માટે રૂ. 50 કરોડની ઓફર કરી છે. IIHLની બિડનું કુલ મૂલ્ય રૂ. 10,000 કરોડ છે. હિન્દુજાની કુલ બિડ પ્રથમ ચેલેન્જ મિકેનિઝમમાં તેની રૂ. 8,110 કરોડની બિડ કરતાં રૂ. 1,900 કરોડ વધારે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.