ETV Bharat / business

આંબેડકર જયંતિ નિમિત્તે ઈક્વિટી માર્કેટ બંધ રહેશે

author img

By

Published : Apr 14, 2020, 1:03 PM IST

Equities market closed on account of Ambedkar Jayanti
આંબેડકર જયંતી નિમિત્તે ઈક્વિટી માર્કેટ બંધ રહેશ

ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) અને ભારતનો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) મંગળવારે બંધ રહ્યું હતું.

મુંબઈ: ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીને નિમિત્તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) અને ભારતનો નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) મંગળવારે બંધ રહ્યું હતું. મેટલ અને બુલિયન સહિત હોલસેલ કોમોડિટી બજારો પણ બંધ રહ્યા હતા.

વિદેશી વિનિમય અને કોમોડિટી વાયદા બજારોમાં પણ કોઈ ટ્રેડિંગ પ્રવૃત્તિ નહોતી. BSE, એસ એન્ડ પી સેન્સેક્સ 470 પોઈન્ટ (1.51 ટકા) તૂટીને 30,690 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 118 ઘટીને (1.3 ટકા) 8,994 પર બંધ રહ્યો હતો. આ દરમિયાન એશિયન શેરોમાં કોરોના વાઈરસને કારણે ઉછાળો આવ્યો હતો.

વૈશ્વિક મંદી અંગે રોકાણકારો ચિંતિત હોવાથી ચિની ટ્રેડ ડેટા અને કોર્પોરેટની કમાણી કરતા આગામી બજાર ભાવથી વાકેફ હતા. ચીનના શેરમાં બ્લુ-ચિપ ઈન્ડેક્સમાં 0.7 ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કીમાં 1.4 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

હોંગકોંગની હેંગ સેંગમાં 0.2 ટકાનો વધારો થયો છે. તેનાથી MSCIનો એશિયા પેસિફિકના બ્રોડેસ્ટ ઈન્ડેક્સમાં જાપાનને બાદ કરતા 0.6 ટકાનો નોંધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.