ETV Bharat / business

ઉડ્ડયન મંત્રાલયનું સૂચન- ફ્લાઇટ્સના કેબિનમાં સામાનની મંજૂરી ન આપો

author img

By

Published : May 13, 2020, 12:27 AM IST

aviation
aviation

કોરોના વાઇરસ સંક્રમણ અટકાવવા માટે અમલમાં મૂકાયેલા લોકડાઉનને કારણે 25 માર્ચથી ઘરેલું હવાઈ સેવા સ્થગિત કરવામાં આવી છે. ઘરેલુ હવાઈ મુસાફરી કરતા તમામ લોકો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ગ્રીન હેલ્થ, વેબ ચેક-ઇન અને ટેમ્પરેચર ચેકની દરખાસ્ત કરવામાં આવી છે.

મુંબઇ: લોકડાઉન પછી વ્યાપારી ઉડાન સેવા ફરી શરૂ કરવાના પ્રથમ તબક્કામાં કોવિડ-19ને લગતી વિગતવાર પ્રશ્નાવલી ભરી, કેબિનમાં સામાન ન રાખતા, આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અને વિમાનના પ્રસ્થાનના સમયે ઓછામાં ઓછા બે કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું ફરજિયાત હોઈ શકે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં વ્યાપારી હવાઈ મુસાફરી સેવા ફરી શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

કોરોના વાઇરસ સંક્રમણ અટકાવવા માટે અમલમાં મૂકાયેલા લોકડાઉનને કારણે 25 માર્ચથી ઘરેલું હવાઈ સેવા સ્થગિત કરવામાં આવી છે. ઘરેલુ હવાઈ મુસાફરી કરતા તમામ લોકો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ગ્રીન હેલ્થ, વેબ ચેક-ઇન અને ટેમ્પરેચર ચેકની દરખાસ્ત કરવામાં આવી છે.

બીજા સૂચનમાં મુસાફરોને તબીબી ઇમરજન્સીમાં બેસાડવા માટે વિમાનની ત્રણ કતારો ખાલી રાખવાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરો સહિતના તમામ પક્ષો સાથે પરામર્શ કર્યા પછી એસઓપીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે હોદ્દેદારો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે.

મંત્રાલયે એવું સૂચન પણ કર્યું છે કે શરીરના તાપમાન અથવા ઉંમરના લીધે મુસાફરોને મુસાફરી કરવાની મંજૂરી ન હોય તેવા મુસાફરોને કોઈ વધારાના ચાર્જ વિના તારીખ બદલવાની છૂટ હોવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.