ETV Bharat / business

RBIએ વધુ એક બેન્કનું લાઈસન્સ રદ કર્યું

author img

By

Published : Jul 15, 2021, 8:45 AM IST

RBIએ વધુ એક બેન્કનું લાઈસન્સ રદ કર્યું
RBIએ વધુ એક બેન્કનું લાઈસન્સ રદ કર્યું

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ બુધવારે એક મોટું નિવેદન આપ્યું હતું. RBIએ કહ્યું હતું કે, પર્યાપ્ત મુડી અને કમાણીની સંભાવના ન હોવાના કારણે ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડનું લાઈસન્સ રદ કરી દેવાયું છે.

  • રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ વધુ એક બેન્કનું લાઈસન્સ રદ કર્યું
  • મહારાષ્ટ્રની ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ (Dr. Shivajirao Patil Nilangekar Urban Co-operative Bank Ltd.)નું લાઈસન્સ રદ
  • બેન્ક પોતાની વર્તમાન નાણાકીય સ્થિતિના કારણે થાપણદારોને ભરવાઈ કરવામાં અસમર્થઃ RBI

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ બુધવારે એક મોટું નિવેદન આપ્યું હતું. RBIએ કહ્યું હતું કે, પર્યાપ્ત મુડી અને કમાણીની સંભાવના ન હોવાના કારણે ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ (Dr. Shivajirao Patil Nilangekar Urban Co-operative Bank Ltd.)નું લાઈસન્સ રદ કરી દેવાયું છે. RBIએ લાઈસન્સ રદ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રની આ બેન્ક પોતાની વર્તમાન નાણાકીય સ્થિતિના હિસાબથી થાપણદારોને સંપૂર્ણ ભરપાઈ કરવામાં અસમર્થ થઈ શકે છે. આ માટે લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પોની ફરી વખત ખરીદી કરશે

મહારાષ્ટ્રની બેન્ક માટે એક લિક્વિડેટર (Liquidator) નિયુક્ત કરવા અનુરોધ

આ ઉપરાંત સહકારી મંડલ અને સહકારી સમિતિઓના રજિસ્ટ્રાર, મહારાષ્ટ્રથી પણ બેન્કને બંધ કરવા અને બેન્ક માટે એક લિક્વિડેટર (Liquidator) નિયુક્ત કરવાનો આદેશ જાહેર કરવાનો અનુરોધ કર્યો છે. કેન્દ્રિય બેન્કે કહ્યું હતું કે, ડો. શિવાજી રાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઓપરેટિવ બેન્ક (Dr. Shivajirao Patil Nilangekar Urban Co-operative Bank Ltd.) પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીનું કોઈ સાધન નથી. આ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની જોગવાઈઓને અનુકૂળ નથી.

આ પણ વાંચો- Zomato IPO: આજથી રોકાણ કરવાની તક મળશે, એન્કર રોકાણકારોએ 4,196 કરોડ રૂપિયા કર્યા ભેગા

બેન્કને આગળ વ્યવસાય કરવાની અનુમતિથી જનહિત પર અસર પડશેઃ RBI

RBIએ વધુમાં ઉમેર્યું હતું કે, બેન્કમાં ટકી રહેવા તેમના થાપણદારોના હિતો માટે યોગ્ય નહીં હોય. જો બેન્કે પોતાના બેન્કિંગ વ્યવસાયને અને આગળ કરવાની અનુમતિ આપવામાં આવી તો તેનાથી જનહિત પર અસર પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.