ETV Bharat / business

સાવધાન રહો: SBI યોનો દ્વારા કોઇ ઇમરજન્સી લોન આપી રહ્યું નથી...

author img

By

Published : May 10, 2020, 11:19 PM IST

SBIએ કહ્યું કે, "યોનો દ્વારા SBI કોઈ ઇમરજન્સી લોન યોજના આપતી મથી. આ માત્ર ભ્રામક સમાચારો ચાલી રહ્યાં છે. જેના પગલે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે, એસબીઆઈ આવી કોઈ લોન આપતી નથી. અમે અમારા ગ્રાહકોને પણ આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરીએ છીએ. "

સાવધાન : SBI યોનો દ્વારા કોઇ ઇમરજન્સી લોન આપી રહ્યું નથી
સાવધાન : SBI યોનો દ્વારા કોઇ ઇમરજન્સી લોન આપી રહ્યું નથી

મુંબઇ: ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)એ રવિવારે સ્પષ્ટતા કરી હતી કે, અમારી બેંક યોનો પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી લોન આપી રહી નથી. આ માત્ર અફવા છે.

કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, એસબીઆઈ 45 મિનિટમાં 5 લાખ રૂપિયા સુધીની ઇમરજન્સી લોન આપી રહી છે. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, આ લોન 10.5 ટકાના વ્યાજ દરે આપવામાં આવશે અને ઇએમઆઇ છ મહિનાના સમયગાળા બાદ શરૂ થશે. જો કે, બેંકે હવે સ્પષ્ટતા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.