ETV Bharat / business

31 માર્ચ સુધીમાં PAN CARDને આધાર સાથે જોડવું ફરજિયાત: ઈન્કમ ટેક્ષ વિભાગ

author img

By

Published : Mar 16, 2020, 11:36 PM IST

આવકવેરા વિભાગ દ્વારા જણાવમાં આવ્યું છે કે, "આ સમય મર્યાદાનું પાલન કરો". વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતું કે,"31 માર્ચ, 2020 પહેલા પાન કાર્ડને આધાર સાથે જોડવું ફરજિયાત છે. તમે બાયમેટ્રિક આધાર ચકાસણી દ્વારા અથવા એનએસડીએલ અને યુટીઆઇટીએસએલના પાન સેવા કેન્દ્રોની મુલાકાત લઈને કરી શકો છો."

આયકર વિભાગ
આયકર વિભાગ

નવી દિલ્હી: આવકવેરા વિભાગે સોમવારે કહ્યું કે, આધારને PAN સાથે લિંક કરવું ફરજિયાત છે અને લોકોને 31 માર્ચની અંતિમ તારીખનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. વિભાગે છેલ્લા મહિને કહ્યું હતું કે, જો 31 માર્ચ સુધીમાં PANને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN કાર્ડ કામ કરશે નહીં.

આવકવેરા વિભાગે કહ્યું, "આ સમયમર્યાદાનું પાલન કરો." વિભાગે સોશિયલ મીડિયા પર અપાયેલી પોસ્ટમાં કહ્યું છે કે, "31 માર્ચ, 2020 પહેલા PANને આધાર સાથે જોડવું ફરજિયાત છે. તમે બાયમેટ્રિક આધાર ચકાસણી દ્વારા અથવા એનએસડીએલ અને યુટીઆઇટીએસએલના PAN સેવા કેન્દ્રોની મુલાકાત લઈને કરી શકો છો."

વિભાગે ટ્વિટર પર એક વીડિયો મુક્યો અને કહ્યું કે તે ભવિષ્ય માટે ફાયદાકારક છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ કામ બે રીતે થઈ શકે છે. પ્રથમ, તે 567678 અથવા 56161 પર સંદેશ મોકલીને કરી શકાય છે. વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ-www.incometaxindiaefiling.gov.in દ્વારા PAN આધાર સાથે લિંક કરી શકાય છે.

સત્તાવાર આંકડા મુજબ 27 જાન્યુઆરી સુધી 3075 કરોડ PAN સાથે જોડવામાં આવ્યા છે. હાલ 17.58 કરોડ PAN આધાર સાથે જોડવાના બાકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.