ETV Bharat / business

કોવિડ-19 નિયંત્રણમાં આવ્યા પછી જ ઉડાન પરના પ્રતિબંધ હટાવાશે: સરકાર

author img

By

Published : Apr 21, 2020, 12:28 AM IST

ઉડ્ડયન પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું કે, રવિવારે એરલાઇન્સને અપાયેલા એક નિર્દેશમાં તેમને ટિકિટ બુક નહીં કરવાનું જણાવવામાં આવ્યું છે. કારણ કે તેઓએ આ સંદર્ભે સરકારની સલાહ સ્વીકારી ન હતી.

plane
plane

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબં સરકાર દ્વારા ત્યારે જ હટાવવામાં આવશે જ્યારે કોવિડ-19 સંપૂર્ણ પણે નિયંત્રણમાં આવશે. અમુક એરલાઇન્સે ટીકીટ બુક કરવાનું ચાલું કર્યું હતું, જેને લઇને પુરીએ આ નિવેદન આપ્યું હતું.

ઉડ્ડયન પ્રધાને ટ્વીટમાં જણાવ્યું હતું કે રવિવારે એરલાઇન્સને અપાયેલા એક નિર્દેશમાં તેમને ટિકિટ બુક ન કરવાનું કહેવામાં આવ્યું છે કારણ કે તેઓએ આ સંદર્ભે સરકારની સલાહ સ્વીકારી ન હતી.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, "હું ફરી એકવાર કહેવા માંગુ છું કે કોવિડ -19 ની લડતમાં ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ એ ખાતરી કર્યા પછી જ હટાવવામાં આવશે કે હવે વાઇરસ નિયંત્રણમાં છે અને આપણા દેશ અને લોકોને કોઈ ખતરો નથી. "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.