ETV Bharat / bharat

UP Cabinet Expansion : યોગી કેબિનેટમાં આ પ્રધાનોને સ્થાન મળશે !, જૂઓ યાદી

author img

By

Published : Sep 26, 2021, 3:11 PM IST

UP cabinet expansion

રવિવારે રજા હોવા છતા તમામ અધિકારીઓને રાજભવન બોલાવવામાં આવ્યા છે. બીજી બાજુ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપના પ્રભારી રાધા મોહન સિંહ, પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ પ્રધાનમંડળમાં સમાવવાના નામોને અંતિમ રૂપ આપી રહ્યા છે.

  • યોગી સરકાર આજે રવિવારે કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે
  • રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતનો પ્રવાસ છોડીને ફરી લખનઉ
  • 6થી 7 નવા ચહેરાઓને પ્રધાન પદના શપથ અપાવવાની ચર્ચા

લખનઉ, ઉત્તરપ્રદેશ: યોગી આદિત્યનાથ સરકાર આજે રવિવારે કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહી છે. આ કેબિનેટ વિસ્તરણ આજે (રવિવારે) સાંજે 5.30 વાગ્યે થવાની ધારણા છે. આ દરમિયાન 6થી 7 નવા ચહેરાઓને પ્રધાન પદના શપથ અપાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતનો પ્રવાસ છોડીને ફરી લખનઉ આવી રહ્યા છે.

મુખ્યપ્રધાન યોગી દ્વારા પ્રધાનોના નામોને અંતિમ રૂપ

તમામ અધિકારીઓને રવિવારે રાજભવન બોલાવવામાં આવ્યા છે. બીજી બાજુ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપના પ્રભારી રાધા મોહન સિંહ, પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ પ્રધાનમંડળમાં સમાવવાના નામોને અંતિમ રૂપ આપી રહ્યા છે. ETV Bharat ને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરનારાઓની યાદીમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેબી રાની મૌર્ય, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદ સહિતના અન્ય નામો સામેલ છે.

OBC ચહેરા તરીકે ધરમવીર પ્રજાપતિની ચર્ચા

આ સિવાય યુપીના વ્રજ પ્રદેશમાંથી આવતા ભાજપના MLC ધરમવીર પ્રજાપતિને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી વ્રજ ક્ષેત્રમાં પ્રાદેશિક સમીકરણો બનાવવાની કોશિશ કરતી જોવા મળશે, સાથે સાથે OBC ચહેરા તરીકે માન્યતા ધરાવતા ધરમવીર પ્રજાપતિને પ્રધાન તરીકે રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરશે.

દલિત ચહેરા તરીકે પ્રધાન પદ માટે પલટૂ રામનું નામ

ધરમવીર પ્રજાપતિ ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક છે અને તેમણે ઘણી મહત્વની જવાબદારીઓ પણ નિભાવી છે. દલિત ચહેરામાં બલરામપુરના ધારાસભ્ય પલટૂ રામનું નામ પણ પ્રધાન બનનારાઓમાં સામેલ છે. ભાજપ ચૂંટણી પહેલા દલિત ચહેરા તરીકે પ્રધાન પદની જવાબદારી આપીને દલિતોમાં મોટો સંદેશ આપવાનો પ્રયત્ન કરશે. એ જ રીતે ગાઝીપુરના મહિલા ધારાસભ્ય સંગીતા બિંદ પણ આજે સાંજે પ્રધાનના શપથ લેવા જઈ રહ્યા છે.

UPમાં નિષાદ ચૂંટણીમાં સંપૂર્ણ તાકાતથી કામ કરશે

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, તેઓ પ્રથમ વખત ચૂંટણી પ્રભારી બન્યા બાદ યુપીની મુલાકાતે છે. આ દરમિયાન ત્રણ દિવસથી બેઠકો ચાલી રહી છે. કહ્યું કે, તેઓ આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ તાકાતથી કામ કરશે. તેમણે અપના દળની સાથે પણ હોવાનું જણાવ્યું હતું. કહ્યું હતું કે, નિષાદ 2022 માં પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરે છે.

નિષાદ પાર્ટીને શાનદાર ઓફર આપશે

પ્રધાને કહ્યું કે, તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. સીટ શેરિંગ પર શાનદાર ઓફર આપશે. વધુમાં કહ્યું કે, આપણે સમાજના તમામ વર્ગોને સાથે લાવવાના છે. ખેડૂતોની નારાજગી વ્યક્તિલક્ષી વિષય હોઈ શકે છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે, ખેડૂતો માટે મોદીએ જેટલું કામ કર્યું તેટલું કોઈએ કર્યું નથી.

નિષાદે 24 બેઠકની કરી માંગ

બીજી તરફ નિષાદ પાર્ટીના પદાધિકારીઓનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશની 70 વિધાનસભા બેઠકો પર તેમની અસર જોવા મળે છે. 24 બેઠકો પર ભાજપ તેમને ચૂંટણી લડવા માટે સંકેત આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં ભાજપનું ગઠબંધન સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે હતું, જેણે 4 બેઠકો જીતી હતી. ઘણી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીતમાં ભૂમિકા ભજવી હતી, પરંતુ પાર્ટી અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભાર સાથે વિખવાદને કારણે આ ગઠબંધન તૂટી ગયું હતું. હવે ભાજપ આ ચૂંટણી માટે નાના પક્ષો સાથે નવા ગઠબંધન કરવા માટે સક્રિય છે. તેની શરૂઆત નિષાદ પાર્ટીથી થઈ રહી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.