ETV Bharat / bharat

Yamuna River: ફરી યમુનાના નીરે ચિંતા વધારી, જોખમના નિશાનથી ઉપર

author img

By

Published : Jul 23, 2023, 10:45 AM IST

યમુનાની ઉપનદી હિંડોન નદીમાં પૂરને પગલે સત્તાવાળાઓએ સંવેદનશીલ વિસ્તારોમાં સામાન્ય એલર્ટ જાહેર કર્યું છે. નોઈડાના ગ્રામ્ય વિસ્તાર એવા છીઝરસી, ઈકોટેક અને અન્ય સ્થળોએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં જૂના રેલ્વે બ્રિજ પર યમુના નદીમાં પાણીનું સ્તર જોખમના નિશાનથી ઉપર રહ્યું છે.

Yamuna River: ફરી યમુનાના નીરે ચિંતા વધારી, જોખમના નિશાનથી ઉપર
Yamuna River: ફરી યમુનાના નીરે ચિંતા વધારી, જોખમના નિશાનથી ઉપર

નોઈડા-ઉત્તર પ્રદેશઃ શનિવારે હિંડોન નદીમાં પાણીનું સ્તર વધતાં નજીકમાં આસપાસના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. પોલીસ શનિવારે ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. છીઝરસીથી ઈકોટેક સુધી ત્રણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. લોકોને ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ફરી વધી રહ્યું છે અને તે 205.75 મીટર નોંધાયું છે.

અધિકારીનું નિવેદનઃ હિંડોન નદીએ હજુ સુધી ક્યાંય જોખમનું નિશાન ઓળંગ્યું નથી, એમ અધિક પોલીસ કમિશનર સુરેશ રાવ એ. કુલકર્ણીએ જણાવ્યું હતું. વધુમાં ઉમેરતા કુલકર્ણીએ જણાવ્યું હતું કે, "સાવચેતી લેતા, પોલીસની ટીમો સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. લોકોને નજીકની શાળાઓ અને રેઈનબસેરાઓમાં ઘરોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે પાણીના સ્તર પર નજર રાખી રહ્યા છીએ".

યમુનાનું જળસ્તર વધ્યુંઃ હિંડોન નદી યમુના નદીની ઉપનદી છે. નોંધનીય છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં જૂના રેલ્વે બ્રિજ પર યમુના નદીમાં પાણીનું સ્તર જોખમના નિશાનથી ઉપર રહેવાનું ચાલુ રાખ્યું છે કારણ કે, શુક્રવારે રાત્રે 10:00 વાગ્યે તે 205.48 મીટર નોંધાયું હતું. ઘણા દિવસો સુધી ઘટ્યા પછી, શુક્રવારે સાંજે રાજધાની દિલ્હીમાં યમુનાનું જળસ્તર ફરી એકવાર 205.33 મીટરના ખતરાના નિશાનને પાર કરી ગયું.

બેરેજમાંથી પાણીનો નિકાલઃ હથની કુંડ બેરેજમાંથી કલાકદીઠ પાણીનો નિકાલ જે 11 જુલાઈના રોજ અંદાજે 3,60,000 ક્યુસેકની હદ સુધી ગયો હતો તે હવે શુક્રવારે સાંજે 7:00 વાગ્યે નોંધાયા મુજબ 29,973 ક્યુસેક પર વહી રહ્યો છે. 13 જુલાઇ પછી, યમુના 208.66 મીટરની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા પછી ધીમે ધીમે નીચે આવી રહી હતી પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં જળ સ્તરમાં નજીવી વધઘટ જોવા મળી છે.

પૂર જેવી સ્થિતિઃ યમુના નદી માટે જોખમનું નિશાન 205.33 મીટર છે. નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ, પાણી ભરાવાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારાને પગલે, દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે વાહનોના પ્રવેશ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. "પૂરની પરિસ્થિતિમાં સુધારો અને યમુના નદીના ઘટતા જળ સ્તરને ધ્યાનમાં રાખીને, સક્ષમ સત્તાવાળાઓ દ્વારા 13મી અને 17મી જુલાઈના આદેશો અનુસાર 19મી જુલાઈથી અમલમાં મૂકવામાં આવેલા તમામ નિયંત્રણો પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે," એક સત્તાવાર નિવેદન વાંચ્યું.

  1. Junagadh Flood: બાળકોએ વરસાદની મજા માણી તો વેપારીઓને નુકસાન
  2. Dog Temple: અનોખુ ગામ, જ્યાં દેવી-દેવતા પહેલા શ્વાનની થાય છે પૂજા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.