વિશ્વ ભેજવાળી જમીન દિવસ ૨૦૨૧ : જાળવણી જરૂરી

author img

By

Published : Feb 2, 2021, 1:41 PM IST

land
land ()

લોકો અને આપણા ગ્રહ માટે ભેજવાળી જમીન ના મહત્વ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૨ ફેબ્રુઆરી એ આંતરરાષ્ટ્રીય સ્તરે “વિશ્વ ભેજવાળી જમીન દિવસ “ ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે, ૨ ફેબ્રુઆરી ૧૯૭૧ ના રોજ, કેસ્પિયન સમુદ્રના કાંઠે આવેલા ઇરાનના શહેર રામસારમાં યોજાયેલ, ભેજવાળી જમીન પર સંમેલન ની તારીખ પણ દર્શાવે છે. ૨૦૨૧ એ રામસાર સંમેલનની 50 મી વર્ષગાંઠ છે.


ન્યૂઝ ડેસ્કઃ લોકો અને આપણા ગ્રહ માટે ભેજવાળી જમીન ના મહત્વ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૨ ફેબ્રુઆરી એ આંતરરાષ્ટ્રીય સ્તરે “વિશ્વ ભેજવાળી જમીન દિવસ “ ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે, ૨ ફેબ્રુઆરી ૧૯૭૧ ના રોજ, કેસ્પિયન સમુદ્રના કાંઠે આવેલા ઇરાનના શહેર રામસારમાં યોજાયેલ, ભેજવાળી જમીન પર સંમેલન ની તારીખ પણ દર્શાવે છે. ૨૦૨૧ એ રામસાર સંમેલનની 50 મી વર્ષગાંઠ છે.

2021 માટે નો વિષય : "ભેજવાળી જમીન અને પાણી ", ( વેટ લેન્ડ્સ એન્ડ વોટર ) ડબ્લ્યુ.ડબ્લ્યુ.ડી ૨૦૨૧ માટેનો વિષય , તાજા પાણી ના સ્ત્રોત તરીકે ભેજવાળી જમીન પર એક પ્રકાશ ફેંકે છે અને તેને પુન: સ્થાપિત કરવા અને તેમના નુકસાન ને રોકવા માટે ની ક્રિયાઓ ને પ્રોત્સાહિત કરે છે.

આપણે ડબ્લ્યુ.ડબ્લ્યુ.ડી કેમ ઉજવીએ છીએ: આપણે વધતા જતા તાજા પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છીએ, જે લોકો અને આપણા ગ્રહ માટે એક ચેતવણી છે. આપણે પ્રકૃતિ ફરી ભરી શકે તેના કરતા વધારે મીઠા પાણીનો ઉપયોગ કરીએ છીએ, અને આપણે પાણી અને તમામ જીવન મોટાભાગના - ભેજવાળી જમીન પર આધારિત ઇકોસિસ્ટમનો નાશ કરી રહ્યા છીએ છે.

૨૦૨૧ ની ઝુંબેશ, આપણા ગ્રહ પર તાજા પાણી ની માત્રા અને ગુણવત્તામાં ભેજવાળી જમીનના યોગદાને પ્રકાશિત કરે છે. પાણી અને ભેજવાળી જમીન, તે એક અવિભાજ્ય સહ-અસ્તિત્વમાં જોડાયેલ છે, જે આપણાજીવન, આપણી સુખાકારી અને આપણા ગ્રહના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે.

ભેજવાળી જમીન શું છે: ભેજવાળી જમીન એ જમીનના વિસ્તારો છે કે જે સંતૃપ્ત થાય છે અથવા કાયમી અથવા મોસમી ધોરણે પાણીથી ભરાય છે. અંતર્દેશીય ભેજવાળી જમની માં કળણ, તળાવો, નીચાણનો ભેજવાળો ભૂમિભાગ, નદીઓ, પૂર સપાટીઓ અને કળણભૂમિ શામેલ છે. દરીયા કિનારા પર ની ભેજવાળી જમીન માં ખારા પાણીના કળણ, નદીઓ, સુંદરીવૃક્ષ, ખારા પાણીનું સરોવર, અને પરવાળાના ખડકો શામેલ છે. મત્સ્ય - તળાવ, ડાંગર અને મીઠાનો અગર એ માનવસર્જિત ભેજવાળી જમીન છે.

ભેજવાળી જમીન નું મહત્વ: ભેજવાળી જમીન સૌથી વૈવિધ્યસભર અને ઉત્પાદક ઇકોસિસ્ટમ્સમાં શામેલ છે. તેઓ આવશ્યક સેવાઓ પ્રદાન કરે છે અને આપણા બધા માટે તાજા પાણીની પૂર્તિ કરે છે. ભેજવાળી જમીન એ જમીન ના વિસ્તારો છે જે સંતૃપ્ત થાય છે અથવા કાયમી અથવા મોસમી ધોરણે પાણીથી ભરાય છે. અંતર્દેશીય ભેજવાળી જમની માં કળણ, તળાવો, નીચાણનો ભેજવાળો ભૂમિભાગ, નદીઓ, પૂર સપાટીઓ અને કળણભૂમિ શામેલ છે. દરીયા કિનારા પર ની ભેજવાળી જમીન માં ખારા પાણીના કળણ, નદીઓ, સુંદરીવૃક્ષ , ખારા પાણીનું સરોવર, અને પરવાળાના ખડકો શામેલ છે. મત્સ્ય - તળાવ, ડાંગર અને મીઠાનો અગર એ માનવસર્જિત ભેજવાળી જમીન છે.

મનુષ્યના અસ્તિત્વ માટે ભેજવાળી જમીન મહત્વપૂર્ણ છે. ભેજવાળી જમીન વિશ્વના સૌથી ઉત્પાદક વાતાવરણ છે; જૈવિક વિવિધતા ના પારણા જે પાણી અને ઉત્પાદકતા પ્રદાન કરે છે જેના પર છોડ અને પ્રાણીઓની અસંખ્ય પ્રજાતિઓ અસ્તિત્વ માટે નિર્ભર છે. ભેજવાળી જમીન તાજા પાણી ના પુરવઠા, ખાદ્ય અને મકાન સામગ્રી અને જૈવવિવિધતાથી માંડીને પૂર નિયંત્રણ, ભૂગર્ભજળ ના રિચાર્જ અને આબોહવા પરિવર્તન ઘટાડવા જેવા અગણિત લાભો અને "ઇકોસિસ્ટમ સેવાઓ" માટે અનિવાર્ય છે .

ભેજવાળી જમીન શું કરે છે: તાજા અને ખારા પાણી ની ભેજવાળી જમીન, માનવ અને પ્રકૃતિને ટકાવી રાખે છે. તેની બહુવિધ સેવાઓ આપણા સામાજિક અને આર્થિક વિકાસ ને ટેકો આપે છે:

1. પાણી સંગ્રહિત કરે છે અને સાફ કરે છે

ભેજવાળી જમીન આપણા મોટાભાગના તાજા પાણીને પકડી રાખે છે અને પ્રદાન કરે છે.

ભેજવાળી જમીન કુદરતી રીતે પ્રદૂષકો ને ફિલ્ટર કરે છે અને પાણી ને પીવા લાયક બનાવે છે

૨. આપણા અન્નદાતા છે

જળચર ઉછેર એ સૌથી ઝડપથી વિકસિત ખાદ્ય ઉત્પાદન ક્ષેત્ર છે, જ્યારે એકલા અંતરિયાળ મત્સ્યઉદ્યોગે જ વર્ષ ૨૦૧૮ માં ૧.૨ કરોડ ટન માછલી આપી હતી.

ડાંગર સ્વરૂપે વાર્ષિક ૩.૫ અબજ લોકોને અનાજ પુરૂ પાડે છે

આપણી વૈશ્વિક અર્થવ્યવસ્થાને ટેકો આપે છે

ભેજવાળી જમીન , સૌથી મૂલ્યવાન ઇકોસિસ્ટમ, વર્ષમાં ૪૭ ટ્રિલિયન યુ.એસ ડોલરની સેવાઓ પુરી પાડે છે

એક અબજથી વધુ લોકો આવક માટે ભેજવાળી જમીન પર આધાર રાખે છે.

4. પ્રકૃતિને ઘર પ્રદાન કરે છે

વિશ્વની 40% પ્રજાતિઓ ભેજવાળી જમની માં રહે છે અને પ્રજનન કરે છે. વાર્ષિક, આશરે ૨૦૦ નવી માછલી ની પ્રજાતિઓ તાજા પાણીની ભેજવાળી જમીન માં મળી આવે છે .

પરવાળાના ખડકો માં ૨૫% જાતિઓ ના ઘર છે.

5. આપણ ને સુરક્ષિત રાખે છે

ભેજવાળી જમીન, પૂર અને તોફાનોથી રક્ષણ આપે છે જેમાં દરેક ભેજવાળી જમની ના દરેક એકરમાં ૧૫ લાખ ગેલન જેટલું પાણીનું શોષણ થાય છે.

ભેજવાળી જમીન આબોહવા ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે: ભેજવાળી જમીન જંગલો કરતા બમણું કાર્બન શોષે છે, તેમાં ખારુ કળણ, સુંદરીવૃક્ષ અને સમુદ્ર ઘાસ પણ વિશાળ પ્રમાણમાં કાર્બન શોષે છે.

તાજા પાણી સંબંધિત રસપ્રદ તથ્યો

પૃથ્વી પર માત્ર ૨.૫% શુધ્ધ પાણી છે, જે મોટાભાગે હિમનદીઓ, હિમશિખરો અને ભૂગર્ભ જળચર માં સંગ્રહિત છે

૧% કરતા ઓછુ તાજુ પાણી ઉપયોગી છે

નદીઓ અને તળાવો સપાટીના પાણીનો 0.૩% હિસ્સો ધરાવે છે

આપણે દરરોજ ૧૦ અબજ ટન તાજા પાણીનો ઉપયોગ કરીએ છીએ

૭૦ % ખાદ્ય વાવેતર માટે વપરાય છે

ઉદ્યોગ અને ઉર્જા દ્વારા ૨૨% વપરાશ

100 વર્ષમાં પાણીનો ઉપયોગ છ ગણો વધ્યો અને વાર્ષિક ૧% વધ્યો

ભારતમાં ભેજવાળી જમીન :

હિમાલયની ઉંચાઈ વાળી ભેજવાળી ભૂમિઓ, ગંગા અને બ્રહ્મપુત્ર તરીકે ની શકિતશાળી નદીઓના પૂરના પટ્ટાઓ, દરિયાકિનારાઓ પર ખાંજણ અને સુંદરીવૃક્ષ સહિતની ભેજવાળી જમીન ની વિવિધતા થી ભારત સંપન્ન છે.

રાષ્ટ્રીય ભેજવાળી જમીન ના નક્શા મુજબ, ભારતનો લગભગ ૪.૭ % ભૌગોલિક વિસ્તાર ભીનાશ હેઠળ છે. ભારત ૧૯૮૨ માં રામસાર સંમેલનની હિસ્સેદાર બન્યું, અને જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં સંમેલનના ૯ માપદંડો અંતર્ગત ૩૭ ભેજવાળી જમીન ને રામસાર સાઇટ્સ તરીકે જાહેર કર્યા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ૧૯૮૫ થી એકીકૃત વ્યવસ્થાપન યોજનાઓ ની રચના અને અમલીકરણમાં રાજ્ય સરકારોને મદદ કરી રહ્યું છે.

રાજ્યની સરકારોને ૧૮૦ ભેજવાળી જમીન માટેની વ્યવસ્થાપન યોજનાના અમલીકરણ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. ૨૦૧૭માં, મંત્રાલયે ભેજવાળી જમીન (સંરક્ષણ અને વ્યવસ્થાપન) ના નિયમો ને પણ દેશના ભેજવાળી જમીન માટેના નિયમનકારી માળખા તરીકે સૂચિત કર્યા છે. કેટલાંક રાજ્યોએ ભેજવાળી જમીન ના અધિકારીઓ અને ભેજવાળી જમીન ના સંરક્ષણ અને ઉપયોગ માટેના કાયદા અને નિયમોને પણ સૂચિત કર્યા છે

સોર્સ: મીડિયા એહવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.