ETV Bharat / bharat

વિશ્વ બાઇપોલર દિવસ 2021: દર 100માંથી 1 વ્યક્તિન બાઇપોલર ડિસઓર્ડરનો શિકાર

author img

By

Published : Mar 30, 2021, 1:03 PM IST

કોમ્પલેક્ષ સાઇક્લિક ડિસઓર્ડર માનવામાં આવે છે બાઇપોલર ડિસઓર્ડર જેના કારણે મનુષ્યને ગંભીર પરીણામો ભોગવવા પડે છે, જો સમય રહેતા આ રોગ વિશે ખબર પડી જાય તો કોઇ વ્યક્તિનો જીવ આપણે બચાવી શકીએ છે.

રોગ
વિશ્વ બાઇપોલર દિવસ 2021: દર 100માંથી 1 વ્યક્તિન બાઇપોલર ડિસઓર્ડરનો શિકાર

  • વિશ્વ બાઇપોરલ ડે 2021
  • રોગનું મુખ્ય કારણ તણાવ
  • બાઇપોલર ડિસઓર્ડર આનુવંશિક રોગની શ્રેણીમાં આવે છે

હૈદરાબાદ: વિશ્વ બાઇપોલર દિવસ કોમ્પલેક્ષ સાઇક્લિક ડિસઓર્ડર માનવામાં આવતા બાઇપોલર ડિસઓર્ડરને ડિપ્રેરેશન અને હાઇપોમેનિયાનો સંયુક્ત પ્રભાવ માનવામાં આવે છે.આંકડા બતાવે છે, બાઇપોલર ડિસઓર્ડર વૈશ્વિક આબાદીના 2.7 ટકા લોકોને પ્રભાવિત કરે છે.કેટલાક જાણકારો માને છે કે દર 100માંથી 1 વ્યક્તિને બાઇપોલર ડિસઓર્ડર થવાની સંભાવના છે.

દર 100 માંથી 1 વ્યક્તિ રોગનો શિકાર

મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલ શોધ તથા તેના આંકડા જોઇએ તો દર વર્ષે આત્મહત્યા કરવાવાળા લોકોમાં એક મોટો સમુહ મનોવિકાર રોગથી પીડાતો હોય છે.આ ગંભીર મનોવિકારના સાચા રૂપ અને તેની ગંભીરતાને લઇને વૈશ્વિક સ્તરે જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 30 માર્ચે વિશ્વબાઇપોલર દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે એટલે વિશ્વ બાઇપોલર દિવસ 2021ના દિવસે મનાવવા માટે વૈશ્વિક રૂપે સોશ્યલ નેટવર્કિગ સાઇટ્સના માધ્યમથી આ રોગને લઇને અને તેની સંવેદનશીલતાને જન-જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ નક્કિ કરવામાં આવ્યો છે. જેના માટે આ મનોવિકારને લઇને જાગૃતતા ફેલાવા માટે ફોટો તથા વિડીયોને હેશટેગ #વલ્ડબાઇપોલરડે અને #બાઇપોલરસ્ટ્રોગ વાઇલ્સ ટૈગિગં @ઇંટરબાઇપોલરની સાથે ટ્વીટર તથા ઇંન્સ્ટાગ્રામ પર અને @ઇન્ટરનેશનલબાઇપોલરફાઉંડેશનની સાથે ફેસબુકમાં અપલોડ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.

રોગ મૂડ પર આધારીત

બાઇપોલર ડિસઓર્ડર વિશ્વબાઇપોલર દિવસ 2021ના અવસર પર માનસિક વિકારના વિષે ETV Bharat સુખીભવની ટીમને વધારે જાણકારી આપતા વરિષ્ઠ મનૌચિકિત્સક ડો. વીના કૃષ્ણન જણાવે છે કે, બાઇપોલર ડિસઓર્ડર અને મૂડ ડિસઓર્ડર છે. જેને ઉન્માદ અને હાઇપોમેનિયાના રૂપમાં પણ સમજી શકાય છે.આ મનોવિકાર રોગમાં વ્યક્તિનો મૂડ વારેવારે બદલાઇ શકે છે, મૂડ બદલવાની સમય અવધી કોઇ વાર અઠવાડિયુ તો કોઇ વાર મહિનીઆ પણ હોય છે.ક્યારેક તે ઉર્જાથી ભરપૂર હોય છે તો ક્યારેક આ વ્યક્તિ વગર થાકે આખો દિવસ કામ કર્યા કરે છે અને વિચાર્યા કરે છે તો ક્યારે એકદમ જ હતાશ થઇ જાય છે.આ અવસ્થામાં બદલાવમાં હાઇપોમિનેક પણ થઇ શકે છે. જો આ સ્ટેજ પર મનોવિકારની ખબર પડી જાય તો થેરાપી અને દવાઓ દ્વારા સ્થિતીને નિયંત્રીત કરી શકાય છે. પરંતુ જો સમસ્યા વધી જાય તો વ્યક્તિ આત્મહત્યા અથવા અન્ય રીતે પોતાને નુક્શાન પહોંચાડવાની કોશિશ કરે છે.જાણકારો કહે છે કે આ મનોવિકારમાં મૂડ એપિસોડ વૈકલ્પિક હોય છે અને વધારે બદલતા રહે છે, પણ જો સમય રહેતા જો આ લક્ષણ પકડી પાડ્યા તો આપણે કોઇની જીંદગી બચાવી શકીએ છે.

આ પણ વાંચો : ઓરીને રોકવા માટે રસીકરણનું મહત્વ

રોગના મુખ્ય લક્ષણ

બાઇપોરલ મનોવૈજ્ઞાનિકના મુખ્ય લક્ષણ, ઉંઘ ન આવી, તણાવ, ક્રોધ, ડિપ્રેશન અને થાક, વ્યવહારમાં ચિડાએલું રહેવું, વિચારવામાં મુંજવણ અનુભવવી કે ભુલવાની બિમારી હોવી, કોઇ પણ કામ સારી રીતે ન કરી શકવું, નશો કરવો,બેકારની વસ્તુ પર ખર્ચા કરવા, ખાવાનું ના ખાવું અથવા તો ખુબ ઓછું ખાવું, કારણ અકારણ દુ:ખી થવું, વિચારો પર નિયંત્રણ ન રહેવું,કોઇ પણ વાતને વાંરવાર બોલવી, જલ્દી જલ્દી બોલવું અથવા વાતોને ફરી ફરી વાર બોલવી, પોતાને નુક્શાન પહોંચાડવા, જેવા કે કાપવું , બાળવું અથવા કોઇ દવાનો ઓવરડોઝ લેવો, આત્મહત્યા જેવા વિચારો વારેવારે આવા, બેચેની અથવા ગેરજવાબદારી ભર્યું વર્તન જેમકે અસુરક્ષિત યૌન સંબધ, ગેરજવાદારીભર્યું ડ્રાઇવીંગ, લોકો સાથે હોવા છતા પણ એકલા લાગવું.

બાઇપોલર ડિસઓર્ડર આનુવંશિક રોગ

બાઇપોલર ડિસઓર્ડરના કારણે વધારે પડતા મગજ પર થનાર ભૌતિક બદલાવ આ મનોવિકાર માટે જવાબદાર છે. ત્યારે ન્યૂરોટ્રાંસમીટર, એટલે પ્રાકૃતિક રૂપથી આપણા મગજના રસાયણોમા અસતુંલનને કારણે આ મનોવિકાર થઇ શકે છે.વર્તણુકને કારણે વાત કરીએ તો, ડો કૃષ્ણન કહે છે કે , માણસોની આદતની તુલના કરીએ તો સૌથી સરળ વાત છે, ખાસ કરીને માણસોની આદત, તેમનો વ્યવહાર, તેમનું વર્તણુંક અને સુંદરતા, તો કેટલીક વાર સામાજીક અને આર્થિક સ્થિતી તુલનાનો આધાર બની જાય છે.લોકોના તુલનાત્મક વ્યવહાર એવા લોકોના મનમાં હીન ભાવના અથવા સુરક્ષાનો ભાલ ઉત્પન્ન કરે છે. જેને કરમત કહેવામાં આવે છે.આ સમસ્યા બાઇપોલર ડિસઓર્ડર થવાનું મોટું કારણ છે. આ સિવાય વધારે પડતો નશો કરવાની આદત આ સમસ્યાનું કારણ બને છે.વધારે પડતો તણાવ આ રોગનું કારણ બને છે.ડો કૃષ્ણન કહે છે કે બાઇપોલર ડિસઓર્ડર આનુવંશિક રોગની શ્રેણીમાં આવે છે. જે લોકોના પરીવારમાં આ રોગનો રોગી છે તો બીજાને થવાની સંભાવના વધુ છે.

આ પણ વાંચો : ગળામાં દુખાવો થવાનું જોખમ અને તેનું સંચાલન કેવી રીતે કરવું?

બાઇપોલર ડિસઓર્ડરમાં ધ્યાન આપવા જેવી બાબતો

તણાવથી બચો, નશા અને ધુમ્રપાનથી બચો, બાઇપોલર ડિસઓર્ડરમાં વ્યાયામ અને યોગ સારો ઉપાય છે.આ ઉપાયો શરીરને સ્વસ્થ્ય અને ઉંઘ ન આવી જેવી સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે. સક્રિય દિનચર્યાનું પાલન કરવું. સંતુલિત અને પોષ્ટીક આહાર લેવો, ખાવા- પીવામાં અનુંસાશન રાખવું અને સકારાત્મર વિચારશ્રેણી રાખવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.