ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના કલાકારોએ મમતા બેનર્જીને દેવી દુર્ગા તરીકે દર્શાવતી બનાવી મૂર્તિઓ

author img

By

Published : Sep 30, 2021, 1:20 PM IST

દુર્ગા પૂજાનો તહેવાર જેમ-જેમ નજીક આવે છે, તેમ કલાકારોએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીને દેવી દુર્ગા તરીકે દર્શાવતી મૂર્તિઓ બનાવી છે.

પશ્ચિમ બંગાળના કલાકારોએ મમતા બેનર્જીને દેવી દુર્ગા તરીકે દર્શાવતી બનાવી મૂર્તિઓ
પશ્ચિમ બંગાળના કલાકારોએ મમતા બેનર્જીને દેવી દુર્ગા તરીકે દર્શાવતી બનાવી મૂર્તિઓ

  • પેટાચૂંટણીનું પરિણામ 3 ઓક્ટોબરે આવશે
  • ભાજપે વર્તમાન મુખ્યપ્રધાન સામે પ્રિયંકા તિબ્રેવાલને મેદાનમાં ઉતાર્યા
  • બેનર્જીએ મુખ્યપ્રધાન તરીકે પદ પર રહેવા માટે પેટાચૂંટણી જીતવી જરૂરી છે

હુગલી (પશ્ચિમ બંગાળ): દુર્ગા પૂજાનો તહેવાર જેમ નજીક આવી રહ્યો છે, ત્યારે હુગલીમાં કલાકારોએ ચિત્રો અને મૂર્તિઓ બનાવી છે, જે મુખ્યપ્રધાન મમતા બેનર્જીને દેવી દુર્ગા તરીકે દર્શાવે છે.

ભબનીપુરમાં પેટા ચૂંટણી યોજાશે

ANI સાથે વાત કરતા, એક કલાકારે કહ્યું, "અમારી દીદી અસરકારક રીતે COVID સામે લડી રહી છે. 10 હાથ 10 સરકારી યોજનાઓનું પ્રતિનિધિત્વ કરે છે". મમતા બેનર્જી જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યાંથી આજે ભવાનીપુર પેટા ચૂંટણી યોજાશે.

પેટાચૂંટણીનું પરિણામ 3 ઓક્ટોબરે આવશે

ભાજપે વર્તમાન મુખ્યપ્રધાન સામે પ્રિયંકા તિબ્રેવાલને મેદાનમાં ઉતાર્યા છે. બેનર્જીએ મુખ્યપ્રધાન તરીકે પદ પર રહેવા માટે પેટાચૂંટણી જીતવી જરૂરી છે. પેટાચૂંટણીનું પરિણામ 3 ઓક્ટોબરે આવશે.

આ પણ વાંચો- ભવાનીપુર બેઠક પરથી પેટાચૂંટણી લડશે મમતા બેનર્જી

આ પણ વાંચો- ફરી એકવાર મોદી ટાઈમ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિના લિસ્ટમાં સામેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.