ETV Bharat / bharat

ઉત્તરકાશી સિલ્કયારા ટનલથી રેસ્ક્યૂ કરાયેલા કામદારોને સીએમ ધામીએ આપ્યાં ચેક, તમામની સઘન દેખરેખમાં સારવાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 7:21 PM IST

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાંથી મંગળવારે બચાવાયેલા 41 મજૂરોને ચિન્યાલીસૌર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ડૉક્ટરો દ્વારા કામદારોના મનોસ્વાસ્થ્યની પણ સતત દેખરેખ થઇ રહી છે. તો ઉત્તરાખંડ સીએમ ધામીએ તમામ કામદારોને એક એક લાખ રૂપિયાના ચેક, અને રેટ માઇનર્સ રેસ્ક્યૂર્સને પણ 50,000 રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે.

ઉત્તરકાશી સિલ્કયારા ટનલથી રેસ્ક્યૂ કરાયેલા કામદારોને સીએમ ધામીએ આપ્યાં ચેક, તમામની સઘન દેખરેખમાં સારવાર
ઉત્તરકાશી સિલ્કયારા ટનલથી રેસ્ક્યૂ કરાયેલા કામદારોને સીએમ ધામીએ આપ્યાં ચેક, તમામની સઘન દેખરેખમાં સારવાર

ઉત્તરકાશી : ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાંથી 28 નવેમ્બરને મંગળવારે બચાવેલા 41 મજૂરોને ચિન્યાલીસૌર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ડૉક્ટરો આ કામદારોના સ્વાસ્થ્ય સતત દેખરેખ થઇ રહી છે. આ સાથે મનોવૈજ્ઞાનિકો પણ સુરંગમાં 17 દિવસથી ફસાયેલા આ મજૂરોના માનસિક સ્વાસ્થ્યને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે મુખ્યમંત્રી ધામીએ ઉત્તરાખંડ સરકાર વતી તમામ કામદારોને 1-1 લાખ રૂપિયાના ચેકનું વિતરણ કર્યું છે. વધુમાં, બચાવ કામગીરી પૂર્ણ કરવામાં મદદ કરનાર ઉંદર ખાણ કામદારોને 50,000 રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

  • सामुदायिक स्वास्थ्य केंद्र, चिन्यालीसौड़ पहुंचकर श्रमिक बंधुओं का कुशलक्षेम जाना और उन्हें ₹1 लाख की राहत राशि के चेक प्रदान किए। इस दौरान श्रमिक बंधुओं के परिजनों से भी भेंट की।

    इस दौरान श्रमिकों के परिजनों ने सभी 41 लोगों को सुरक्षित बाहर निकालने हेतु प्रदेश प्रशासन का… pic.twitter.com/9uKgCGBCAE

    — Pushkar Singh Dhami (@pushkardhami) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઘટનાની વિગતો ઉત્તરકાશી (ઉત્તરાખંડ)માં 12 નવેમ્બરે દિવાળીની સવારે ઉત્તરકાશીની સુરંગ તૂટી તેમાં કાટમાળ પડ્યો હતો. આ કાટમાળને કારણે 16 દિવસ સુધી 41 મજૂરો સિલ્ક્યારાની સુરંગમાં ફસાયેલા હતાં. 17માં દિવસે રેસ્ક્યુ ટીમોએ આ મજૂરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં. અગાઉ આ તમામ મજૂરોનું આરોગ્ય તપાસ સુરંગ પરિસરમાં જ કરવામાં આવ્યું હતું. ટનલ કોમ્પ્લેક્સમાં સ્વાસ્થ્ય તપાસ બાદ આ તમામ મજૂરોને 41 એમ્બ્યુલન્સની મદદથી ઉત્તરકાશીના ચિન્યાલીસૌર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ચિનૂક હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી બચાવાયેલા કામદારો અને તેમના પરિવારોને મળવા ચિન્યાલિસૌર આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતાં અને તમામ કામદારોને 1-1 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.. આ સાથે મુખ્ય પ્રધાન ધામીએ બચાવ કામગીરીના છેલ્લા રાઉન્ડમાં રેટ માઇનિંગ ટેકનિકનો ઉપયોગ કરીને મેન્યુઅલ ડ્રિલિંગ કરનારા કામદારોને રૂ. 50-50 હજારની પ્રોત્સાહક રકમ આપવાની પણ જાહેરાત કરી છે. આ પછી તમામ કામદારોને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને ઋષિકેશ એઈમ્સમાં લઈ જવામાં આવ્યાં હતાં.

  • In a telephonic conversation, Dr. Bimlesh Joshi, Nodal Officer- Health for the Silkyara tunnel rescue operation, said that all 41 workers are currently healthy and their health screening was done twice after the rescue. A team of 18 doctors at the Community Health Center of… pic.twitter.com/OJ7xMRo04O

    — ANI (@ANI) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કામદારોના મનોસ્વાસ્થ્ય પર દેખરેખ નોંધનીય છે કે, મંગળવારે રાત્રે ટનલમાંથી બચાવ્યા બાદ આ 41 કામદારોને એમ્બ્યુલન્સ દ્વારા સીધા જ ચિન્યાલીસૌર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં. આરોગ્ય કેન્દ્રમાં અત્યાધુનિક આરોગ્ય સેવાઓ પહેલેથી જ ગોઠવવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોની ટીમે કામદારોની સારવાર શરૂ કરી દીધી હતી. તમામ કામદારો સ્વસ્થ હોવા છતાં, ભીનાશ, અંધકાર અને સુરંગની અંદર બાકીની દુનિયાથી 17 દિવસ સુધી સંપર્કવિહીન હોવાને કારણે તેમને શારીરિક અને માનસિક તપાસની જરૂર હતી.

કામદારોને ઋષિકેશ AIIMSમાં મોકલવામાં આવ્યાઃ ડૉક્ટરોનું કહેવું છે કે હાલમાં આ કામદારોને ઘરે મોકલવામાં આવશે નહીં. બચાવ કામગીરી માટે આરોગ્યના નોડલ ઓફિસર ડૉ.બિમલેશ જોશીએ જણાવ્યું હતું કે તમામ 41 કામદારો હાલમાં સ્વસ્થ છે અને બચાવ પછી બે વખત તેમનું સ્વાસ્થ્ય તપાસવામાં આવ્યું છે. ચિન્યાલીસૌર આરોગ્ય કેન્દ્રના 18 ડોકટરોની ટીમ ગઈ રાતથી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. તમામ કામદારોને સંતુલિત ભોજન આપવામાં આવી રહ્યું છે, જેમાં પનીર, બાફેલા ઈંડા, ખીર, રોટલી, શાકભાજી અને ભાતનો સમાવેશ થાય છે. તે જ સમયે, તમામ કામદારોને હવે ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઈમ્સમાં મોકલવામાં આવ્યા છે.

સીએમ ધામી તમામ કાર્યકરોને મળ્યા સીએમ પુષ્કર સિંહ ધામી તમામ કામદારોની સુખાકારી જાણવા ચિન્યાલીસૌર કોમ્યુનિટી હોસ્પિટલ પહોંચ્યાં હતાં. અહીં તેમણે દરેક કામદારોના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી અને 41 કામદારોને 1 લાખ રૂપિયાની રાહત રકમના ચેકનું વિતરણ પણ કર્યું. તમને જણાવી દઈએ કે 28 નવેમ્બરે બચાવ કાર્ય પૂર્ણ થવાના સમયે ઉત્તરાખંડ સરકારે તમામ કામદારોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ સાથે ઉત્તરાખંડ સરકારે તમામ મજૂરોના પરિવારો માટે રહેવા, ભોજન અને પરિવહનની વ્યવસ્થા પણ કરી છે.

ચિન્યાલીસૌર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં કડક સુરક્ષા : ઉત્તરાખંડ સરકારે પહેલેથી જ સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરંગમાં ફસાયેલા કામદારો અને બચાવ કામગીરી અંગે સતત અપડેટ લઈ રહ્યા હતાં. આ બચાવ કામગીરીને જે ઉચ્ચ પ્રાથમિકતા સાથે હાથ ધરવામાં આવી રહી હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઉત્તરાખંડના સીએમ ધામીએ 22મી નવેમ્બરથી ઉત્તરકાશી જિલ્લાના મતલીમાં સીએમ કેમ્પ ઓફિસની સ્થાપના કરી હતી. સીએમ ધામી ત્યાંથી સરકારી કામ સંભાળતા હતા. તેમજ સમયાંતરે તેઓ સિલ્ક્યારા ટનલ પર જઈને તેમની સામે ચાલી રહેલા બચાવ કાર્યને નિહાળતા હતાં.

દરેક ક્ષણે કામદારોના સ્વાસ્થ્યની તપાસ : હવે જ્યારે બચાવ કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા કામદારોના સ્વાસ્થ્યની ઉચ્ચ પ્રાથમિકતા સાથે તપાસ કરવામાં આવી રહી છે. ચિન્યાલીસૌર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરો તમામ 41 મજૂરોના સ્વાસ્થ્યની દરેક રીતે તપાસ કરી રહ્યા છે. તેમને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. મનોચિકિત્સકો 17 દિવસથી સુરંગમાં અટવાયેલા રહેવાને કારણે તેના મનમાં ઉદભવેલી નિરાશા કે હતાશાની લાગણીઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમામ મજૂરોને તેમના પરિવારજનો સાથે વાત કરાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સુરંગમાંથી બચાવેલા મજૂરો સાથે વાત કરી છે. બીજી તરફ, તેમના પ્રિયજનોને સુરક્ષિત બચાવી લેવાના કારણે કામદારોના ઘરોમાં ઉજવણીનો માહોલ છે.

બાબા બૌખનાગ મંદિરમાં પૂજા : સિલ્ક્યારા ટનલમાં 41 મજૂરો ફસાયા ત્યારથી પૂજારીઓ સુરંગના મુખ પર બનેલા બાબા બૌખનાગ મંદિરમાં સતત પ્રાર્થના કરી રહ્યાં હતાં. સુરંગમાંથી તમામ મજૂરોના સુરક્ષિત બચાવથી આનંદિત પૂજારીએ આજે ​​સવારે બાબા બોખનાગ મંદિરમાં પૂજા પણ કરી હતી. પૂજારીએ કામદારોના સુરક્ષિત બચાવ માટે બાબા બૌખનાગ દેવતાનો આભાર માન્યો હતો.

  1. કોણ છે મુન્ના કુરેશી ? જેણે ઉત્તરાખંડ સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી
  2. 17 દિવસ પછી વિશાલ સુરંગમાંથી બહાર આવતાં પરિવારે મનાવી દિવાળી, સુરંગમાં પાછા મોકલવાની ના પાડી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.