ETV Bharat / bharat

UNSC Meeting: આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના ખતરા પર આજે ચર્ચા થશે

author img

By

Published : Aug 19, 2021, 1:46 PM IST

UNSC Meeting: આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના ખતરા પર આજે ચર્ચા થશે
UNSC Meeting: આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના ખતરા પર આજે ચર્ચા થશે

વિદેશ પ્રધાન એસ. જયશંકર આજે 'આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે જોખમ' પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. આ પહેલા બુધવારે વિદેશ પ્રધાને કહ્યું હતું કે, ભારત અફઘાનિસ્તાનમાં બદલાતી સ્થિતિ પર 'ઘણી સાવધાનીપૂર્વક' નજર રાખી રહ્યું છે. આ સાથે જ નવી દિલ્હીનું ધ્યાન યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા પર છે.

  • વિદેશ પ્રધાન એસ. જયશંકર (Foreign Minister S. Jaishankar) આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકની અધ્યક્ષતા કરશે
  • અફઘાનિસ્તાનની બદલાતી સ્થિતિ ઉપર ભારતની નજર છેઃ વિદેશ પ્રધાન (Foreign Minister)
  • નવી દિલ્હીનું ધ્યાન યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા પર છેઃ વિદેશ પ્રધાન (Foreign Minister)

નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર આજે 'આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે જોખમ' પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. આપને જણાવી દઈએ કે, ભારત ઓગસ્ટ મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું અધ્યક્ષ છે. આ પહેલા બુધવારે વિદેશ પ્રધાને કહ્યું હતું કે, ભારત અફઘાનિસ્તાનમાં બદલાતી સ્થિતિ પર 'ઘણી સાવધાનીપૂર્વક' નજર રાખી રહ્યું છે. આ સાથે જ નવી દિલ્હીનું ધ્યાન યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા પર છે.

આ પણ વાંચો- તાલિબાને ભારત સાથે વેપાર પર લગાવ્યો પ્રતિબંધ, ડ્રાયફ્રૂટ્સ મોંઘા થવાની શક્યતા

ભારતીયોને સુરક્ષિત પરત લાવવા પર અમારું ધ્યાનઃ વિદેશ પ્રધાન

આ પહેલા વિદેશ પ્રધાને બુધવારે કહ્યું હતું કે, આ સમયે આપણે બીજાની જેમ જ અફઘાનિસ્તાનમાં બદલાતી સ્થિતિ પર સાવધાનીપૂર્વક નજર રાખી રહ્યા છીએ. અમારું ધ્યાન અફઘાનિસ્તાનમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ત્યાં હાજર ભારતીયોની સુરક્ષિત વાપસી પર છે. વિદેશ પ્રધાન સોમવારે ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. કારણ કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ઈમરજન્સી બેઠક યોજી છે. 10 દિવસની અંદર સંયુક્ત રાષ્ટ્રના શક્તિશાળી બોડીએ યુદ્ધગ્રસ્ત દેશની સ્થિતિ પર ચર્ચા માટે ભારતની અધ્યક્ષતામાં બીજી બેઠક હતી.

આ પણ વાંચો- તાલિબાનના ટોપ કમાન્ડરે IMA દહેરાદૂનમાં લીધી હતી તાલીમ, જાણો કોણ છે?

ભારતે 2 દાયકામાં અફઘાનિસ્તાનમાં કરેલા રોકાણ અંગે વિદેશ પ્રધાને આપ્યો જવાબ

વિદેશ પ્રધાન એસ. જયશંકરે અફઘાનિસ્તાનની સ્થિતિ પર અહીં સંયુક્ત રાષ્ટ્ર (US)ના મહાસચિવ એન્તોનિયો ગુતારેસે (Antonio Guterres) મુલાકાત દરમિયાન તથા અન્ય દ્વિપક્ષીય બેઠકોમાં (Bilateral meetings) ચર્ચા કરી છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા 2 દાયકામાં ભારત દ્વારા કરવામાં આવેલા રોકાણથી સંબંધિત એક અન્ય સવાલના જવાબમાં વિદેશ પ્રધાને કહ્યું હતું કે, તમે રોકાણ શબ્દનો ઉપયોગ કર્યો છે. મારું માનવું છે કે, આનાથી અફઘાની લોકોની સાથે અમારા ઐતિહાસિક સંબંધો જાણવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે અમારું ધ્યાન ત્યાં (અફઘાનિસ્તાન)માં હજાર ભારતીયોને સુરક્ષિત પરત લાવવા પર છે.

કાબુલની સ્થિતિ પર અમારી નજરઃ વિદેશ પ્રધાન

શું ભારતે અત્યારે તાલિબાન સાથે વાતચીત કરી છે તે પ્રશ્ન અંગે વિદેશ પ્રધાને જવાબ આપતા જણાવ્યું હતું કે, અમે કાબુલની સ્થિતિ પર નજર રાખીએ છીએ. તાલિબાન અને તેના પ્રતિનિધિ કાબુલ આવી ગયા છે. આ માટે મને લાગે છે કે, અમે ચીજોને ત્યાંથી શરૂ કરવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.