ETV Bharat / bharat

વિદેશ પ્રધાને રાહુલ ગાંધીને આપ્યો વળતો જવાબ

author img

By

Published : Jul 13, 2022, 10:14 AM IST

વિદેશ પ્રધાને રાહુલ ગાંધીને આપ્યો વળતો જવાબ રાહુલ ગાંધીના ટ્વીટ પર આપી પ્રતિક્રીયા...
વિદેશ પ્રધાને રાહુલ ગાંધીને આપ્યો વળતો જવાબ

વિદેશ પ્રધાન એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar) ભારત-ચીન સરહદ વિવાદ પર કહ્યું કે, LAC પર યથાસ્થિતિ બદલવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસને સહન કરવામાં આવશે નહીં. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વીટ (Rahul Gandhi tweet) 'ચીની ઘૂસણખોરી વધી રહી છે' પર પ્રતિક્રિયા આપતા આ વાત કહી હતી.

તિરુવનંતપુરમ: વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે (External Affairs Minister S Jaishankar) ભારત-ચીન સરહદ વિવાદ પર કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા LAC પર યથાસ્થિતિને બદલવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસને સહન કરવામાં આવશે નહીં. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, વર્તમાન સમસ્યા 1962માં ચીન દ્વારા વ્યૂહાત્મક વિસ્તારો પર કબજો જમાવવાનું પરિણામ છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજીનામાની સત્તાવાર જાહેરાત પહેલા દેશ છોડીને પહોંચ્યા માલદીવ

સરહદી મુદ્દાને ઉકેલવાના પ્રયાસો ચાલુ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટના (Rahul Gandhi tweet) સંબંધમાં અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર વિદેશ પ્રધાનની પ્રતિક્રિયા આવી છે.ગાંધીએ ટ્વિટમાં દાવો કર્યો હતો કે, ભારતીય ક્ષેત્રમાં "ચીની ઘૂસણખોરી વધી રહી છે". જયશંકરે કહ્યું, છેલ્લા બે વર્ષમાં જે કંઈ થયું છે, અમે એ બઘુ સુનિશ્ચિત કરવામાં ખૂબ જ સ્પષ્ટ છીએ અને સક્ષમ છીએ કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર એકપક્ષીય રીતે યથાસ્થિતિને બદલવાના કોઈપણ પ્રયાસને અમારા દ્વારા સહન કરવામાં આવશે નહીં. બંને દેશોના સૈન્ય કમાન્ડરો અને રાજદ્વારીઓ સાથે વાતચીત દ્વારા સરહદી મુદ્દાને ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. જયશંકરે કહ્યું કે, પૂર્વીય પાડોશી સાથે સરહદનો મુદ્દો મુખ્યત્વે કોંગ્રેસના શાસન દરમિયાન 1962 માં ચીન દ્વારા લદ્દાખ સહિત ભારતના મોટા ભાગ પર કબજો કરવાને કારણે છે. ગાંધી પર પ્રહાર કરતા જયશંકરે કહ્યું, મને તેમના ટ્વીટમાં કંઈ નવું મળ્યું નથી, કારણ કે તમે બધા જાણો છો કે, સરહદ પર અમારી સમસ્યાનો મોટો હિસ્સો એટલે છે કારણ કે, 1962માં ચીનીઓએ આવીને લદ્દાખ સહિત મોટા વિસ્તાર પર કબજો કરી લીધો હતો.

  • प्रधानमंत्री के कुछ सचः

    1. चीन से डरते हैं
    2. जनता से सच छिपाते हैं
    3. सिर्फ़ अपनी छवि बचाते हैं
    4. सेना का मनोबल गिराते हैं
    5. देश की सुरक्षा के साथ खिलवाड़ करते हैं

    चीन की बढ़ती घुसपैठ और प्रधानमंत्री की चुप्पी, देश के लिए बहुत हानिकारक है।

    — Rahul Gandhi (@RahulGandhi) July 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મને ખરેખર ખબર નથી કે ભ્રમ શું છે: તેમણે કહ્યું, કે આમાંના ઘણા વ્યૂહાત્મક ક્ષેત્રો છે, જે આપણા સરહદી દળો માટે સ્પષ્ટપણે પડકારો ઉભા કરે છે. પ્રધાને કહ્યું કે, હાલમાં બંને પક્ષો વચ્ચે સૈન્ય કમાન્ડરો અને રાજદ્વારીઓ દ્વારા વાતચીત ચાલી રહી છે. "આ ચર્ચા અથડામણના બિંદુઓથી સંબંધિત છે. જ્યાં અમે એકબીજા સાથે ખૂબ નજીકથી સ્થિત છીએ અને ધ્યાન એ જોવાનું છે કે આ અથડામણના બિંદુઓથી પીછેહઠ કરવી શક્ય છે કે કેમ? જયશંકરે કહ્યું, “ગયા વર્ષે પાછા હટવાની પ્રક્રિયા સંતોષકારક હતી. હજુ પણ કેટલાક મુદ્દા છે... ચર્ચા ચાલી રહી છે. બાલીમાં G20 વિદેશ પ્રધાનોની બેઠકમાં જ્યારે હું તેમને મળ્યો ત્યારે મેં પોતે આ મુદ્દો ચીની વિદેશ પ્રધાન સાથે ઉઠાવ્યો હતો. "તેથી, મને લાગે છે કે અમે તેના વિશે ખૂબ જ સ્પષ્ટ અને ખૂબ જ ખુલ્લા છીએ. તેથી મને ખરેખર ખબર નથી કે ભ્રમ શું છે.'

આ પણ વાંચો: SBI સિવાય તમામ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગે સલાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનથી ડરે છે: ગાંધીએ પોતાના ટ્વીટમાં (Rahul Gandhi tweet) આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનથી ડરે છે, લોકોથી સત્ય છુપાવે છે, માત્ર પોતાની ઇમેજની રક્ષા કરે છે, સેનાનું મનોબળ ઘટાડે છે અને દેશની સુરક્ષા સાથે રમે છે. ચીન-પાકિસ્તાન દરિયાઈ કવાયત - સી ગાર્ડિયન્સથી - ભારતીય દરિયાઈ સુરક્ષાને ખતરો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા પ્રધાને કહ્યું કે, સુરક્ષા હંમેશા પ્રાથમિકતા છે અને તે દેશની વિદેશ નીતિમાં ટોચ પર છે. તેથી, જ્યારે પણ અમને લાગે છે કે દેશના સુરક્ષા હિતોને કોઈપણ રીતે અસર થઈ રહી છે, ત્યારે અમે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જે પણ જરૂરી લાગશે તે કરીશું. જયશંકરે કહ્યું, “અમે અલગ-અલગ પરિસ્થિતિઓમાં આ દર્શાવ્યું છે. કેટલાક કિસ્સાઓમાં, તમે ઉરી અને બાલાકોટમાં જોયું છે. તમે એ પણ જોયું છે કે, ચીન સાથે LAC (Line of Actual Control) સાથે, જ્યાં 2020 માં COVID-19 ની વચ્ચે પણ, અમે ખરેખર LAC ને અસરકારક રીતે બચાવવા માટે મોટી સંખ્યામાં સૈનિકો ત્યાં મોકલ્યા હતા.

ભારતમે એક દયાળુ રાષ્ટ્ર તરીકે જોવામાં આવે: તેમણે કહ્યું કે, ભારત તેના દક્ષિણમાં સમુદ્રો અને મહાસાગરોમાં દરિયાઈ ગતિવિધિઓથી વાકેફ છે અને તેનું નિરીક્ષણ કરે છે. અમને જે લાગે છે, અમારે જે કરવાની જરૂર છે તે કરીએ છીએ. વિદેશમાં ભારતની છબી દયાળુ અને નમ્રતાથી અસહિષ્ણુ બની ગઈ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું કે આ સાચું નથી. જ્યારે ભારતને હજુ પણ કોવિડ-19 રોગચાળા દરમિયાન તેની ક્રિયાઓને ધ્યાનમાં રાખીને એક દયાળુ રાષ્ટ્ર તરીકે જોવામાં આવે છે, ત્યારે દેશ તે દેશોને રસી પ્રદાન કરી રહ્યો હતો જેના માટે રસી સુઘી પહોચવું મુશ્કેલ હતું. પ્રધાને વધુમાં કહ્યું કે, ભારતને તેના લોકોની સંભાળ રાખવામાં સક્ષમ દેશ તરીકે પણ જોવામાં આવે છે, જેમ કે યુક્રેન-રશિયા યુદ્ધ (Ukraine-Russia war) દરમિયાન જોવામાં આવ્યું હતું જ્યારે તેણે તેના લગભગ તમામ વિદ્યાર્થીઓને યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢ્યા હતા.

ખાડી દેશો સાથે સારા સંબંધ - ભાજપનાં સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી પર વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે, અરબ દેશોમાં શરૂઆતમાં થોડી ચિંતા હતી અને એકવાર ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, ત્યારે તેઓએ સત્ય જોયું. તેમણે કહ્યું, 'અમારા ખાડી દેશો સાથે સારા સંબંધો છે અને તેમને અમારી સરકારમાં વિશ્વાસ છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.