ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી હુમલો, 2 નાગરિકોના મોત

author img

By

Published : Dec 16, 2022, 1:34 PM IST

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી હુમલો, 2 નાગરિકોના મોત
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી હુમલો, 2 નાગરિકોના મોત

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓના ગોળીબારમાં બે લોકોના મોત થયા છે(terrorist attack in rajouri jammu kashmir ) અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.(rajouri jammu kashmir) લોકોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો.

રાજૌરી: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આજે સવારે આતંકવાદીઓના હુમલામાં બે લોકોના મોત થયા છે.(terrorist attack in rajouri jammu kashmir ) ઘટનાની માહિતી મળતા જ પોલીસ, સુરક્ષા દળો અને નાગરિક પ્રશાસનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાજૌરીમાં નાગરિકોની હત્યા અંગેના સત્તાવાર નિવેદનમાં સેનાના ઉત્તરી કમાન્ડે આ માહિતી આપી હતી.

માર્યા ગયેલાની ઓળખ: અગાઉ લોકોએ જિલ્લામાં સૈન્ય સંતરી દ્વારા ગોળીબારના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. (killing of Two civilians in rajouri jammu kashmir)માર્યા ગયેલા લોકોની ઓળખ રાજૌરીના ફરલાના વોર્ડ નંબર 15ના રહેવાસી રાડુ રામ અને ઓમ પ્રકાશ તરીકે થઈ છે. ટીસીપી આલ્ફા ગેટ પાસે બનેલી આ ઘટનાના વિરોધમાં આ વિસ્તારના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને વિરોધ કર્યો હતો.

ગોળીબાર કર્યો: બંને નાગરિકો સવારે લગભગ 6.15 વાગે મિલિટરી હોસ્પિટલ નજીક જઈ રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે રાજૌરીના રહેવાસી શાલિન્દર કુમાર અને કમલ કિશોરનું ગોળી વાગવાથી મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો..

પથ્થરમારો પણ કર્યો: વિસ્તારમાં સ્થિતિ તંગ છે અને કેટલાક ગુસ્સે ભરાયેલા લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વધારાના સુરક્ષા દળને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. વિગતવાર માહિતી મળવાની બાકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.