ETV Bharat / bharat

તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા અંજનાદ્રી પર્વતમાળાઓ ભગવાન હનુમાનના મૂળ જન્મસ્થાન તરીકે જાહેર કરાશે

author img

By

Published : Apr 13, 2021, 1:56 PM IST

Updated : Apr 13, 2021, 3:38 PM IST

અંજનાદ્રી
અંજનાદ્રી

આંધ્રપ્રદેશના તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા આગામી 21 એપ્રિલે રામનવમીના દિવસે ભગવાન હનુમાનના મૂળ જન્મસ્થાન તરીકે અંજનાદ્રી પર્વતમાળાઓને જાહેર કરવામાં આવશે.

  • તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા જાહેરાત
  • અંજનાદ્રી પર્વતમાળાઓ બનશે ભગવાન હનુમાનનું મૂળ જન્મસ્થાન
  • 21 એપ્રિલે રામનવમીના દિવસે કરાશે જાહેરાત

તિરૂપતિ: તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા ભગવાન હનુમાનના મૂળ જન્મસ્થાન તરીકે અંજનાદ્રી પર્વતમાળાઓને જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી 21 એપ્રિલે રામનવમીના દિવસે મંદિર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત થશે.

જગ્યા અંગેના ઐતિહાસિક પુરાવા મળી આવ્યા

આ અંગે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અંજનાદ્રી પર્વતમાળાઓને ભગવાન હનુમાનના મૂળ જન્મસ્થાન તરીકે જાહેર કરવાનો નિર્ણય ઐતિહાસિક અને ભૂસ્તરીય પુરાવા પરથી લેવામાં આવ્યો છે. આ પહેલા ઉગાદી પર્વ દરમિયાન આ પુરાવાઓ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ સૌ કોઇ જાણે છે તેમ ભગવાન હનુમાન ભગવાન શ્રીરામના પ્રખર ભક્ત હતા. આથી રામનવમીના દિવસે આ જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પુરાવાઓની તપાસ માટે કમિટિની થઇ હતી નિમણૂક

તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના EO જવાહર રેડ્ડી દ્વારા ડિસેમ્બર 2020માં આ અંગે કમિટિ બેસાડવામાં આવી હતી જેમાં અંજનાદ્રી પર્વતમાળાઓના પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મંડીમાં બ્યાસ નદીના કાંઠે મળી આવ્યું વર્ષો જૂનું શિવલિંગ

Last Updated :Apr 13, 2021, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.