ETV Bharat / bharat

TOP NEWS: વાઇબ્રન્ટ સમીટને લઈને મહત્વની બેઠક, સંસદનો છેલ્લો દિવસ સહિત અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Dec 23, 2021, 6:01 AM IST

top news 23 december 2021
top news 23 december 2021

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને બિઝનેસ ન્યુઝ વાંચો એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

વાઇબ્રન્ટ સમીટને અંગે કરાશે મહત્વની બેઠક

રાજ્યમાં વાઇબ્રન્ટ સમીટને લઈને આજે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક મળશે. નવી ગાઈડલાઇન્સ કેવી રીતે અમલમાં લાવવી અને વાઇબ્રન્ટ મહોત્સવમાં કેવી તકેદારી રાખવી, ક્યાં નવા નિયમો રાખવા તે તમામ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી કરશે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી આજે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ રજૂ કરશે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સહિત, મેરઠમાં રિંગ રોડ, છ લેન બિજલી બંબા બાયપાસ ઇન્ટર સેક્શનથી હાપુડ બેઝ અને નજીબાબાદમાં ફોર-લેન બાયપાસનો શિલાન્યાસ કરવામાં આવશે. જેનાથી મેરઠથી કોટદ્વાર સુધીનો પ્રવાસ સરળ બની જશે.

UP ચૂંટણીને લઈને BSP સુપ્રિમો માયાવતીએ આજે બોલાવી મહત્વની બેઠક

ઉત્તર પ્રદેશ વિધાન સભા ચૂંટણી 2022ને લઈને આજે 23 ડિસેમ્બરે બહુજન સમાજ પાર્ટી સુપ્રિમો માયાવતીએ મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મુખ્ય સેક્ટરના પ્રભારીઓ અને જિલ્લા પ્રમુખો પાસેથી જમીની પરિસ્થિતિનો તાગ લેશે. તેના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

આજે સંસદનો છેલ્લો દિવસ

સંસદનું સિયાળું સત્રનો આજે છ્લ્લો દિવસ છે. આ સત્ર 29 નવેમ્બરથી શરૂ થયું હતું. આ દરમિયાન સંસદમાં વિપક્ષો દ્વારા અનેક વખત હોબાળાઓ થયા છે. આથી, સંસદ સત્રને કલાકો સુધી બંધ રાખવામાં આવી હતી. આ દરમિયાન સરકાર દ્વારા કૃષિ બિલને પાછા ખેંચવાનું બિલ પણ પાસ કરવામાં આવ્યું હતું. આ શરૂઆતના દિવસોમાં જ વિપક્ષના 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને લઈને મોટો હોબાળો પણ થતો રહ્યો હતો.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

પાકિસ્તાન જિંદાબાદના નારા અંગે પોલીસે ખુલાસો કર્યો

રાજ્ય સહિત કચ્છમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મંગળવારે પરિણામ (Gram Panchayat Election Result 2021) જાહેર થયું હતું. અંજાર તાલુકાના દુધઈ ગામમાં મત ગણતરી પૂર્ણ થતા વિજેતા સરપંચ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગતા વિવાદ (Pakistan Zindabad Slogans) સર્જાયો હતો, ત્યારે આ મામલે પોલીસ તપાસમાં વીડિયોને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ વીડિયોમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા જ નથી. Click Here...

માહિતી ખાતાની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે કહ્યું કોંગ્રેસના પ્રહારો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપ અને ભ્રષ્ટાચાર વિશે અન્વેષ્ણ કરતાં (Arjun Modhwadia Cavilling BJP) જણાવ્યું કે આખા દેશમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની ભરતી કરવાની હોય તો ભારતના અને આપણા રાજ્યોના કાનૂન મુજબ ભારત સરકાર યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન મારફતે ભરતી કરે છે. રાજ્યો હોય તો રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન મારફતે ભરતી કરવાની હોય છે. અત્યાર સુધી આ પ્રક્રિયા જળવાઈ છે અને કાયદા મૂજબ ક્લાસ 1-2ની ભરતી (Gujarat Government Class 1 and 2 Recruitments ) પબ્લિક સર્વિસ કમિશન મારફતે જ કરાવવામાં આવે છે. બાકીની રીતે કાયદો સુધાર્યા વગર આવી ભરતી કરવામાં આવે તો ભરતી સંપૂર્ણપણે ગેરકાયદે ઠરે છે. Click Here...

400 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર

ગુજરાત ATS (Gujarat ATS detect drugs) અને કોસ્ટ ગાર્ડ દ્વારા (jakhau coast guard detect drugs) સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કચ્છના જખૌ ( Kutch Drugs Case) બંદરથી 35 માઈલ દૂર દરિયાઈ સીમાંમાંથી 400 કરોડના 77 કિલો હેરોઈન સાથે 6 પાકિસ્તાની લોકોને ઝડપી પાડવામાં (Pakistani drugs mafia arrested in Kutch) આવ્યા હતાં. આ 6 પાકિસ્તાની આરોપીઓને આજે ભુજની સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. Click Here...

UPમાં કાનપુર કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી

કાનપુરઃ કાનપુરમાં કોર્ટે લવ જેહાદના પહેલા કેસમાં (kanpur love jihad case) સુનાવણી કરી હતી. કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 30,000 રૂપિયાનો દંડ (First judgment in Love Jihad case) ફટકાર્યો છે. દંડની રકમમાંથી 20,000 રૂપિયા પીડિતાને વળતર તરીકે આપવામાં આવશે. આ સમગ્ર મામલો 15 મે 2017નો છે. જ્યારે જુહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કૂચી બસ્તીના રહેવાસી જાવેદ નામના યુવકે પોતાને હિન્દુ ગણાવી પોતાનું નામ મુન્ના જણાવ્યું હતું. ત્યારબાદ યુવક અને કિશોરી વચ્ચે નિકટતા વધવા લાગી હતી અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. Click Here...

શિયાળામાં ખુબ જ ફાયદાકારક છે ખજૂરનું સેવન

ખજૂર જેને શિયાળુ બદામ કહેવામાં આવે છે તેને એનર્જી ફૂડ કહેવામાં આવે છે. કારણ કે તેમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેની અસર ગરમ હોવાથી શિયાળામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં ખજૂરને માત્ર શિયાળાની દ્રષ્ટિએ (The benefits of eating dates in winter) જ નહીં પરંતુ દરેક ઋતુમાં મહિલાઓ અને પુરૂષો માટે સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. જો તે નિયંત્રિત જથ્થામાં ખાવામાં આવે તો. ન્યુટ્રિશનિસ્ટ પણ માને છે કે ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દિલ્હીના ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા કહે છે કે, શિયાળામાં દરરોજ ખજૂરનું સેવન સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે ફાયદાકારક છે. Click Here...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.