ETV Bharat / bharat

Mamata on By poll results 2023 : મમતા બેનર્જીએ વિધાનસભા પેટાચૂંટણી 2023ના પરિણામો પર કરી મોટી જાહેરાત

author img

By

Published : Mar 3, 2023, 12:43 PM IST

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વિધાનસભા પેટાચૂંટણી 2023ના પરિણામોને લઈને મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે તે 2024ની ચૂંટણીમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં.

Mamata on By poll results 2023 : મમતા બેનર્જીએ વિધાનસભા પેટાચૂંટણી 2023ના પરિણામો પર કરી મોટી જાહેરાત
Mamata on By poll results 2023 : મમતા બેનર્જીએ વિધાનસભા પેટાચૂંટણી 2023ના પરિણામો પર કરી મોટી જાહેરાત

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વિધાનસભા પેટા ચૂંટણી 2023ના પરિણામો પર પ્રતિક્રિયા આપતા મોટી જાહેરાત કરી છે. મમતાએ કહ્યું કે, તે 2024ની ચૂંટણી માટે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. કોઈપણ પક્ષનો પક્ષ લેશે નહીં. તેમની પાર્ટી સ્વબળે ચૂંટણી લડશે.

  • BJP,Congress&CPIM all are together. All playing communal card. TMC can fight these three forces all alone. We did this in 2021 as well.TMC will alliance with people in 2024.We'll not go with any other political party.We'll fight alone with people's support: West Bengal CM (02.03) pic.twitter.com/FgTxa8alvN

    — ANI (@ANI) March 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મમતા બેનર્જીનું નિવેદન : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને કહ્યું કે, ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઈએમ બધા સાથે છે. દરેક જણ સાંપ્રદાયિક કાર્ડ રમી રહ્યા છે. ટીએમસી એકલા હાથે આ ત્રણેય દળો સામે લડી શકે છે. અમે 2021માં પણ આ કર્યું. 2024માં લોકો સાથે ગઠબંધન કરશે. તેમણે કહ્યું કે તેઓ અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે નહીં જાય. અમે લોકોના સમર્થનથી એકલા હાથે લડીશું.

આ પણ વાંચો : ગુજરાતમાં મમતા દીદીના પોસ્ટર્સ, સુરતના બંગાળીઓએ કહ્યું - જો તેઓ ચૂંટણી લડશે તો અમે તેમની સાથે છે

સત્તાધારી પાર્ટી તૃણમૂલમાં ખળભળાટ : ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના સાગરદિઘીની પેટાચૂંટણીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. અહીંથી કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. કોંગ્રેસ પાર્ટીની આ જીતથી રાજ્યની સત્તાધારી પાર્ટી તૃણમૂલમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસની જીતને અનૈતિક ગણાવતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (સીપીઆઈ) સિવાય કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસને હરાવવા માટે ભાજપ સાથે સમજૂતી કરી હતી. અહીં મીડિયા સાથે વાત કરતા મુખ્યપ્રધાન બેનર્જીએ કહ્યું કે, તેમની પાર્ટી સામાન્ય લોકોના સમર્થનથી 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે.

આ પણ વાંચો : Lok Sabha Elections 2024: મમતા બેનર્જી આગામી પીએમ બનવાની ક્ષમતા ધરાવે છે - અમર્ત્ય સેન

ભ્રષ્ટાચારના ગુના માટે તૃણમૂલને સજા : તેમજ આ જીત પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે, હવે મમતા બેનર્જી અને ટીએમસીને હરાવી શકાય છે. એમ પણ કહ્યું કે, મુર્શિદાબાદ હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ 2011ની વિધાનસભા ચૂંટણીમાં અહીં સિવાય ટીએમસીએ સમગ્ર બંગાળ પર કબજો જમાવ્યો હતો. અધીર રંજને કહ્યું કે, એકમાત્ર અપવાદ સાગરદિઘીના સુબ્રત સાહા હતા. જેઓ તે બેઠક પરથી જીત્યા અને મંત્રી બન્યા. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સાથે મળીને આ ચૂંટણી લડી હતી. પરંતુ તૃણમૂલ કેમ્પના ઘણા લોકોએ પણ ભ્રષ્ટાચારના ગુના માટે તૃણમૂલને સજા આપવા માટે કોંગ્રેસને મત આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.